મૂંઝવણ .
- હું 20 વર્ષનો યુવાન છું. મારું શિશ્ન થોડું વાકું છે અને તે ઉત્તેજિત થાય છે ત્યારે ડાબી તરફ વળી જાય છે. શું હું નોર્મલ રીતે સંભોગ કરી શકીશ કે સારવાર કરવી પડશે?
હું ૨૦ વર્ષનો યુવાન છું. મારું શિશ્ન થોડું વાકું છે અને તે ઉત્તેજિત થાય છે ત્યારે ડાબી તરફ વળી જાય છે. શું હું નોર્મલ રીતે સંભોગ કરી શકીશ કે મારે એ માટે બીજી કોઈ સારવાર કરવી પડશે?
- એક યુવાન (ગોધરા)
* મોટા ભાગના પુરુષોનું શિશ્ન સામાન્ય રીતે ડાબી તરફ ઢળેલું હોય છે. તેના વિશે કશી ચિંતા કરવાની જરૂર નથી. તમે બિલકુલ નોર્મલ રીતે સંભોગ માણી શકશો.
હું સૂરતની એક મિલમાં કામ કરું છું, મારે એ જાણવું છેે કે અઠવાડિયામાં બે કરતાં વધારે વખત સેક્સ માણવાથી શરીરની રોગપ્રતિકારકશક્તિ ઘટી જાય છે એ વાત સાચી છે? હસ્તમૈથુન માટે પણ આ વાત લાગુ પડે છે?
- એક યુવાન (સૂરત)
* ના, આ તદ્ન ખોટી વાત છે અને તેના વિશે સ્પષ્ટતા થઈ જવી જરૂરી છે. એક સંભોગ દરમિયાન વપરાતી કેલરીનું પ્રમાણ અડધો ગ્લાસ ભરેલા લીંબુ શરબતમાં રહેલી કેલરી કરતાં વધારે નથી હોતું. હસ્તમૈથુન એ સંભોેગનો જ એક પ્રકાર છે. આથી હસ્તમૈથુના સંદર્ભમાં પણ આ વાત ખોટી સાબિત થાય છે.
હું ૫૦ વરસનો બે બાળકનો પિતા છું, મારે એ જાણવું છે કે વાયેગ્રા શું છે?
- એક પુરુષ (ખંભાત)
* વાયેગ્રાને તબીબી ભાષામા ંસિલ્ડેનાફિલ સાઈટ્રેટ કહે છે. શિશ્ન સંબંધિત નબળાઈ માટેની એ મોંથી ગળવાની દવા છે. જે પુરુષોને શિશ્નોત્થાન ટકાવી રાખવામાં મુશ્કેલી પડતી હોય તેમને ટ્રીટમેન્ટના ભાગરૂપે વાયેગ્રા આપવામાં આવે છે. આ દવાને એક પ્રકારનું સેક્સ ટોનિક કહી શકાય. વાયેગ્રા શિશ્નનું ઉત્થાન કરી શકતી નથી, પણ ઉત્થાન પામેલા શિશ્નને એની એ સ્થિતિમાં લાંબો સમય સુધી ટકાવી રાખે છે. તે ૨૫,૫૦ અને ૧૦૦ મિલિગ્રામના કદમાં ઉપલબ્ધ છે. યોેગ્ય પ્રિસ્ક્રિપ્શન હોય તો જ મેડિકલ સ્ટોર્સમાં ગ્રાહકને વાયેગ્રા પ્રાપ્ત થઈ શકે છે.
સેક્સલાઈફ સુધારવા માટે તમે મારા જેવા આધેડવયના પુરુષને સલાહ આપશોે?
- એક પુરુષ (અમદાવાદ)
* સારી સેક્સલાઈફ માટે સેક્સ સંબંધિત સાચું જ્ઞાાન એ પ્રાથમિક શરત છે. પર્ફોેર્મ કરવાનું કે સાથીને પ્રતિક્રિયા આપવાનું દબાણ કદી ન અનુભવવું. તમારા પોતાના અને પાર્ટનરના શરીરનો પૂરતોે પરિચય કેળવો. શું પસંદ છે અને શું નાપસંદ છે એ વિશે વાતચીત કરતા રહો. તંદુરસ્ત અને બંને માટે સંતોષકારક હોય એવી સેક્સલાઈફ માટે પર્યાપ્ત કોમ્યુનિકેશન અત્યંત આવશ્યક છે. એકધારાપણાથી બચો. વૈવિધ્ય લાવો અને નવી નવી મુદ્રાઓ અજમાવો. ફોરપ્લે આફ્ટરપ્લે (સંભોગ પહેલાંની અને પછીની પ્રેમચેષ્ટાઓ) માટે પૂરતો સમય ફાળવો.
ધૂમ્રપાન અને શરાબનું સેવન ટાળો. માનસિક તાણથી બચો. શરીરનું યોગ્ય વજન, સંતુલિત આહાર, નિયમિત કસરત અને યોગ બહેતર સેક્સલાઈફ માટે અનિવાર્ય છે. જે બાબતો સમગ્ર શરીર માટે સારી છે. એ સેક્સ માટે પણ સારી છે.
હું ૪૬ વર્ષનો પુરુષ છું અને શિશ્નોત્થાનની સમસ્યાનો સામનો કરી રહ્યો છું. હુ ંજાણું છું ત્યાં સુધી પાપાવેરાઈન દવા લેવાથી પ્રાયાપિઝમની બીમારી થઈ શકે છે. પરંતુ શું ડોક્ટરની સલાહ લીધા વગર તેમાંથી છૂટકારો મેળવી શકાય? ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેનું ઈન્જેક્શન લઈ શકાય? તે સ્નાયુની અંદર લેવામાં આવે છે કે નસો મારફત લઈ શકાય?
એક ભાઈ (નડિયાદ)
* પ્રાયાપિઝમની બીમારીમાંથી કોઈક નિષ્ણાત સર્જ્યન કે ડોેક્ટરની સલાહથી જ મુક્ત થઈ શકાય. જાતે જ સારવાર લેવાની જરૂર નથી. શિશ્નોત્થાનની ગુણવત્તા અને તેને પૂરતું ટકાવી રાખવા માટે દવાના ડોઝનું પ્રમાણ પણ માત્ર નિષ્ણાત ડોક્ટરે જ નક્કી કરેલું હોવું જોઈએ. પાપાવેરાઈન દવા પ્રિસ્ક્રિપ્શન વગર ન લઈ શકાય અને તેનું ઈન્જેક્શન શિશ્નની અંદર લેવામાં આવે છે. તે એક સારો વિકલ્પ છે. જોકે તે ખૂબ જ મોેંઘી સારવાર છે.
શિશ્નોત્થાનની સમસ્યા માટે હું છેલ્લા આઠ વરસથી દવાઓ લઉં છું. વાયેગ્રાથી નપુંસકતા મટી શકશે? જો નપુંસકતા દૂર થઈ શકે તો તે કેટલા પ્રમાણમાં લેવી જોઈએ? ઉપરાંત એનાથી કોઈ આડઅસર થાય છે?
- એક યુવક (જામનગર)
* કામેચ્છાની બાબતમાં વાયેગ્રા કશી મદદરૂપ થઈ શકે તેમ નથી. ઉપરાંત તેનાથી શિશ્નોત્થાન થતું નથી કે પરાકાષ્ઠા અનુભવી શકાતી નથી. તે માત્ર ઉત્તેજિત થયેલા શિશ્નને ટકાવવામાં મદદરૂપ બને છે. તમને જો કામેચ્છા થાય અને થોડુંક શિશ્નોત્થાન થાય તો આ દવા તે વધારવામાં મદદરૂપ બની શકે. આ દવા સંભોગના એક કલાક પહેલાં લેવી જોઈએ. અને ભોેજનમાં વધુ પડતા તૈલી પદાર્થો ન લેવા જોઈએ. તેનાથી દવા જલદીથી પચતી નથી. આ દવાની આડઅસરોમાં માથાનો દુખાવો, જોવાની શક્તિમાં અવરોધ અને અપચો વગેરેનો સમાવેશ થાય છે. તમે જો નાઈટ્રેસ લેતા હો અથવા તમને હાઈ બ્લડપ્રેશર હોય તો ક્યારેય વાયેગ્રા લેશો નહીં. ઉપરાંત તમને જો હૃદયની કોઈક બીમારી હોય તો આ દવા લેવામાં ખૂબ કાળજી રાખજો. આ દવા માત્ર થોડાક કિસ્સાઓમાં ઉપયોગી નીવડતી હોવાથી તે કોઈક ડોક્ટરની દેખરેખ હેઠળ લેવી વધારે સારી છે.
- અનિતા