સંતરાના રસના ફાયદા .
સંતરા સ્વાદમાં ખટ્ટ-મીઠા હોય છે. સંતરાનો ખટમધુરો રસ સ્વાદિષ્ટ હોવાની સાથેસાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી નીવડે છે. શિયાળામાં ઇમ્યુનિટી પ્રબાવિત થતી હોવાથી સામાન્ય બીમારીઓ વધી જતી હોય છે. તેથી શિયાળાની ઋતુમાં સંતરાનો રસ લાભકારી રહે છે.
ઇમ્યુનિટી બૂસ્ટ
સંતરામાં ભરપુર પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે. જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. શિયાળાની ઋતુમાં ઇમ્યુનિટી નબળી થવા લાગતી ગોય છેજેથી શરીર સમાન્ય બીમારીના સપાટામાં પણ આવી જતું હોય છે. તેમજ ઇન્ફેકશન અને વાયરસનું જોખમ પણ વધી જતું હોય છે. તેથી મ્યુનિટી વધારવા માટે સંતરાનો જ્યૂસ ફાયદાકારક છે.
ગ્લોઇંગ સ્કિન
સંતરામાં ભરપુર માત્રામાં ફાઇબર, વિટામિન સી અને એન્ટી ઓક્સીડન્ટસ સમાયેલા હોય છે. જે ત્વચાને ગ્લોઇંગ કરવામાં મદદ કરે છે. આ સાથે જ ત્વચાને યુવાન રાખવા માટેસંતરાનો જ્યૂસ ફાયદાકારક છે. તે ડેમેજ સ્કિનને રિપેર કરે છે અને સ્કિનનું ટેક્સચર સુધારે છે.
કિડની સ્ટોન
સંતરાના જ્યુસમાં ભરપુરમ ાત્રામાં ફાઇબર સમાયેલું હોયછે. જે કિડનીને સ્ટોનની સમસ્યાથી બચાવે છે. કિડનીમાં સ્ટોનની સમસ્યા હોય તો ડોકટરની સલાહ લઇને સંતરાના જ્યુસનું સેવન કરી શકાય છે. તે કિડનીને સાફ કરે છે.
આંખ માટે ગુણકારી
સંતરાનો જ્યૂસ આંખ માટે ગુણકારી છે. તે આંખની રોશનીને સુધારવામાં મદદ કરે છે અને આંખને હેલ્ધી રાખે છે. આંખમાં ઇન્ફેકશન થયું હોય તો તેને સારુ કરવામાં પણ મદદ કરે છે.
ડિહાઇડ્રેશનથી બચાવ
ડિહાઇડ્રેશનની તકલીફ થાય ત્યારે સંતરાના રસનું સેવન રાહત આપે છે. તે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.
રૂક્ષ ત્વચા
સંતરાના રસનુ ંસેવન રૂક્ષ ત્વચાને સામાન્ય કરવામાં ઉપયોગી છે.
કબજિયાત
સંતરાના રસના સેવનથી પાચનક્રિયા સુધરે છે તેમજ કબજિયાતની તકલીફ દૂર થાય છે.
હૃદય માટે ફાયદાકારક
સંતરામાં પોટેશિયમ અને વિટામિન-સી સમાયેલું હોય છે, જે હૃદય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં સમાયેલ પોટેશિયમ હાઇબ્લડપ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઓછું કરેવાની ક્ષમતા ધરાવે છે. તેમજ વિટામિન સી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
વજનને નિયંત્રિત કરે
સંતરાનો જ્યૂસ વજનને નિયંત્રિત કરે છે. તેમાં સમાયેલ ફાઇબર પોષક તત્વોથી સમૃદ્દ હોય છે, જે શરીર પરની ચરબી ઓછી કરવા માટે સહાયક માનવામાં ાવે છે. તેેમાં કેલરીની માત્રા પણ ઓછી હોવાથી વજનને નિયંત્રિત કરવા સક્ષમ છે. તેમજ તેમાં સમાયેલા કાર્બ્સ શરીરને ઊર્જા આપે છે.
કોલન કેન્સરમાં સહાયક
સંતરા ફાઇબરનો સારો સ્ત્રોત હોવાથી કોલન કેન્સર સાથે લડવામાં સહાયક છે.
ડાયાબિટિઝ
સંતરામાં ફાઇબર પ્રયાપ્ત માત્રામાં સમાયેલુ ંહોય છે. ફાબિર તેજીથી બ્લડ સુગર અને ગ્લાઇકોલિલેટેડ હેમોગ્લોબિનને ઓછી કરી શકે છે. જે ટાપિ ટુ મધુમેહને વધારવાનું કારણ હોય છે.
એનિમિક
સંતરાની અંદર આર્યન અને વિટામિન સી સારી માત્રામાં સમાયેલા હોય છે.સંતરાના સેવનથી આર્નની કમી દૂર થાય છે. વાસ્તવમાં સંતરામાં આર્યનનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ વિટામિન સી ભરપુર માત્રામાં સમાયેલુ ંહોય છે. જે શરીરમાંના આર્યનના અવશોષણ વધારવામાં મદદ કરે છે.
-મીનાક્ષી તિવારી