કુકિંગ ટિપ્સ .
ભરેલું શાક બનાવતી વખતે મસાલામાં સીંગદાણાનો કરકરો ભુક્કો થોડો નાખવાથી સ્વાદ વધે છે.
પનીરનું શાક બનાવતી વખતે પનીરને તળ્યા પછી થોડી વાર ગરમ પાણીમાં રાખીને ગ્રેવીમાં નાખવાથી પનીર વધુ મુલાયમ થાય છે.
ચણા ભીંજવતા ભૂલી ગયા હોય અને બનાવા પડે તો ચણાને બાફતી વખતે તેમાં કાચા પપૈયાનો ટુકડો નાખવો. પછીથી આ પપૈયાને છુંદી ચણામાં ભેળવી દેવું.
રસાદાર શાકમાં મરચું વધુ પડી ગયું હોય તો તીખાશ ઓછી કરવા માટે તેમાં દેસી ઘી અથવા તો માખણ ભેળવી દેવું.મલાઇ, દહીં અથવા ક્રીમ પણ ભેળવી શકાય છે.
ગ્રેવી ખાટી થઇ ગઇ હોય તો તેમાં એક ચમચી સાકર ભેળવી દેવાથી ખટાશ ઓછી થાય છે.
લીલાછમ શાકનો રંગ જાળવી રાખવામાં માટે શાક બનાવતી વખતે તેમાં ચપટી સાકર નાખવી.
પરાઠાને ટેસ્ટી બનાવા માટે લોટમાં બાફેલા બટાકાને ખમણીને ભેળવવું.
પરાઠાને ઘી અથવા તેલથી શકવાની બદલે બટરમાં શેકવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
પકોડા બનાવતી વખતે ઘોળમાં એક ચમચી આરારોટ અથવા તો ચોખાનો લોટ નાખવાથી પકોડા ક્રિસ્પી બને છે. વધુ સ્વાદિષ્ટ કરવા માટે પકોડા પર ચાટ મસાલો ભભરાવો.
નૂડલ્સ ઉકાળતી વખતે પાણીમાં થોડું મીઠું અને તેલ ભેળવી દેવું અનળ્બહાર કાઢ્યા પછી ઠંડા પાણીથી ધોઇ નાખવાથી નુડલ્સ એકબીજાથી ચોંટતા નથી.
રાયતાને વધુ સ્વાદિષ્ટ બનાવા માટે તેમાં હીંગ અને જીરાનો વઘાર કરવો.
રાજમા અડથા અડદની દાળ બાફતી વખતે તેમાં મીઠું નાખવું નહીં. આમ કરવાથી દાળ જલદી બફાઇ જાય છે.
પૂરીને ક્રિસ્પી બનાવતી વખતે લોટમાં એક ચમચો રવો અથવા ચોખાનો લોટ ભેળવવો.
લોટમાં એક ચમચી સાકર ઉમેરવાથી પૂરી ક્રિસ્પી બને છે.
સખત પનીરને મુલાયમ કરવા માટે તેને મીઠાયુક્ત પાણીમાં દસ મિનીટ પલાળી રાખવું. પનીર નરમ થઇ જશે.
ચોખા રાંધતી વખતે તેમાં લીંબુનો રસ ભેળવવાથી ભાતનો દાણો છુટો થાય છે.
કાંદાને બાફતી વખતે ચપટી સાકર ભેલવી દેવાથી કાંદા જલદી બ્રાઉન થાય છે.
એક કપ નારિયેળ પાણીમાં બે બ્રેડ અને એક ચમચી સાકર ભેળવી દઇને બ્લેન્ડ કરવું. ઇડલીના ઘોળનો આથો સારો આવે છે.
ટામેટાનું સૂપ બનાવતી વખતે ટામેટા ઉકળે એટલે તેમાં ેક લીલુ મરચું, લસણની એક કળી અને એક ટુડડો આદુ ભેળવી દેવો સૂપ સ્વાદિષ્ટ બનશે.
કરીને સાંજ સુધી તાજી રાખવા માટે તેમાં અડધુ લીંબુ નીચોવી દેવું.
- મીનાક્ષી તિવારી