કેળાને છુંદી ચહેરા પર લગાડવાથી ચહેરા પરના ધૂળ-માટી તથા મૃત ત્વચા દૂર થઇ ચહેરો સ્વચ્છ થાય છે.
પાણીપૂરીના પાણીંમાં ખટાશ સાથે ગળપણ માટે સહેજ ગોળ નાખવો સ્વાદ વધુ સ્વાદિષ્ટ થશેે.
- દરરોજ રાતના ઓલિવ ઓઇલથી હાથ પર મસાજ કરવાથી નખ તથા હાથની ત્વચા કોમળ થાય છે.
- કાંદા-લસણ-ટામેટાની ગ્રેવી બનાવી તેમાં પનીર ખમણીને નાખવાથી સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે.
- દૂધ કેરી સીઝનમાં નિયમિત ખાવાથી પૌષ્ટિક સાબિત થાય છે.
- તીખા ગાંઠિયા કઢીમાં નાખવાથી કઢી સ્વાદિષ્ટ થાય છે.
- સેવ ટામેટાના શાકમાં કાંદા લસણ નાખવાથી શાક વધુ સ્વાદિષ્ટ થાય છે.
- રાતના સૂતી વખતે ગરમ પાણીમાં થોડું મીઠું નાખી પીવાથ ીકબજિયાતથી રાહત થાય છે.
- દોઢ થી બે તોલાભાર મેથી અતવા મેથી પાવડર પલાળીને લેવાથી વા મટે છે.
- હળદર અને ખાંડ એક એક ચમચી લઇ ફાકી મારવી. તેના પર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.
- પા ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાતના લેવાથી કરમ મટે છે.તુલસીનો રસ ત્રણ ગ્રામ, આદુનો રસ ત્રણ ગ્રામ અન એક ચમચી મધ લેવાથી કફથી રાહત થાય છે.
- બાફેલા કાંદામાં મીઠું નાખી તેની પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડું ફૂટી જાય છે.
- મીનાક્ષી તિવારી


