Get The App

વરસાદમાં જીવાતને ઘરમાં ઘૂસવા ન દેશો

Updated: Jul 10th, 2018

GS TEAM

Google News
Google News
વરસાદમાં જીવાતને ઘરમાં ઘૂસવા ન દેશો 1 - image

ચોમાસાની ઋતુમાં  ઘરમાં  કીડામકોડા કે વંદા, ઊધઈ, માખી, કંસારી, કીડીઓ વગેરેનોે ત્રાસ ખૂબ વધી જાય છે. ખાસ કરીને એવા ઘરોમાં તે વધારો  જોવા મળે છે, જ્યાં નિયમિત રીતે બરાબર સાફસફાઈ  થતી નથી. ભેજ અંધારી જગ્યા, ગંદકી વગેરે તેના મુખ્ય સ્થાન  હોય છે.  આ કીડોમકોડાાથી માત્ર મુશ્કેલી જ નથી પડતી, તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે. તેથી જો તમે આ વખતે વરસાદની મજા માણવા માંગતા  હોય અને ઘરમાં કીડામકોડાથી  છૂટકારો મેળવવા માંગતા  હોતો  અહીં આપેલી ટિપ્સ  અપનાવવાથી તમને ઘણી બધી મુશ્કેલીઓમાંથી  રાહત મળી શકે છે.

વંદા :
આમ તો વંદા દરેક  સીઝનમાં ઘરમાં થઈ જાય છે, પરંતુ   વરસાદની સીઝનમાં  તેનો ત્રાસ ખૂબ જોવા મળે  છે. તેનો અટકાવ  યોેગ્ય રીતે કરવામાં ન આવે તો ટીબી, કોલેરા, ડિસેન્ટ્રી, ટાઈફોઈડ, અસ્થમા વગેરે  બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે, એટલે તેનાથી બચવા માટે નાળાની આજુબાજુ  અંધારી  જગ્યાઓ વગેરેમાં તેને ખતમ કરવા માટે અસરકારક સ્પ્રેનો  છંટકાવ  ચોેક્કસ કરવો જોઈએ.

કચરાના ડબ્બાની આજુબાજુ રાતના સમયે સ્પ્રે ચોેક્કસ કરો.
કિચનમાં  સિંકમાં અને વોશબેસિનની  નીકમાં ૨-૩ ફિનાઈલની ગોળીઓ નાખવામાં આવે તો વંદા અને અન્ય કીડામકોડા  જે ઝડપથી  ગટરમાં  આવી જાય છે, તે નહીં આવે. મિક્સર અને વિજળીના  ઉપકરણોના મોટરવાળા ભાગમાં વંદા પોતાનુતં ઘર ન બનાવે તે માટે સ્ક્રૂ ખોલીને તેમાં ૧-૨ નેપ્થેલીનની ગોળીઓ  ચોક્કસ  મૂકી દો.
આ  સિવાય વંદાથી  મુક્તિ મેળવવા માટે બોરિક એસિડ પાઉડરમાં  સરખા ભાગે દેશી કપડાં ધોવાનો સાબુ ભૂકો  કરીને  મેળવો અને તેની ગોળીઓ બનાવીને વાસણના  રેક,   ચોખા વગેરેના ડબ્બાની આસપાસ મૂકી  દો. વંદા ભાગી જશે.  માઈક્રોવેવ ઓએવન, ઈલેક્ટ્રોનિક ઓવન વગેરેની પાછળ ગોળીઓને ભીની કરીને ચોંટાડી દો.

કીડીઓ  :
લાલ અને કાળી કીડીઓ ચોમાસામાં ખૂબ આતંક ફેલાવે છે. તે માત્ર ગળી ચીજવસ્તુમાં જ નથી થતી. લોટ, રોટલી  વગેરેમાં પણ થઈ જાય  છે., જો તે ખાદ્યસામગ્રીમાં થઈ જાય તો તેને કાઢવી મુશ્કેલ બની જાય છે. લાલ  કીડી ચટકો ભરે તો શરીર પર લાલ ચકામા અને ઢીમચા પણ થઈ  જાય છે.  તેમાં બળતરાં પણ થવા લાગે છે.

આ  માટે  જરૃરી  નથી કે કિચનના શેલ્ફ કે જમીન પર  જો કોઈ ખાદ્યસામગ્રી ઢોળાઈ હોય તો તેને તરત જ સાફ કરી નાખો.  સફાઈનું પૂરતું ધ્યાન રાખો. આ સિવાય જ્યાં કીડીઓ થઈ જાય ત્યાં ક્રેઝી લાઈન કે લક્ષ્મણરેખાથી સર્કલ બનાવી દો. કીડીઓ મરી જશે.  આ સિવાય  તેના દર ઉપર પણ નજર રાખો.  તેના  પર ક્રેઝી લાઈનનો પાઉડર છાંટો અથવા તેને સિમેન્ટથી બંધ કરાવી દો.

બોરેક્સ પાઉડરમાં  હળદર ઉમેરીને કીડીઓ નીકળવાની જગ્યાએ નાખવાથી પણ ફાયદો થશે. કાળી કીડીઓ કિચનમાં ન આવે તે માટે  બારી પર ગંધકનો એક ટુકડો મૂકી દો. જ્યાં લોટ, ખાંડ, શરબત વગેરે રાખતા હો તે શેલ્ફ પર લક્ષ્મણરેખાથી લાઈન્સ બનાવો, પછી સામાન મૂકો. કીડીઓ આસપાસ પણ નહીં ફરકે.

ઊધઈ અને કંસારી :
વરસાદની ઋતુમાં  ઊધઈ  લાકડાની ચીજો, કબાટો, કપડાં, કાગળ વગેરે જેવી તમામ વસ્તુઓનો નાશ કરી દે   છે. ભેજવાળી જગ્યાએ તેનો જન્મ થાય છે. તેનાથી બચવા માટે ભેજવાળી  જગ્યાએથી  ભેજ દૂર કરાવો.  કપડાં અને કાગળને તડકો આપો. કોઈપણ ચીજ જ્યારે એક જગ્યાએ લાંબો સમય સુધી પડી રહે છે ત્યારે  તેમાં ઊધઈ થવાની શક્યતાઓ વધી જાય  છે.

બજારમાં  ઊધઈ મારવાની દવાઓ  ઉપલબ્ધ છે. તેને   ઈન્જેક્શન  જેવી  સિરિંજમાં ભરીને ઊધઈ થયાની જગ્યાએ નાખવામાં  આવે  છે. પુસ્તકો અને કાગળોમાં લીમડાના સુકાયેલા પાંદડા અને  ડાળખીઓ રાખો. તેનાથી ફાયદો થશે.  કપડાંને  તરત જ ધોઈને સારી રીતે  સૂકવો.  લાકડાના કબાટમાં ઊધઈ થઈ ગઈ હોય કે ભેજ  આવ્યો  હોય તો ૧ ડબો ચૂનો ભભરાવી દો, ઊધઈ નહીં આવે અને  ચૂનો ભેજને શોષી લેશે.
કંસારી પણ કપડાં, પુસ્તકો વગેરેને ખાસ્સું નુકસાન પહોંચાડે  છે. તેનાથી  બચવા માટે બોરેક્સ કે ગંધકનો છંટકાવ કરવો  જોઈએ.

માખીઓ અને  મચ્છર :   
માખીઓ અને  મચ્છર નો આતંક સૌથી વધારે  ચોમાસાની સીઝનમાં  થાય છે. તે બંને રોગોના સંવાહક  છે. માખીઓથી   કોલેરા, તાવ, મરડો, ટાઈફોઈડ વગેરે જેવા રોગો થઈ જાય છે અને મચ્છરોથી મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગ થઈ શકે છે.

આ બંનેથી બચવા માટે ઘરની બહારની સાફસફાઈ પર ખાસ ધ્યાન  આપવું જોઈએ. કચરાને  બંધ ઢાંકણાવાળા ડબ્બામાં  જ નાખો.  જ્યાં માખી મચ્છર થતા  હોય ત્યાં ડી.ડી.ટી.નો  છંટકાવ કરાવતા રહેવો જોઈએ અને  ઘરના ફિનાઈલ નાખીને પોતું કરાવવું  જોઈએ.

મચ્છરોથી બચવા  માટે નાનકડી ડુંગળી પર લોબાનનું તેલ લગાવીનં તેને  રૃમમાં  લટકાવી દો. વીજળીથી ચાલતા મચ્છર ભગાડવાના  મશીન કે પછી વીજળી વગરની મચ્છર ભગાડવાની કોઈલનો  પણ ઉપયોગ કરી શકો. રાત્રે સૂતાં  પહેલાં  મચ્છર મારવાની દવાનો સ્પ્રે કરો. જાળીના દરવાજા  બંધ રાખો.  જે  દિવસે  ઘરમાં વીજળી ન હોય ત્યારે લીમડાના પાંદડાં, કપૂર, લોબાન  વગેરેના ધૂપ  કરો.  મચ્છર અને માખી બંનમે ભાગી જશે.

કિચનમાંથી  માખી  અને  મચ્છર ભગાડવા માટે  ૧ ચમચી  કોફી પાઉડર ને તવા પર બાળીને ધૂણી કરકો. ડાઈનિંગ  ટેબલ પરથી માખીમચ્છર દૂર કરવા માટે ટેબલની વચ્ચે  ફૂદીનાની  તાજી ઝૂડી મૂકો.   ફરસને ફટકડી અને ફિનાઈલના પાણીથી સાફ કરો. તેનાથી  ફરસ ઉપર માખીઓ નહીં બેસે. આ ઉપરાંત ઘરમાં  કૂલરનું  પાણી દરરોજ સાફ કરો અને તેમાં  થોડું કેરોસીન નાખો જેથી ડેન્ગ્યુના મચ્છર ન થાય. આ સિવાય એક સ્પંજના ટુકડાને  ગરમ પાણીમાં પલાળીને નિચોવો અને તેના પર  લેવેન્ડા એસેન્શિયલ ઓઈલના કેટલાંક ટીપાં પાડી રૃમમાં  લટકાવી દો, માખી અને મચ્છર દૂર રહેશે.

ગરોળી :
ઘરની દીવાલો, ફોટોફ્રેમની પાછળ, દરવાજાની સાઈડમાં  રૃમની છત પર ઘણીવાર ગરોળીઓ જોવા મળે છે. તેના નાના નાનાં  બચ્ચા પણ આમતેમ  ફરતા જોવા મળે છે. ગરોેળી જો ખોરાકમાં પડી જાય તો ખોરાક ઝેરીલોે  બની શકે  છે.  એટલે તેનાથી બચવા  માટે  દીવાલોને  એકદમ ચોખ્ખી રાખો. તસવીરો  ઓછી લગાવો. જો  તેમને   મારી કાઢવી હોય તો પહેલા તેના પર સ્પ્રે કરો. પછી સળીવાળા  સાવરણાથી તેને મારીને  બહાર ફેંકી દો. ગરોળીને દૂર રાખવા માટે ઘરમાં મોરપીંછ રાખવાથી પણ ફાયદો થાય છે.

કરોળિયા :   વરસાદની  ઋતુમાં  કરોળિયા પણ રૃમની  દીવાલોના ખૂણામાં  જાળા બનાવી લે છે. ટેબલના  ડ્રોઅર અને કપબોર્ડમાં પણ કરોળિયા  જોઈ શકાય છે. કરોેળિયા છત ઉપર જાળા ન બનાવે તે માટે એક કપડાંને  કેરોસીનમાં બોળીને સાવરણી  પર લપેટી છત પર ફેરવી  દો.  કરોળિયા  જાળા નહીં બનાવે. સામાન કાઢ્યા  પછી ટેબલના ડ્રોઅર, કપબોર્ડ વગેરેમાં પણ કેરોસીનવાળું કપડું ફેરો. થોડીવારમાં  જ્યારે કેરોસીનની ગંધ દૂર થઈ જાય ત્યારે સામાન મૂકી દો.

ઉંદર :  
ઉંદર દરેક સીઝનમાં આતંક મચાવતાં હોય  છે.  અને તે પ્લેગ જેવી બીમારીના વાહક પણ   છે. તેનાથી બચવા માટે એક તોે ઉંદર મારવાની દવા જગ્યાએ જગ્યાએ રાખવી જોઈએ.બીજુ ંતેને પૂરવા માટે પિંજરાનો  ઉપયોગ કરવો જોઈએ. તેને પિંજરામાં  પૂર્યા પછી તેના પર ગરમ પાણી નાખો, જેથી તેના પગ કામ ન કરે, પછી તેને બહાર ફેંકી દો. આ સિવાય પુસ્તકોના  રેક, કપડાંની તિજોરીમાં  નેપ્થેલીન બોલ્સ રાખો, જેને ખાઈને ઉંદર ભાગી જશે.

માંકડ રેડ બગ્સ  :
માંકડ લાકડાના પલંગ, સોફા, તિજોરી,  ફર્નિચર, તસવીરોની ફ્રેમ, ગાદલા, કપડાં તથા દીવાલોની તિરાડોમાં કે કાણામાં  મળી આવે છે. તેના ઉપાય માટે કપડાં ફોટોફ્રેમ  વગેરેને તડકામાં રાખો.  પલંગના  ખાનામાં  ઊકળતું પાણી રેડો.  જીવજંતુ મારતી દવાનો સ્પ્રે ફર્નિચર પર કરો.  કેરોસીન પણ નાખી શકાય. ગંધક બાળીને તેનો ધૂમાડો રૃમમાં કરો. ગેમેક્સીન પાઉડર   છાંટવાથી પણ માંકડ મરી જાય છે.

રેડ  બગ્સ મોટે ભાગે રસોડામાં  જોવા મળે છે. તેના પર બોરેક્સ પાઉડર  છાંટશો તો તે નહીં આવે.
આ  ઉપરાંત ઘરમાં અન્ય પણ નાના મોટા  જીવજંતુઓ  હોય છે, જેને તમે દવા છાંટીને કે  ઘરેલું ઉપચાર દ્વારા દૂર કરી  શકો છો. જેમ કે  ચોમાસામાં નાની નાની  જીવાત ગાદલામાં  ઘૂસીને રાતના સમયે હેરાન કરે છે. તેવામાં જો ગાદલાની નીચે કાળાં મરી મૂકવામાં આવે તો જીવાત હેરાન નહીં કરે.ઉપર જણાવેલી  ટિપ્સ અપનાવીને વરસાદમાં  પડતી મુશ્કેલીઓથી બચો અને ઝરમર વરસાદની  મજા માણો.

Tags :