નાગરિક અધિકારો અને નિયમો : એફઆઈઆર અને ધરપકડ
ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) એફઆઈઆર લિખિત દસ્તાવેજ છે જે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવે છે જ્યારે વ્યક્તિ કોઈ કોગ્નિઝેબલ ગુનાનો ભોગ બને છે એટલે કે એવો ગુનો કે જેના માટે પોલીસ કોર્ટની પૂર્વ મંજૂરી (વોરન્ટ) વિના કાર્યવાહી કરી શકે છે.
કોઈપણ જે કાં તો ગુનાનો ભોગ બનેલો હોય, ગુનાનો સાક્ષી હોય અથવા જેને ગુના અંગેની માહિતી હોય તે એફઆઈઆર નોંધાવી શકે છે. ગુનાના સ્થળની નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવી આવશ્યક છે. કોઈપણ પોલીસ સ્ટેશન એફઆઈઆર નોંધવાનો ઈનકાર કરી શકે નહીં. દરેક પોલીસ સ્ટેશનનો ચોક્કસ અધિકારક્ષેત્ર વિસ્તાર હોય છે જેની અંદર તેઓ ગુના અને ગુનાઓની તપાસ કરી શકે છે.
ઝીરો એફઆઈઆર કોઈપણ પોલીસ સ્ટેશનને તેમના અધિકાર ક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના એફઆઈઆર નોંધવાની પરવાનગી આપે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે હત્યા અને બળાત્કાર અને અન્ય કોગ્નિઝેબલ ગુનાઓ માટે થાય છે. એફઆઈઆર તરત જ દાખલ થવી જોઈએ અને રિપોર્ટિંગમાં કોઈપણ વિલંબ ન હોવો જોઈએ. પોલીસ અધિકારીએ એફઆઈઆરની નકલ કોઈ પણ ખર્ચ વગર આપવી પડશે.
એફઆઈઆર દાખલ કરવાના ઈનકાર કરવાના કિસ્સામાં :
ફરિયાદી ઈનકારને આસિસ્ટન્ટ/ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અથવા અન્ય ઉચ્ચ અધિકારી કે ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ અથવા ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસના ધ્યાન પર લાવી શકે છે. અધિકારક્ષેત્ર ધરાવતી કોર્ટ સમક્ષ ખાનગી ફરિયાદ દાખલ કરી શકાય છે.
સ્ટેટ હ્યુમન રાઈટ્સ કમિશન અથવા ધ નેશનલ હ્યુમનરાઈટ્સ કમિશનને ફરિયાદ કરી શકાય છે.
ધરપકડ : ધરપકડની રીત કેઝ્યુઅલ ન હોવી જોઈએ અને તે વ્યક્તિ પર લગાવવામાં આવેલા માત્ર આરોપ પર આધારિત ન હોવી જોઈએ. સાત વર્ષ સુધીની જેલની સજાને પાત્ર હોય તેવા કોઈપણ ગુના માટે પોલીસ 'હાજરની નોટિસ' જારી કરવા પણ બંધાયેલી છે.
ધરપકડ કરાયેલી વ્યક્તિના અધિકારો :
ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડનું કારણ અને જામીન મેળવવાના તેના અધિકારની માહિતી આપવાની રહેશે.
* ધરપકડ કરાયેલી વ્યક્તિ પર કોઈ અયોગ્ય પ્રતિબંધ ન હોવો જોઈએ. ધરપકડ કરનાર પોલીસ અધિકારીએ તેને ભાગી જવા અથવા ભાગી જવાથી રોકવા માટે જરૂરી કરતાં વધુ પ્રતિબંધનો ઉપયોગ કરવો નહીં. ધરપકડ વોરંટ વગરની હોય, તો મેજિસ્ટ્રેટ પાસેથી હાથકડી લગાડવાનો વિશેષ આદેશ લેવાનો હોય છે.
* ધરપકડ કરનાર પોલીસ અધિકારીએ ધરપકડ કરાયેલી વ્યક્તિની ધરપકડ વિશે આ નોમિનેટ કરાયેલી વ્યક્તિને જાણ કરવી ફરજિયાત છે.
* ધરપકડ કરાયેલી વ્યક્તિની તબીબી વ્યવસાયી દ્વારા તપાસ કરી શકાય છે. આવી તપાસનો અહેવાલ તબીબી વ્યવસાયી દ્વારા નોંધણી કરીને ધરપકડ કરાયેલી વ્યક્તિ અથવા તે ધરપકડ કરાયેલી વ્યક્તિ દ્વારા નામાંકિત વ્યક્તિને આપવામાં આવશે.
* બિન-જામીનપાત્ર ગુના સિવાયની વ્યક્તિની ધરપકડ કરતાં પોલીસ અધિકારીએ ધરપકડ કરાયેલી વ્યક્તિને તેના જામીનના અધિકાર વિશે જાણ કરવી જરૂરી છે કે ધરપકડ કરાયેલી વ્યક્તિ જામીન મેળવવા માટે હકદાર છે અને તેના વતી જામીનની વ્યવસ્થા કરી શકે છે.
* ૨૪ કલાકથી વધુ અટકાયત નહીં - ધરપકડ કરાયેલ વ્યક્તિને કોઈપણ વિલંબ કર્યા વિના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ.
* કાનૂની વ્યવસાયી સાથે સલાહ - ધરપકડ કરાયેલ વ્યક્તિને તેના વકીલ- સાથે વાતચીત કરવાનો અધિકાર છે.