Get The App

લીલા નાળિયેરના લાભ .

Updated: May 27th, 2024

GS TEAM

Google News
Google News
લીલા નાળિયેરના લાભ                                        . 1 - image


આર્યુવેદના અનુસાર નાળિયેર પાણી ઠંડક પ્રદાન કરે છે. તેના સેવનથી પિત્ત અન ેવાયુનો નાશ થાય છે અને યૂરિનરી બ્લેડરને સ્વચ્છ કરે છે. 

- પિત્ત: નારિયેળનું પાણી,સાકર અને એલચીનો ભુક્કો મેળવી પીવાથી પિત્તમાં રાહત થાય છે. 

- પેશાબમાં બળતરા: નાળિયેર પાણીમાં ગોળ અને ધાણા ભેળવીને પીવાથી પેશાબ છૂટથીઆવે છે, બળતરા દૂર થાય છે. 

- શરીરની આંતરિક બળતરા: નાળિયેર પાણી વારંવાર પીવાથી શરીરમાં થતી આંતરિક બળતરા દૂર થઇને ઠંડક થાય છે. 

- વાળ ખરવા: કોપરેલથી વાળમાં માલિશ કરવાથી ફાયદો થાય છે. 

મેથી અને આમળાના ચૂરણને કોપરેલમાં ઉકાળીને વાળમાં લગાડવું.

- લૂ લાગવી: ઉનાળાની કાળઝાળ ગરમીમાં   લૂ લાગવાની તકલીફ સામાન્ય છે. લૂ લાગી હોય તો નાળિયેર પાણી વારંવાર પીવડાવવું.

- ડી હાઇડ્રેશન: નાળિયેર પાણીમાં સ્વાદાનુસાર લીંબુનો  રસ ભેળવી નાના બાળકોને દર પાંચ મિનિટે એક ચમચો પીવડાવવું. તેમજ મોટી વયના લોકોને સંપૂર્ણ નાળિયેર   પાણી આપી શકાય. બાળકોને આ મિશ્રણથી પેટમાંના કૃમિ પણ મળ વાટે બહાર નીકળી જાય છે. 

નાળિયેર પાણી થોડી થોડી વારે થોડું થોડું પીવાથી શરીરમાંની પાણીની કમી દૂર થાય છે. 

- શરીરે મેદ વધારે છે : નાળિયેર ખાવાથી શરીરમાં ચરબી વધે છે અને મગજને શક્તિશાળી કરે છે.  નાળિયેરને દિવસમાં બે વાર ૫૦-૫૦ ગ્રામની માત્રામાં નિયમિત સેવન કરવાથી શરીરે મેદ ભરાય છે. 

- ગર્ભાવસ્થા: સગર્ભા નિયમિત એક નાળિયેર પાણી પીએ તો સુંદર સંતાન થાય છે. 

- પથરી: નાળિયેર પાણીને દિવસમાં ત્રણ વખત પીવાથી પથરી મૂત્ર દ્વારા  થઇને નીકળી જાય છે. 

- શરીરમાં ગરમી થઇ જતા: કોપરેલને પાણી સાથે ભેળવી માથા તથા પગના તળિયા પર ઘસીને માલિશ કરવાથી શરીરની ગરમી ધીરે ધીરે શાંત થાય છે. 

નયણા કોઠે નાળિયેર પાણીમાં લીબુંનો રસ ભેળવી પીવાથી શરીરમાંની ગરમી મૂત્ર અને મળ વાટે નીકળી જાય છે, તેમજ રક્ત શુદ્ધ થાય છે. 

- ચહેરા પર ઝાંય: નાળિયેર પાણીને દિવસમાં બે વાર ચહેરા પર લગાડવાથી ચહેરા પરની ઝાંય અને કરચલી દૂર થાય છે. 

- બ્લડપ્રેશર: બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવા માટે નાળિયેર પાણી ફાયદાકારક છે. તેમાં રહેલાં  વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ  બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે છે. 

- શુગર લેવલને અંકુશમાં રાખે છે: રિસર્ચના અનુસાર નારિયેળ પાણીના સેવનથી રક્તનું  સુગર લેવલ ઓછું થાય છે. વાસ્તવમાં ઇન્સ્યુલિનની કમીને કારણે જ ડાયાબિટિસની સમસ્યા થાય છે. નારિયેળ પાણી શરીરમાંના ઇન્સ્યુલિનને વધારે છે. 

- ખીલ-ડાઘ-ધાબા: નાળિયેર પાણીને ચહેરા પર ફેસપેકની માફક લગાડવાથી ખીલ,ડાઘ,ધાબા દૂર થાય છે. 

- મીનાક્ષી તિવારી

Tags :