Get The App

અજમાવી જૂઓ .

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image


-   લીંબુના અડધિયાને બે-ત્રણ દિવસ તાજું રાખવા તેના પર મીઠું લગાડીને રાખવા.

-   કાચા લીલા કેળાને પાણીમાં રાખવાથી થોડા દિવસ તાજા રાખી શકાશે ઉપરાંત જલદી પાકશે નહીં.

-   સ્ટીલની ગરણીને જ્વાળા પર રાખી ધોવાથી તેના પૂરાયેલાં છિદ્રો ખુલી જશે અને ગરણી સ્વચ્છ થઇ જશે.

- બટાકાની ચિપ્સને સફેદ કરવા તેને ફટકડી મેળવેલ ઠંડા પાણીમાં પલાળવી. 

-   બટાકાને બાફતી વખતે તેમાં થોડા ટીપા વિનેગારના ભેળવવાથી બટાકા ફાટી નહીં જાય તેમજ તેની સફેદાઇ જળવાઇ રહેશે.

-   બદામને એક-દોઢ વરસ તાજી રાખવા બદામના ડબ્બામાં બે-ત્રણ ચમચા સાકર ભેળવી દેવી.

- રવા ઇડલીને મુલાયમ બનાવવા અડધી ચમચી 'ઇનો' ફૂટ સોલ્ટને દહીંની મલાઇમાં ભેળવવો. અને એક ચમચી ઘી ઇડલી ઉતારવાના બે મિનિટ પહેલાં રવાના મિશ્રણમાં નાખવી.  રવો શેકેલો લેવો.

- લીમડાને લાંબા સમય સુધી તાજો રાખવા પાનને બે મિનિટ માઇક્રોવેવમાં મુકવાથી શેકાઇ જતા તેની સુગંધ પણ જળવાઇ રહેશે.

-   ઘીના પેકેટને એક-બે કલાક ફ્રિજરમાં રાખી બરણીમાં ઠાલવવાથી સરળતાથી ઠલવાઇ જશે અને પ્લાસ્ટિકની થેલીમાં ચોંટી બગાડ નહીં થાય.

-   ચોખામાં જીંવાત ન પડે માટે એક કિલો ચોખામાં ૧૦ લાલ સૂકા મરચાં રાખી મૂકવા. 

-   વાસણમાંથી ઇંડાની ગંધ દૂર કરવા તે વાસણમાં બ્રેડ ફેરવવો. એટલે કે બ્રેડથી વાસણ લૂછી નાખવું.  માછલી રાંધતી વખતે તેની દુર્ગંધ દૂર કરવા રાંધતી વખતે તજના ટૂકડા મૂકી દેવા.

- એક કપ ઉકળતા પાણીમાં લીંબુ નીચોવી દિવસમાં બે-ત્રણ વખત પીવાથી શરદીમાં રાહત મળે છે.

-   શીતોપલાદી ચૂરણ અને સુદર્શન ચૂરણ અડધી- અડધી ચમચી ભેળવી મધ સાથે દિવસમાં ત્રણ વખત પીવાથી લાભ થાય છે.

મીનાક્ષી તિવારી

Tags :