Get The App

જાતીય સંબંધમાં પરાકાષ્ઠાની સમસ્યા .

Updated: Feb 5th, 2024

GS TEAM

Google News
Google News
જાતીય સંબંધમાં પરાકાષ્ઠાની સમસ્યા                            . 1 - image


- ખરેખર સેક્સ માનસિક ઇચ્છા છે. જ્યાં સુધી બંને તે માટે તૈયાર ન હોય ત્યાં સુધી આ ક્રિયામાં આનંદ આવતો નથી. વળી, પતિ દ્વારા પ્રતિદિન સમાગમની માગણીને લીધે પત્ની પણ ધુંધવાયેલી રહે છે. 

દામ્પત્યજીવનમાં એક એવું તથ્ય છે, જેના પ્રત્યે આંખ આડા કાન કરી શકાય એમ નથી. દામ્પત્યજીવનને મધુર તથા દ્રઢ બનાવવામાં જાતીય સંબંધોનું યોગદાન ખૂબ મહત્ત્વધરાવે છે. જો કે એનો અર્થ એવો નથી કે તેમાં ભાવનાત્મક, સંવેદનાત્મક તથા માનવીય પાસાંનું મહત્ત્વ નથી. દામ્પત્યજીવનમાં પતિપત્ની કેટલી વાર સમાગમ માણે છે, તેના પરથી સેક્સના મહત્ત્વનું મૂલ્યાંકન થઈ શકે નહીં. તેઓ આ કાર્ય કઈ રીતે સંપાદિત કરે છે, તેના પરથી મુખ્યત્વે તેનું મૂલ્યાંકન થાય છે.

સેક્સ વિશે રમેશ તથા નીલાના સ્વભાવ અને વિચાર સાવ ભિન્ન છે. રમેશ માને છે કે પત્ની પોતાની વસ્તુ હોવાથી જ્યારે ઇચ્છા થાય ત્યારે એ ઉપલબ્ધ હોવી જોઈએ. પત્નીએ પણ સમાગમ દરમિયાન પૂરતો સહયોગ આપવો જોઈએ.

નીલાનું માનવું છે કે હવે બાળકો થઈ ગયાં છે, પોતે પ્રૌઢ વયનાં થયાં છે છતાં કાયમ 'એ જ કામ' કર્યા કરવું યોગ્ય છે? વળી પત્ની તો પતિની સાથે અને પતિ માટે કાયમ હોય જ છે. તેના માટે આટલી ઉતાવળ દાખવવાની શી જરૂર?

ખરેખર સેક્સ માનસિક ઇચ્છા છે. જ્યાં સુધી બંને તે માટે તૈયાર ન હોય ત્યાં સુધી આ ક્રિયામાં આનંદ આવતો નથી. વળી, પતિ દ્વારા પ્રતિદિન સમાગમની માગણીને લીધે પત્ની પણ ધુંધવાયેલી રહે છે.

કેટલીક વાર દામ્પત્યજીવન કટુ બનવાને કારણે પણ શારીરિક સંબંધોમાં અરુચિ ઉત્પન્ન થાય છે. પતિપત્ની એકબીજા સાથે વ્યવહારિક સુમેળ સાધી નથી શકતા ત્યારે તેઓ માનસિક રૂપે પણ એકાત્મભાવ દાખવી શકતાં નથી. આવી સ્થિતિમાં શારીરિક સંબંધ બાંધવાનું મનને ગમતું નથી.

ઘણાં દંપતી સમાગમ એટલે વધુમાં વધુ શારીરિક સંબંધ બાંધવો, એમ માને છે. જો કે સર્વેક્ષણ દ્વારા જાણવા મળ્યું છે કે વધુ વખત સમાગમ કરનાર દંપતી કરતાં એવાં દંપતી જે સમાગમની ક્રિયા ઓછી વાર છતાં સંપૂર્ણપણે ભોગવે છે, તે વધારે સંતુષ્ટ હોય છે તેઓ પરાકાષ્ઠાનો આનંદ પણ અનુભવે છે.

અલબત્ત, લગ્નનો મુખ્ય આધાર સેક્સ છે, પરંતુ જો બંને પક્ષ આનંદિત ન હોય બંનેને પૂર્ણ સંતુષ્ટિ ન મળતી હોય તો દિનચર્યાની માફક સમાગમ કરવાનું નિરર્થક બની જાય છે. પતિપત્ની બંને સમાગમ માટે ઉત્સુક હોય, બંનેને આનંદ મળતો હોય અને મનોયોગથી તે કરતાં હોય ત્યારે જ એમને સેક્સનો ભરપૂર આનંદ મળે છે, નહીંતર આ કાર્ય માત્ર એક બોજ સમાન લાગે છે.

પૂરતી સંવેદના તથા સમર્પણભરી ભાવના હોય તો દામ્પત્યજીવનમાં સુખદ સેક્સ ન હોવા છતાં દામ્પત્યસંબંધો સારી રીતે જળવાઈ રહે છે. જો પતિપત્ની વચ્ચે મનમેળ ન હોય, પરસ્પર અણબનાવ, કલેશ તથા તાણ હોય ત્યારે પણ વૈવાહિક જીવન જાતીય સંબંધોને લીધે મધુર બની શકતું નથી. આમાં માત્ર શારીરિક સંપર્ક જ નથી, માનસિક ઐક્ય પણ છે. પતિપત્ની વચ્ચે મનમેળ હોય તો શારીરિક મેળ આપોઆપ સઘાય છે, જ્યારે મનમેળ ન હોય ત્યારે સમાગમ એક એવો લાચાર બનાવી દેતો બોજ બની જાય છે જે કાં તો નિભાવવો પડે છે અથવા માત્ર એકતરફી જબરદસ્તીને કારણે બળાત્કારનું રૂપ ધારણ કરી નાખી બંનેના મનમાં અંતર ઉત્પન્ન કરે છે.

એક સેક્સ મનોવૈજ્ઞાાનિકના અભિપ્રાય મુજબ જ્યારે જાતીય સંબંધ માત્ર એક બોજારૂપ લાગે તથા મધુર ક્ષણોથી પણ માનસિક તાણ ઉત્પન્ન થાય ત્યારે દામ્પત્યજીવન સંકટમાં છે, એમ સમજી જવું જોઈએ. સામાન્ય લોકોનાં જીવનમાં સેક્સની સમસ્યા મૂળભૂત રીતે શારીરિક નહીં, માનસિક હોય છે. મન સ્વયં સમર્પણ માટે સુસજ્જ થઈ શકતું નથી અને પરિણામે શરીર નિષ્ક્રિય, શિથિલ અને ઉત્તેજનારહિત રહે છે. આવી સ્થિતિમાં સમાગમ બળાત્કારનો પર્યાય બની જાય છે. પરિણામે 'મને કેમ કોઈ સમજતું નથી?' એવી ફરિયાદ મનને ચીરી નાખે છે. મનની કોમળ ભાવનાઓ જબરદસ્તીને સહન કરી શકતી નથી. તેના લીધે જીવનસાથી પ્રત્યે મનમાં વિદ્રોહ પણ હોય છે.

લગ્ન પછી ૮-૧૦ વર્ષ વીતી જાય ત્યારે કેટલાંક દંપતીઓમાં ક્યારેક બાળકોને કારણે તો ક્યારેક થાકને લીધે, સેક્સ સંબંધી નાનીમોટી સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે. પત્ની ઘરની તમામ જવાબદારીઓ તો યેનકેન પ્રકારે નીભાવી લે છે, પરંતુ પતિ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરતી વખતે પીછેહઠ કરે છે ત્યારે તેમની સેક્સ સમસ્યાનું કારણ ખરેખર તો પારસ્પરિક સંબંધોની સમસ્યાનું જ બને છે. તેમના ભાવનાત્મક સંબંધોમાં કટુતા તથા તાણ ઉત્પન્ન થવાને લીધે જ જાતીય સંબંધ પણ પ્રભાવિત થાય છે આથી જ્યાં સુધી આપસી સંબંધોમાં પરિવર્તન ન આવે, ત્યાં સુધી વિશ્વાસ, સામંજસ્ય, પ્રેમ અને સૌહાર્દમાંથી ઉત્પન્ન થતાં જાતીય સંબંધ પણ બોજરૂપ બની જાય છે અને તે ક્રિયા અનિચ્છાએ થતી હોય છે. ઘણી વાર દંપતી તાણ અનુભવતાં હોય, કલેશ થયો હોય, મન ન હોય કે આવું વર્તન કરવાનું યોગ્ય ન લાગતું હોય વગેરે.

Tags :