અનેક રોગોમાં ફાયદાકારક કોથમીરનું પાણી
લીલીછમ કોથમીરનું પાણી અનેક રોગોમાં રાહત આપનારું છે. સામાન્ય બીમારીઓ જેવી કે, પીએમએસ, એસિડિટી, થાઇરોડ, ગરમીથી થનારા માઇગ્રેન, અડધી રાતના પરસેવા થવા અને પિત્ત સાથે જોડાયેલી સમસ્યાઓમાં ફાયદો કરે છે. નિયમિત લેવાતી દવાઓની સાથેસાથે કોથમીરનું પાણીપીવાનું શરૂ કરવાથી રાહત આપે છે.
એક ટોપમાં થોડું પાણી ભરી તેમાં ધોયેલી કોથમીર ઉમેરી ઉકાળવું પાણી થોડું બળી જાયઅને પાણીનો રંગ બદલાઇ જવા લાગે તો ચૂલાપરથી નીચે ઉતારી લેવું. ઠંડુ પડે પછી એક બોટલમાં ગાળીને ભરી લેવું અને જરૂરપડે ત્યારે તેનો ઉપયોગ કરવો.
પાચનતંત્ર
પાચનતંત્ર માટે કોથમીરનું પાણી ફાયદાકારક છે. પાણી ઉકાળ્યું ન હોય તો કોથમીરના પાન પણ ધોઇને ચાવીને ખાઇ શકાય છે. કોથમીરમાં સમાયેલા ગુણ પેટ સંબંધી સમસ્યાઓ જેવી કે, ગેસ થવો, આંતરડામાં સોજો તેમજ અન્ય સામાન્ય તકલીફોમાં રાહત આપે છે.
વજન ઘટાડે
કોથમીરનું પાણી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. એક ગ્લાસ પાણી પીવાથી ફાયદો થાય છે.
હાઇબ્લડપ્રેશર
કોથમીરમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નીઝ અને વિવિધ પોષક તત્વો સમાયેલા હોય છે. જે હાઇબ્લડ પ્રેશરથી પીડાતી વ્યક્તિઓને ફાયદો કરે છે.
થાયરોઇડ
કોથમીરના પાનમાં એન્ટી ઓક્સીડન્ટસ ગુણ સમાયેલા હોય છે. જે થાઇરોઇડના દરદીઓ માટે લાભદાયક હોય છે. થાયરોઇડની સમસ્યામાં કોમથીરની સ્મૂધી અથવા તો પાણીનું સેવન કરવાથી ફાયદો છે.
ડાયાબિટીસ
રક્તમાં ગ્લુકોઝના સ્તરને ઓછું કરવામાં કોથમીરનું પાણી મદદ કરે છે. ડાયાબિટિસના દરદીઓએ દવાની સાથેસાથે કોથમીરના પાણીનું સેવન કરી શકે છે.
હાડકાને મજબૂત કરે
કોથમીરમાં સમાયેલા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડન્ટસ સ્વાસ્થને જરૂરી ફાયદા પહોંચાડે છે. તેના બિયામાં વિટામિન કે ભરપુર માત્રામાં સમાયેલું હોય છે. જે હાડકાને મજબૂત રાખે છે. જેથી ઓસ્ટિયોપોરોસિસ થવાનું જોખમ ઘટી જાય છે. વધતી વયે હાડકાની થતી તકલીફોથી બચવા માટે કોથમીરનું પાણી પીવું જોઇએ.
ફ્રી રેડિક્લસથી થતા નુકસાનથી બચાવે
કોથમીરમાં એન્ટીઓક્સીડન્ટસ ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. જે શરીરમાં રહેલા રેડિકલ્સને લડવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલ્સ એક લૂઝ ઓક્સીજન મોલિક્યૂલ્સ હોય છે જે શરીરને કોશિકાઓને હાનિ પહોંચાડી શકે છે. પરિણામે કેન્સર, હૃદય રોગ સહિત અન્ય ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. એન્ટી ઓક્સીડન્ટસ શરીરના ફ્રી રેડિકલ્સને દૂર કરવાનું કામ કરે છે. જેતી કેન્સર થવાનું જોખમ ઓછું થઇ જાય છે.
ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ કરે
કોથમીરમાં વિટામિન સી પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. વિટામિન સીના સેવનથી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. આર્યન અવશોષણમાં પણ વિટામિન સી સહાયક છે. વિટામિન સી શરીર પરના ઘાને ભરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથેસાથે કોલેજનનું નિર્માણ પણ વધારે છે જેથી ત્વચા સ્વસ્થ રહે છે.
શરીરમાંના સોજાને ઘટાડે
કોથમીર શરીરમાંના સોજાને ોછું કરવામાં મદદ કરે છે. સોજો તેમજ ઇંફ્લેમેશન કેન્સરી લઇન ેહૃદય રોગ જેવી તકલીફમાં કોથમીરનું પાણી રાહત આપે છે. તેમાં સમાયેલ એન્ટીઓક્સીડન્ટ સોજાને ોછું કરવા તેમજ કેન્સર કોશિકાઓી ધીમી વૃદ્ધિ સાથે જોડાયેલો છે.
- મીનાક્ષી તિવારી