મૂંઝવણ .
- મારી સમસ્યા એ છે કે હું ખૂબ જ કામુક છું જ્યારે મારા પતિ તે બાબતે ખૂબ ઉદાસીન રહે છે. અને પડખું ફરીને ઊંઘી જાય છે. હકીકતમાં તેઓ ઓફિસથી એટલા થાકેલા આવે છે કે પથારીમાં પડતાં જ ઊંઘી જાય છે.
* હું ૧ વર્ષથી એક છોકરાને પ્રેમ કરું છું. અમે કેટલીય વાર શારીરિક સંબંધ પણ બાંધ્યા છે. હવે મારાં લગ્ન બીજા છોકરા સાથે થવાનાં છે. મને ડર છે કે મારા થનારા પતિને પ્રથમ સમાગમમાં રક્તસ્ત્રાવ ન થતા ખબર પડી જશે કે લગ્ન પહેલાં મારા કોઈની સાથે સંબંધ રહ્યા છે. હવે હું શું કરું, વિચારીવિચારીને થાકી ગઈ છું. ઘરમાં કોઈની સાથે આ બાબતે હું વાત નથી કરી શકતી. શું લગ્ન માટે ના પાડી દઉં?
એક યુવતી (મુંબઈ)
* લગ્નપૂર્વેના અનૈતિક સંબંધ ભવિષ્ય માટે ચિંતાનું કારણ બને જ છે. તેથી લગ્નપૂર્વે તેનાથી બચવું જોઈએ. જોકે તમે આ ભૂલ કરી ચૂક્યા છો, તેથી તમારી ચિંતા પણ વાજબી છે. પરંતુ લગ્ન કરવાની ના પાડવી એ તેનો ઉકેલ નથી. તેથી લગ્ન કરી લો. પતિને તમારા આ સંબંધો બાબતે ક્યારેય કંઈ ન કહો.
* હું ૨૭ વર્ષની યુવતી છું. ઘરમાં મારા સંબંધની વાત ચાલી રહી છે. મેં મારી મમ્મીને મારી પસંદના છોકરા વિશે જણાવ્યું જેને હું છેલ્લાં ૪ વર્ષથી પ્રેમ કરું છું. તે સાંભળતાં જ મમ્મી ગુસ્સે થઈ ગઈ. જન્મકુંડળી, જાતિ-સમાજ વગેરેની દુહાઈ આપીને મને હેરાન કરવા લાગી. તેણે મને ધમકાવી છે કે આ વાત પપ્પાના કાન સુધી ન પહોંચવી જોઈએ. હું મમ્મીને ખૂબ પ્રેમ કરું છું. તે પણ મને ખૂબ પ્રેમ કરે છે પણ તેનું રૌદ્ર રૂપ જોઈને હું ડરી ગઈ છું. ઘરમાં બીજું કોઈ નથી એવું, જે મારી મદદ કરે. બોલો હું શું કરું?
એક યુવતી (સુરત)
* કહેવા ખાતર આજે સમાજ ખૂબ પ્રગતિશીલ છે, આંતરજ્ઞાાતીય લગ્ન સામાન્ય થઈ ગયા છે. હજી પણ કેટલાક પરિવારમાં જન્મકુંડળી, જ્ઞાાતિ-સમાજ વગેરે અંધશ્રધ્ધાને વ્યક્તિના ગુણથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આ પ્રકારના લોકો પોતાના જુનવાણી વિચારો પ્રત્યે હજી પણ કટ્ટર છે. તમારો પરિવાર પણ આ જ શ્રેણીમાં આવે છે. તમે તમારી મમ્મી સાથે તમારા દિલની વાત કહીને સારું કર્યું. એકવાર હિંમત કરીને તેમને કહો કે તમે તે છોકરા સાથે લગ્ન કરીને સુખી રહેશો. તેઓ તમારા પિતા સાથે આ બાબતે વાત કરે. જો તેઓ કોઈપણ રીતે તૈયાર ન થાય અને તમે તેમની વિરુદ્ધ જવા નથી ઈચ્છતા તો તમારા પ્રેમીને ભુલાવીને મમ્મીપપ્પા દ્વારા પ્રસ્તાવિત વર સાથે લગ્ન કરવાનું વિચારી લો. નકામી ચિંતા ન કરો.
* હું ૨૨ વર્ષની પરિણીત યુવતી અને ૨ બાળકોની મા છું. હું મારા પતિના એક મિત્રને પ્રેમ કરું છું. અમારા બંને વચ્ચે અનૈતિક સંબંધ પણ છે. મને મારા પતિ સાથે સહવાસમાં તે સુખની અનુભૂતિ નથી થતી, જે મારા પ્રેમી પાસેથી મેળવું છું. મન થાય છે કે તેની સાથે રહું, પરંતુ પતિને પણ નથી છોડવા ઈચ્છતી. જો મારા પ્રેમીને તેને છોડવાની વાત કરું તો તે કંઈક આડુંઅવળું કરવાની વાત કરીને ડરાવી દે છે. કૃપા કરીને કહો કે હું શું કરું?
એક બહેન (વડોદરા)
* તમે માત્ર પરિણીતા જ નથી, ૨ બાળકોની માતા પણ છો. તેથી તમને આ પ્રકારની સ્વચ્છંદતા શોભતી નથી. પતિ સાથે સમાજમાં તમારું એક માન છે અને તેને દાવ પર લગાવીને તમે કોઈ બીજા સાથે સંબંધ બાંધીને તમારી બરબાદી નોતરી રહ્યા છો. આ પ્રકારનો વ્યભિચાર વધારે દિવસો સુધી છુપાતો નથી. વહેલામોડા પ્રકાશમાં આવે જ છે. એવું થતા તમારી શું હાલત થશે. તમે જાતે અંદાજ લગાવી શકો છો. વધારે યોગ્ય એ રહેશે કે, તમે આ વાત પર અહીં જ પૂર્ણવિરામ મૂકી દઈને તમારા પતિ અને બાળકો પર ધ્યાન આપો.
* હું ૨૪ વર્ષની પરિણીત છું. મારી સમસ્યા એ છે કે હું ખૂબ જ કામુક છું જ્યારે મારા પતિ તે બાબતે ખૂબ ઉદાસીન રહે છે. હું રાત્રે જલદીથી ઘરનું કામ પતાવીને ઉત્સાહિત થઈને બેડરૂમમાં પ્રવેશ કરું છું. મારું મન હિલોળા લઈ રહ્યું હોય છે અને પતિ પડખું ફરીને ઊંઘી જાય છે. હકીકતમાં તેઓ ઓફિસથી એટલા થાકેલા આવે છે કે પથારીમાં પડતાં જ ઊંઘી જાય છે. તે જોઈને હું વિચલિત થઈ જાઉં છું. કૃપા કરી જણાવો કે એવું શું કરું કે પતિ મારી સાથે નિયમિત સહવાસ કરે?
એક બહેન (ભાવનગર)
* પહેલાં તો એ જાણવાનો પ્રયત્ન કરો કે પતિની ઉદાસીનતાનું કારણ માત્ર વ્યસ્તતા જ છે કે પછી બીજું કંઈક. જો વ્યસ્તતાના લીધે જ તમને સમય નથી આપી શકતા તો તેમની પર પારિવારિક જવાબદારીઓ ન નાખો. તેનાથી તેમને મુક્ત રાખો અને ત્યારે જેટલો પણ સમય બંને સાથે હોય તેને ભરપૂર જીવો. ક્વોલિટી ટાઈમને મહત્ત્વ આપો. જો પતિ સેક્સ પ્રત્યે કંઈક વધારે જ ઉદાસીન છે તો શક્ય છે કે તેમને સેક્સને લઈને કોઈ ગૂંગળામણ કે અજ્ઞાાનતા હોય. આ સ્થિતિમાં કોઈ યૌનનિષ્ણાતની સલાહ લો.
* હું અપરિણીત યુવતી છું. ટૂંક સમયમાં જ લગ્ન થવાનાં છે. મારી સમસ્યા એ છે કે મારા વક્ષસ્થળ વધારે વિકસિત નથી. મારી સાહેલીઓ મારી મજાક ઉડાવે છે કે મારો થનારો પતિ મારાથી ખુશ નહીં રહે. હું વિચારીવિચારીને પરેશાન છું કે શું હું ખરેખર પતિને યૌન સુખ નહીં આપી શકું? શું સાહેલીઓની વાત સાચી છે?
એક યુવતી (અમદાવાદ)
* શારીરિક સંરચના સામાન્ય રીતે આનુવંશિક હોય છે. અર્થાત્ તમારી શારીરિક બનાવટ તમારી મમ્મી જેવી હશે. ઘણીવાર લગ્ન પછી પણ વક્ષસ્થળ આકાર લે છે, જ્યાં સુધી પતિને યૌનસુખ આપવાની વાત છે, તો તે માટે વક્ષસ્થળના ઉભારનું મહત્ત્વ એટલું નથી. તેથી સાહેલીઓની નકામી વાતો સાંભળીને પરેશાન ન થઈને ભાવિ જીવનના સુખદ સપનાં જુઓ.
- અનિતા