Get The App

મૂંઝવણ .

Updated: Mar 18th, 2024

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image


- મને છેલ્લાં 8 વર્ષથી ડાયાબિટીઝ છે. મને સંભોગ કરવાની ખૂબ ઈચ્છા થાય છે,  પણ સંભોગ નથી કરી શકતો અને પત્નીને સંતોષ નથી આપી શકતો. 

* સેક્સ ટૉનિક તરીકે કેટલાંક શહેરોમાં વેચવામાં આવતા મોંઘાદાટ પાન વિશે શું અભિપ્રાય છે?

એક યુવક (મુંબઈ)

* સુહાગરાતે સંભોગ દરમ્યાન પુરુષત્વ દેખાડી શકાય એ માટે પલંગતોડ પાન તરીકે ઓળખાતું પાન લગ્નના થોડાં દિવસો પહેલાં કેટલાક યુવાનો લેતા હોય છે. આ પાનમાં કૅફી દ્રવ્યો નાખવામાં આવતાં હોવાથી પુરુષને ખૂબ ઘેન ચડે છે. આ ઉપરાંત સમયનું પણ એને ભાન ન રહેતું હોવાથી એકાદ મિનિટ સુધી સંભોગ કર્યો હોવા છતાં કલાક સુધી સંભોગ કર્યો હોવાનું એને લાગે છે. આવા પાનથી એને ફાયદો થવા કરતાં નુકસાન થાય છે.

* પર્સનલ મસાજર શું છે? એ શી રીતે ઉપયોગી બને?

એક સ્ત્રી (સૂરત)

* પર્સનલ મસાજરને વાઈબ્રેટર પણ કહે છે. વાઈબ્રેટરને કારણે અમુક લોકો વધારાની ઉત્તેજનાનો અનુભવ કરી શકતા હોય છે. અમુક સ્ત્રીઓ તો સંભોગ દરમ્યાન પણ વાઈબ્રેટરનો ઉપયોગ કરતી હોય છે કે જેથી ક્લિટોરિસ (મદનાંકુર)ને વધારાનું ઘર્ષણ પેદા થાય.  મોટા ભાગના પુરુષો વાઈબ્રેટરનો એકદમ ધીમી ગતિએ વૃષણના મૂળ પાસે એને શિશ્નના નીચેના હિસ્સામાં ઉપયોગ કરે છે. વાઈબ્રેટર ખાસ કરીને મોટી ઉંમરના પુરુષોને વધારે સહાયરૂપ બને છે, કારણ કે યુવાન પુરુષોની સરખામણીમાં તેમને વધારે તીવ્ર શારીરિક ઉશ્કેરાટની જરૂર પડે છે. વાઈબ્રેટર આ દ્રષ્ટિએ ઉપયોગી ઉપકરણ સાબિત થઈ શકે છે.

  * મારી ઈન્દ્રિય દિવસે-દિવસે નાની થતી જાય છે. વર્ષો પહેલાં એની લંબાઈ પાંચથી છ ઈંચ હતી. અત્યાર તે ફક્ત બેથી ત્રણ ઈંચ છે. આનું શું કારણ હોઈ શકે? મારા એક મિત્રને પણ આવી જ સમસ્યા છે. તો શું કરવું જોઈએ?

એક યુવક (વડોદરા)

* યોનિમાર્ગની એકચ્યુઅલ લંબાઈ ૬ ઈંચ છે. આગળના એક તૃતીયાંશ ભાગમાં જ જ્ઞાાનતંતુઓ એટલે કે સ્પર્શજ્ઞાાન છે. અંદરનો બે તૃતીયાંશ ભાગ સંવેદનારહિત છે. આપણે આના પરથી એ  અનુમાન પર આવી શકીએ કે પુરુષની ઉત્તેજિત ઈન્દ્રિયની લંબાઈ જો બે ઈંચ કે એથી વધુ હોય તો પણ ચાલે, કારણ કે જરૂર છે સ્ટ્રેંગ્થની, નહીં કે લેંગ્થની!

સૂતેલી ઈન્દ્રિયની લંબાઈ ઘણી વખત અલગ-અલગ હોઈ શકે અથવા નાની-મોટી હોઈ શકે, પણ હકીકતમાં ઈન્દ્રિયની લંબાઈ અચાનક ઘટી જવાનું કોઈ કારણ છે જ નહીં. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈનો કાન કે નાક અચાનક નાનાં થઈ ગયાં! સૂતેલી ઈન્દ્રિય  પર ધ્યાન ન આપો, કારણ કે સૂતેલી ઈન્દ્રિય માત્ર પેશાબ કરવાનું કામ કરે છે. ઈન્દ્રિય ઉત્તેજિત હોય ત્યારે વ્યક્તિ યોનિપ્રવેશ કરીને સમાગમ કરતી હોય છે.

* મેનોપૉઝ પિરિયડ ચાલુ થયા પછી કેટલા સમય સુધી સંભોગ વખતે નિરોધ વાપરવો જરૂરી ગણાય? મેનોપૉઝ ચાલુ થયા પછી ગર્ભ રહેવાની શક્યતા કેટલી?

એક યુવતી (ગોધરા)

* મેનોપૉઝ પિરિયડ ચાલુ થયા પછી કેટલા સમય સુધી સતત મહિનો ન આવે એનો અર્થ એ કે તમે મેનોપૉઝમાં આવી ગયાં છો. મેનોપૉઝમાં સ્ત્રી હૉર્મોનનું પ્રમાણ થોડું ઓછું થઈ જાય છે એટલે સંવનનની ક્રિયા (સંભોગ પહેલાંની ક્રિયા)માં થોડો સમય વધારે ગુજારવો, કારણ કે ચીકાશ પેદા થતાં થોડો સમય લાગે છે.

* મારી ઉંમર ૪૮ વર્ષની છે. મને છેલ્લાં ૮ વર્ષથી ડાયાબિટીઝ છે. મને સંભોગ કરવાની ખૂબ ઈચ્છા થાય છે,  પણ સંભોગ  નથી કરી શકતો અને પત્નીને સંતોષ નથી આપી શકતો. મારું શિશ્ન કડક થતું નથી તેમ જ શીઘ્રસ્ખલન થઈ જાય છે. કોઈ ઉપાય બતાવો કે હું સંપૂર્ણ રીતે સંભોગ માણી શકું અને પત્નીને પણ પૂર્ણ સંતોષ આપી શકું.

એક પતિ (અમદાવાદ)

* તમારી સમસ્યા એ છે કે તમને ઈચ્છા થાય છે, પણ ઈન્દ્રિયમાં જોઈએ એવું કડકપણું  નથી આવતું અને તમે જ્યારે સમાગમ કરવા જાઓ છો ત્યારે યોનિમાં પ્રવેશ કરતી વખતે અથવા કર્યા પછી તરત જ વીર્ય નીકળી જાય છે. 

એટલે ટૂંકમાં ઈન્દ્રિયમાં કડકપણાની કમજોરી સાથે તમને શીઘ્રપતનની સમસ્યા છે. સમાગમના ચાર કલાક પહેલાં ૧૦૦ મિલીગ્રામની દેશી વાયેગ્રા  સાથે ૨૦ મિલીગ્રામની ગોળી જો સમાગમના ચાર કલાક પહેલાં લેવામાં આવે તો તમારી  ઈન્દ્રિયના અયોગ્ય કડકપણાની તકલીફ દેશી વાયેગ્રાને લીધે અને શીઘ્રસ્ખલનની સમસ્યા  પૅરોક્સિટિનને કારણે દૂર થવાની સારી એવી શક્યતા છે. આ ગોળીઓ હંમેશાં તમારા  ફેમિલી ડૉક્ટરની સલાહ હેઠળ લેવી જોઈએ. જો તમે બ્લડપ્રેશરની નાઈટ્રેટયુક્ત ગોળી લેતા હો તો આ ગોળીઓ તમે ન લઈ શકો. 

- અનિતા

Tags :