Get The App

અજમાવી જૂઓ .

Updated: Mar 31st, 2025

GS TEAM


Google News
Google News
અજમાવી જૂઓ                                                                                      . 1 - image


* તેલની કડાઇમાં ચપટી મીઠું ભભરાવવાથી ફીણનો ઊભરો શમી જશે.

* શરદીમાં પાન પર લવિંગ નાખીને ખાવાથી શરદી જલદી પાકીજાય છે.

* શ્વાસનળીની બીમારીમાં પાન રામબાણ ઇલાજ છે. પાનનું તેલ ગરમ કરી છાતી પર એક અઠવાડિયા સુધી લગાડવું.

*પાનમાં પાકી સોપારી તથા જેઠીમધ નાખી ખાવાથી મન પર સારી અસર પડે છેે.

* ભૂખ વધારવા, તરસ બુઝાવવા અને પેઢાની સમસ્યાથી રાહત પામવા બનારસી તથા દેસી પાન ફાયદાકારક સાબિત થયા છે.

* કાચા ગાજર ખાવાથી જડબાનો વ્યાયામ થાય છે. સલાડમાં ગાજર ઉમેરીને ખાવાથી લાભકારી છે.

* ગાજર પેટને સાફ કરે છે, હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે તેમજ રક્તને શુદ્ધ કરે છે. તેમાં હૃદય ઉપચારક ગુણ પણ છે.

* ગાજર રક્તમાંના ખરાબ કોલોસ્ટ્રોલનું સ્તર ઓછું કરેછે. તે પેટના સામાન્ય રોગમાટે ગુણકારી છે. તે કંદ હોવા છતાં ફળો જેવો લાભ આપે છે.

* ઘીમાં મીણ પીગળાવી એક શીશીમાં રાખવું. ઠંડીના દિવસોમાં હોઠ પર નિયમિત લગાડવાથી હોઠ ફાટતા નથી.

* ફાટેલા, કાળા તથા પોપડીદાર હોઠ પર ફટકડીના ભુકામાં મધ ભેળવી લગાડવાથી ફાયદો થાય છે.

* મધમાં ગુલાબજળ ભેળવી હોઠ પર લગાડવાથી મુલાયમ રહે છે. 

* માખણમાં શુદ્ધ કેસર ભેળવી લગાડવાથી હોઠ પર કુદરતી ચમક તથા લાલી આવે છે.

* જૂની રજાઈના કવર,બેડશીટ્સ અથવા સાડીમાંથી મનપસંદ આકાર તથા ડિઝાઇના તકિયા કવર બનાવી મોંઘવારીમાં બચત કરવી.

- મીનાક્ષી તિવારી


Tags :