Get The App

સુંદરતા માટે ફાયદાકારક એરંડિયુ

Updated: Jul 18th, 2022

GS TEAM


Google News
Google News
સુંદરતા માટે ફાયદાકારક એરંડિયુ 1 - image


એરંડિયું કેસ્ટર ઓઇલ તરીકે પણ જાણીતું છે. શરીર પર લગાડવાની સાથેસાથે પીવાથી પણ તે ગુણકારી નીવડે છે. 

એરંડિયાને કોપરેલ સાથે ભેળવીને શરીરના કાળા ધાબા પર લગાડવાથી તે ધીરે ધીરે દૂર થાય છે. 

વાળમાં લગાડવાથી વાળ કાળા,ઘાટ્ટા અને લાંબા થાય છે. તેમજ વાળમાંનો ખોડો પણ દૂર થાય છે. 

આ તેલને પાંપણ પર લગાડવાથી તે ઘટ્ટ અને સુંદર થાય છે. 

એલોવેરાના રસમાં એરંડિયુ ભેળવીને શરીરના મસા પર લગાડવાથી થતી બળતરામાં રાહત થાય છે. 

ચહેરાને સાફ કર્યા પછી સ્વસ્થ ત્વચા માટે એરંડિયાનો ઉપયોગ મોઇશ્ચરાઇઝર તરીકે કરવામાં આવે છે. એક-બે ટીપાં એરંડિયાના લઇને તેને ચહેરા અને ગરદન પર લગાડવું. મોઇશ્ચરાઇઝર સાથે ભેળવીને પણ ઉપયોગમાં લઇ શકાય છે. 

કેસ્ટર ઓઇલ લિપ મોઇશ્ચરાઇઝર પણ છે. થોડી માત્રામાં મીણ, એક ચમચો એરંડિયું, અડધો ચમચો એલોવેરા જેલ લઇ ભેળવીને શીશીમાં ભરી દેવું. સવાર-સાંજ  આવશ્યકતા અનુસાર હોઠ પર લગાડવું. તે હોઠને નમીયુક્ત,હાઇડ્રેટેડ અને કુદરતી રીતે ગુલાબી રાખવામાં મદદ કરે છે. 

કાળા ધાબા દૂર કરવામાં ઉપયોગી છે. એરંડિયુ અને કોપરેલ સમાન માત્રામાં ભેળવી શરીર પરના કાળા ધાબા પર લગાડવું. આંખની આસપાસના કાળા કુંડાળા પર પણ લગાડવાથી રાહત થાય છે. 

આંખના સોજાનો ઇલાજ એરંડિયાના તેલથી પણ કરી શકાય છે. એરંડિયાના થોડા ટીપાને હથેળી પર અથવા તો એક બાઉલમાં લેવું. ઇયરબર્ડથી અથવા તો આંગળીઓથી આંખની આસપાસ ગોળાકાર ગતિમાં લગાડવાથી બ્લડ સરક્યુલેશન વધે છે અને આંખને આરામ મળે છે. 

એન્ટિ એજિંગથી રાહત પામવા માટે એરંડિયું રામબાણ ઇલાજ છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખે છે. તેમજ કરચલી અને ફાઇન લાઇનને દૂર કરવામાં મદદ કરે છે. તે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી કરવામાં ઉપયોગી છે. 

ખરતા વાળને અટકાવવા માટે મદદરૂપ છે. એરંડિયાથી વાળમાં મસાજ કરવાથી ફાયદો થાય છે. એક ચમચો એરંડિયાનું તેલ અને એક ચમચો જૈતુનનું તેલ ભેળવવું અને હળવું ગરમ કરી તેને વાળના મૂળમાં લગાડી મસાજ કરવો. અઠવાડિયામાં બે વખત કરવાથી ફાયદો થાય છે. વાળને ખરતા અટકાવે છે,મજબૂત કરે છે અને વધારવામાં મદદ કરે છે. 

કેસ્ટર ઓઇલથી શરીરને માલિશ કરવાથી રાહત થાય છે. શરીરના કોઇ હિસ્સામાં દુખાવો, માંસપેશિયોનું જકડાઇ જવું વગેરેમાં આરામ થાય છે. એરંડિયાને લઇ તેને હુંફાળું કરી લગાડવું. 

એરંડિયામાં ગુલાબ અથવા લવન્ડર તેલને ભેળવીને લગાડવાથી તાણ અને ચિંતા દૂર થાય છે. 

- સુરેખા મહેતા

Tags :