Get The App

અજમાવી જૂઓ .

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

કાંદાને એક કલાક રેફ્રિજરેટરમાં રાખી સમારવાથી  આંખમાંથી પાણી નહીં નીકળે.

મહેંદીને એક-બે કલાક આમલીના પાણીમાં પલાળી રાખી લગાડવાથી મહેદીનો રંગ ઘેરો આવે છે.

- ચહેરા પરના રોમછિદ્રો ખુલેલા હોય તો એક ઇંડાની સફેદીને ફીણી ચહેરા પર અઠવાડિયામાં બે વાર લગાડવી. ૧૦-૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.

- સવાર-સાંજ ભોજન સાથે સલાડમાં ખીરાનું સેવન કરવાથી ત્વચાની શુષ્કતા, રૂક્ષપણું અને ફોડલી જેવા વિકાર દૂર થાય છે. ખીરાનું સેવન સોંદર્યને નિખારે છે તેમજ સ્ફૂર્તિમય બનાવે છે.

- શેકેલું રીંગણું કે બટાટાની છાલ સરળતાતી ઉતારવા તેને ઠંડી પાણીમાં રાખવા.

- પકોડાને ક્રિસ્પી બનાવવા ચણના લોટમાં થોડો ચોખાનો લોટ અથવા રવો ભેળવવો.

-   સરકો અથવા કાંદાનો રસ સમાન માત્રામાં ભેળવી આ મિશ્રણથી સ્ટીટલના વાસણો ઘસવાથી વાસણ ચમકી ઊઠશે.

-  અજમાના પાન મીઠું સાથે ચાવવાથી પાચનક્રિયા સુધરશે.

-   રેશમી કપડાં ધોતી વખતે પાણીમાં એક ચમચો ગ્લિસરીન ભેળવવાથી રેશમની ચમક જળવાઇ રહેશે.

-   લાકડાના ફર્નિચર પર ઘસરકા પડયા હોય તો તેના પર ભૂરું શૂ પૉલિશ રગડવાથી નિશાન છૂપાઇ જશે. 

-  રસોડાની સિન્કની પાઇપમાંથી પાણી બરાબર જાય તે માટે મીઠાનું દ્રાવણ થોડા થોડા અઠવાડિયે નાખવું. 

- મીનાક્ષી તિવારી