અજમાવી જૂઓ .
- માખણને બરાબર પેક કરી રાખવાથી માખણ લાંબા સમય સુધી તાજું રહે છે.
- બટાટાને વધુ દિવસ તાજા રાખવા તેની સાથે લસણ રાખવું.
- દાડમનું શરબત પિત્તાશયની બળતરાથી છૂટકારો અપાવે છે.
- શરીરમાંથી પરસેવાની દુર્ગંધ દૂર કરવા હળદરને દૂધ સાથે વાટી શરીરે લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું.
- માઇક્રોવેવ ઓવનને સાફ કરવા સફેદ દંત મંજન ભભરાવી સુકા કપડાથી લુછી નાખવું. ઓવન ચમકી ઊઠશે.
- પાણીમાં વધુ કામ કરવાથીઆંગળીની વચ્ચે ફંગસ થવી, ખંજવાળ આવવી તેમજ સોજો આવવા જેવી તકલીફથી રાહત પામવા ઉકાળેલી ફટકડીના પાણીથી પગ ધોવા.
- ગ્રેવીનારંગને ઘેરો કરવા ચપટી કોફી નાખો.
- ટોમેટો કેચઅપમાંની ગળાશ દૂર કરવા લીંબુનો રસ ભેળવવો.
- ચામડાના જોડા અથવા બેગ પર કરચલીઓ પડી ગી તો વેસલિન લગાડી થોડી વાર પછી બ્રશ ફેરવવાથી કરચલીઓ આછી થઈ જશે.
- એક્સપાયર થયેલા ટોનિક ફૂલ-છોડ માટે ઉત્તમ અત્તરનું કામ કરે છે.
- બારી-દરવાજા પર પડેલા સિમેન્ટના ડાઘ પર સૂકી રેતી ઘસવાથી ડાઘા સાફ થઈ જાય છે.
- ઘરે ઘી બનાવતી વખતે તેમાં મેથી દાણા નાખવાથી ઘી જલદી ખરાબ નથી થતું.
- પાકા કેળાને લટકાવી રાખવાથી તે જલ્દી ખરાબ થતા નથી.
- નરમ અને સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ બનાવવા માવામાં થોડું પનીર ભેળવવું.
- મીનાક્ષી તિવારી