Get The App

નાળિયેર પાણી પીવાના ફાયદા .

Updated: Feb 6th, 2023

GS TEAM


Google News
Google News
નાળિયેર પાણી પીવાના ફાયદા                                 . 1 - image


આપણા શરીરમાં ૬૫ ટકા જેટલું પાણી હોય છે, જે આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. નાળિયેર પાણીમાં ૯૪ ટકા પાણી અને બહુ ઓછી માત્રામાં ચરબી હોય છે. આર્યુવેદના અનુસાર, નારિયેળ પાણી આપણી પાચનક્રિયા માટે એક ઉત્તમ સ્ત્રોત છે. નારિયેળ પાણીમાં વિટામિન્સ અને મિનરલ્સ જેવા અનેક પોષખ તત્વો હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક નીવડે છે. 

એક ગ્લાસ નારિયેળ પાણ એટલે કે ૨૫૦ ગ્રામ નારિયેળ પાણીમાં કેલરીનું પ્રમાણ અઢળક હોય છે. ૮ ગ્રામ સુગર, ૧૦.૪ ગ્રામ ર્ક્બોહાઇડ્રેટ, સોડિયમ ૪૦૪ મિલી ગ્રામ.. પોટેશિયમ ૦.૫ ગ્રામ પ્રોટીન અને વિટામિન સી ૨૪.૩ ગ્રામ જેટલું સમાયેલું હોય છે. 

વજનને નિયંત્રિત રાખે છે

વજન ઘટાડનાર વ્યક્તિ માટે નારિયેલ પાણી એક ્દભૂત વિકલ્પ છે. તેમાં ઓછી માત્રામાં ફેટ અને કેલરી સમાયેલી હોય છે અને સાથે સાથે તે મેટાબોલિઝમને પણ ઘટાડે છે. 

ડાયાબિટિસને અંકુશમાં રાખે છે

નારિયેળ પાણી ડાયાબિટીસના દરદીઓ માટે ફાયદાકારક છે. તે બ્લેડ ગ્લૂકોસના લેવને નિયંત્રિત રાખે છે. જેથી શરીરમાં સુગર બરાપર પાચન થાય છે. લો સુગર લેવ હોયતો નારિયેળ પાણીમાં સમાયેલ મેગેનેશિયમ ઇન્સુલિન સેન્સિટિવિટીને બહેતર બનાવે છે. 

હૃદય માટે લાભદાયક

નારિયેળ પાણી હૃદય માટે હેલ્ધી માનવામાં આવે છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઓછા કરીને ઇન્ટરનલ ઓર્ગનની પણ રક્ષા કરે છે. 

કિડનીની પથરીથી રાહત

કિડનીમાં પથરી થવાનું સામાન્ય કારણ વ્યક્તિનું પાણી પીવાનું પ્રમાણ ઓછું હોય છે. નારિયેળ પાણીમાં ૯૪ ટકા પાણી સમાયેલું હોવાથી તે શરીરને હાઇડ્રેટ રાખે છે. નારિયેળ પાણી પોટેશિયમ સાઇટ્રેટ અને ક્લોરાઇડ જેવા વધારાના તત્વોને પેશાબ વાટે બહાર ફેંકવામાં મદદગાર છે. પરિણામે કિડનીની પથરીનું જોખમ ઓછું થઇ જાય છે. 

ત્વચાને સુંદર કરે

નારિયેળ પાણી ડેમેજ સ્કિન સેલથી બચાવે છે. અને ત્વચાને હાઇડ્રેટ રાખે છે. નયણાકોઠે પાણી નાળિયેર પાણી પીવાથી ત્વચામાં નિખાર આવે છે તેમજ સનબર્ન જેવી સમસ્યાથી દૂર રાખે છે.

પાચનક્રિયા સુધારે

આર્યુવેદમાં નારિયેળપાણીને પાચનક્રિયા માટે ઉતમસ્ત્રોત માનવામાં આવે છે.તેનામાં સમાયેલા પોષક તત્વો શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે. જેથી પાચનક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરે છે. 

શરીરને ડિટોક્સ કરે છે

ગ્રીન ટી અથવા ગરમી પાણીના સેવનથી શરીરને ડિટોક્સ ન કરવા માંગતા હોય તો નારિયેળપાણી એક ઉત્તમ પીણું પુરવાર થયું છે. શરીરને ડિટોક્સ કરવા માટે એક ગ્લાસ નાળિયેર પાણીનું સેવન કરવું જોઇએ. 

મૂત્રમાર્ગને ઇન્ફેકશનના જોખમથી દૂર રાખે છે

યૂરિન ટ્રેક ટૂરિનમાં બેકટેરિયલ ઇન્ફેકશનને વધારો આપે છે જેથી કિડની નબળી થવાની શક્યતા રહે છે. નારિયેળ પાણી એક કુદરતી મૂત્રવર્ધક છે જે પેશાબની માત્રા વધારે છે જેથી કિડની ફંકશન વ્યવસ્થિત રીતે થાય છે. 

માનસિક તાણ ઓછી કરે છે

નારિયેળ પાણી ફર્ત શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. નારિયેળ પાણી શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે જેથી માનસિક તાણ ઓછી થાય છે. 

પેટની તકલીફ દૂર કરે છે

એસિડિટી, પેટમાં બળતરાજેવી તકલીફો થતી હોય તો નારિયેળ પાણી આ સમસ્યાને ડજથી નાબૂદ કરવામાં સક્ષમ છે. પેટની સમસ્યા મોટા ભાગે ખરાબ પાચનક્રિયા અથવા પાણીની કમીનેકારણે થતી હોય છે. એક ગ્લાસ નાળિયેર પાણી શરીરને ભરપૂર માત્રામા ંહાઇડ્રેટ રાખવાની ક્ષમતા ધરાવે છે. 

- સુરેખા 

Tags :