Get The App

કેન્સર :- લક્ષણો-નિદાન-સારવાર : ભાગ-2

Updated: Mar 20th, 2023

GS TEAM


Google News
Google News
કેન્સર :- લક્ષણો-નિદાન-સારવાર : ભાગ-2 1 - image


- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ

હમણાં જ ૫મી તારીખે વર્લ્ડ કેન્સર દિવસ આપણે મનાવ્યો. તથા ગત અંકમાં પણ કેન્સર વિશે ઘણી બધી વાતો કરી. આજના લેખમાં કેન્સરના નિદાન, લક્ષણો અને સારવાર વિશે વાત કરવા જઇ રહ્યા છીએ.

આજે એ ખાસ કહેવાનું કે 'કેન્સર'નું નામ સાંભળીને જેમ આપણાં પગ નીચેથી જમીન ખસી જાય છે, તેની પ્રતિક્રિયા આપણે નહીં કરીએ. કારણ કે મોત કરતાં મોતનો ભય વધારે તકલીફ આપે છે.

હૃદયરોગ પછી બીજા નંબર ઉપર કેન્સરના દર્દીઓ છે કે જેઓનો મૃત્યુદર ખૂબ વધારે છે, જેથી કેન્સર વિશે  જાણકારી અને જાગૃતિ હોવી ખૂબ જરૂરી છે.

અનુભવ એવું જોવા મળ્યું છે કે, જે દર્દીઓને કેન્સર થયું છે, તેની જાણ હોતી નથી તેવા દર્દીઓ ઝડપથી આ રોગમાંથી બહાર નીકળતા હોય છે.

એક વાત નક્કી છે કે, જેમનો જન્મ થયો છે, તે દરેકનું મૃત્યુ નિશ્ચિત છે. દરેક શરીર કોઇપણ કારણોસર મૃત્યુ પામે જ છે. પણ જો આ શરીર શાંત થવાનું નિમિત કેન્સર નહીં હોય તો ભલે ને કેન્સર થયું હોય તો પણ તે મારી શકવાનું નથી એવી સમજ કેળવીને શાંત ચિત્તે સારવાર કરવી જોઇએ.

આયુર્વેદમાં કેન્સરનું વર્ણન સદીઓ પહેલા સુશ્રુતસંહિતામાં ''અર્બુદ'' નામથી કરેલું છે.

સુશ્રુતસંહિતા ચિકિત્સાસ્થાન અધ્યાય-૧૮માં અર્બુદની સારવાર, ઔષધો, ઓપરેશન(શલ્યકર્મ) તથા અગ્નિકર્મનું સવિસ્તર વર્ણન કરેલું છે.

વાત-પિત, કફ આ ત્રણેય દોષોમાંથી કોઇપણ શરીરના રક્ત, માંસ અને ધાતુને બગાડી કેન્સરનાં કોષો ઉત્પન્ન કરે છે, અને જે ભાગમાં આ કેન્સરનાં કોષો વધી જાય તે ભાગમાં તે ગાંઠ સ્વરૂપે દેખાવા લાગે છે, તેનો ફેલાવો ચામડીની નીચે હોય છે. તેથી નિદાન થવામાં ઘણો સમય વહી જાય છે.

જે-તે જગ્યાનું માંસ અને લોહી બગડીને જે ગાંઠ બને છે તે,

(૧) ગાંઠ ગોળ હોય છે

(૨) સ્થિર હોય છે

(૩) અચલ હોય છે.

(૪) મોટા અને ઊંડા મૂળવાળી હોય છે

(૫) આ ગાંઠ ખૂબ લાંબા ગાળે વધે છે

(૬) તેમાં કફ અને મેદની અધિકતા હોવાથી તેમાં પાક થતો નથી.

આયુર્વેદમાં આવી ગાંઠને 'અર્બુદ' એટલે કે કેન્સરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે.

આયુર્વેદમાં આ ગાંઠને ઓળખવા માટે ખૂબ સરળ વાત કરી છે કે, અન્ય ગાંઠ પાકવા વાળી હોય છે, જ્યારે કેન્સરની ગાંઠ પાકતી નથી.

સાધ્યા-સાધ્યતા :-

વાત-પિત-કફ દૂષિત થવાથી થયેલા કેન્સર આયુર્વેદ ઔષધપ્રયોગથી સાધ્ય બન્યા હોય તેવા ઘણાં ઉદાહરણો છે છતાં પણ આયુર્વેદ માને છે કે,

(૧) જે કેન્સરની ગાંઠ મર્મસ્થાનમાં હોય.

(૨) સ્ત્રોતસમાં ફેલાયેલી હોય.

(૩) સ્ત્રાવયુક્ત હોય તેવી કેન્સરની ગાંઠ અસાધ્ય ગણાવેલી છે.

લાક્ષણિકતા :-

કેન્સરના કોષો સમગ્ર શરીરમાં સ્વસ્થ કોષોની બાજુમાં જ પોતાના કોષોની ગોઠવણી કર્યા પછી કોઇ એક જગ્યાએ છતાં થયા છે.

કેન્સર શરૂઆતમાં ભલે એક જ જગ્યાએ દેખાતું હોય પરંતુ તેણે શરીરમાં લગભગ તમામ મર્મભાગોમાં બધા જ પોતાના કોષો ગોઠવી દીધેલા હોય છે, જેથી કેન્સર ગાંઠરૂપે દેખાય તે જગ્યાએ જ માત્ર હોય છે, તેવું માની લેવાનું કોઇ કારણ નથી, તે શરીરનાં બીજા જીવિત કોષોને હણવામાં પણ યુદ્ધનાં ધોરણે કાર્યરત હોય છે.

કોઇપણ ઊંમરે કોઇને પણ આ રોગ થઇ શકે છે, પરંતુ કોને ક્યારે થશે તે નિશ્ચિત હોતું નથી. પણ કેન્સરની સારી બાબત એ છે કે, તે વારસાગત નથી. તે એક જ કુટુંબની બે કે તેથી વધારે વ્યક્તિને પણ હોઈ શકે છે પ ણ વારસાગત રીતે આ રોગનો પ્રસાર થતો નથી.

રેડિયોથેરાપી અને કેમોથેરાપીની સાથે સાથે જો આયુર્વેદીક ટ્રીટમેન્ટ આપવામાં આવે તો બંને પેથીના સારા પરિણામ આવી શકે છે.

નિદાન-કારણો :-

આયુર્વેદમાં કોઇ નિશ્ચિત કારણ બતાવેલું નથી

(૧) ટારથી ઉત્ત્પન્ન પદાર્થો કે પેટ્રોલિયમના કેમિકલથી ત્વચાનું કેન્સર થાય છે.

(૨) સિગારેટથી મોઢાનું કેન્સર અને ફેફસાનું કેન્સર થાય છે.

(૩) વિષાણુથી ઘણીવખત કોષોની વૃધ્ધિ થવાની સંભાવના રહે છે.

(૪) ઇસ્ટ્રોજન અને ટેસ્ટેસ્ટેરોન જેવા હોર્મોનનું પ્રમાણ લોહીમાં વધારે સમય સુધી વધેલું રહે તો કેન્સર થઇ શકે છે.

(૫) જે સ્ત્રીઓને બાળકો નથી તેવી સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા હોય છે.

(૬) જે માતાઓ પોતાના બાળકોને ધવડાવતી નથી તેમને પણ brest cancer થવાની શક્યતા રહે છે.

(૭) આયુર્વેદ માને છે કે, બહેનોમાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ માસિક વહેલું શરૂ થાય અને મોડું બંધ થાય તેમ વધારે રહેલું છે.

(૮) જે બહેનો ૪૭ વર્ષ પહેલા ઓવરી કે ગર્ભાશય કઢાવી નાખે છે તેમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા ઓછી થઇ જાય છે.

(૯) વધારે પડતાં ચુસ્ત કપડાં પહેરવાથી તે જગ્યા પર લોહીનું ભ્રમણ બરાબર થઇ શકતું નથી અને ચરબી ડેડ થઇ જાય છે ત્યાં ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતા રહેલ છે.

(૧૦) ડાયેટમાં ચરબી અને ખાંડ વધારે હોય તો, ઇસ્ટ્રોજન વધારે ભેગો થાય છે, જે કારણે પણ કેન્સર થઇ શકે છે.

(૧૧) બર્થ કન્ટ્રોલ કરતી દવાઓ લાંબા સમય સુધી લેવાથી ઘણીવખત લાંબા ગાળે કેન્સરનો ભય રહે છે.

અપથ્ય આહાર, દૂષિત પાણી, ધૂમ્રપાન, તંબાકુસેવન, રેડીયેશનનો શરીર પર પ્રભાવ, વાયરસનો પ્રભાવ વગેરે પણ આના કારણો છે.

આગલા અંકમાં કેન્સરની સારવાર વિશે વાત કરીશું. વધુ આવતા અંકે....

Tags :