Get The App

નિયમિતપણે ભીંડા આરોગવાના લાભ

Updated: Feb 19th, 2024

GS TEAM


Google News
Google News
નિયમિતપણે ભીંડા આરોગવાના લાભ 1 - image


ઓક્રા એટલે કે લેડીફિંગર તરીકે ઓળખાતા ભીંડા આપણે ધારીએ છીએ એટલું સાવ સામાન્ય શાક તો નથી જ, પણ તેમાં શરીરના પાચન તંત્રને તંદુરસ્ત અને સશક્ત બનાવતા વિટામીન સી, વિટામીન કે અને ફાઇબર ઉપરાંત ફોલેટ (ફોલેટ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર) જેવા પોષક તત્ત્વો, વિટામીન તથા એન્ટિઓક્સિડન્ટ્સ છે. ભીંડાને બાફીને, તળીને અથવા કાચા-એમને એમ ચાવીને આરોગી શકાય છે. આ ઉપરાંત તબીબી સલાહ મુજબ સગર્ભા મહિલાને પણ આપી શકાય છે. તેને ઓછા કેલેરીના વિકલ્પ પણ માનવામાં આવે છે. આટલું ઓછું હોય એમ વિશ્વભરમાં ભારત જે મહારોગની રાજધાની ગણાય છે તેવા ડાયાબિટિસને અટકાવવા, કોલોન હેલ્થ (મોટા આંતરડાનો મોટાભાગનું આરોગ્ય), શ્વસન-સહાય અને ત્વચાના આરોગ્ય, પાચન સુધારવા અને દ્રષ્ટિ સુધારી તેજ કરવા તથા કબજિયાત નિવારણ માટેપણ ભીંડા અત્યંત ઉપયોગી નિવડે છે. અત્યારના અત્યંત મલિન વાતાવરણમાં આટલા ઉપયોગી ભીંડા શરીરમાં કયા કેવી રીતે કામ કરે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે, તે જોઈએ.

નિયમિત રીતે ભીંડા આરોગો તો શું થાય?

રોગપ્રતિકારક શક્તિ : ભીંડા તમારી રોગ-પ્રતિકારક શક્તિને વધારી શકે છે કારણ કે તે વિટામીન સી અને એન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. મેંગેનિઝ, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ એવા કેટલાંક ખનિજ છે, જે તમારા શરીરમાં અત્યંત ઉપયોગી છે, જે ભીંડા તમને પૂરા પાડે છે. આથી ભીંડાનું નિયમિત સેવન કરવું ઉપયોગી છે.

કોલેસ્ટ્રોલ : પેક્ટિન નામનું સોલ્યુબલ ફાઇબર ભીંડામાં હોય છે, જે તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આથી તમારા રોજના આહારમાં ભીંડાનો ઉપયોગ કરવો શરીર માટે ઉપયોગી છે કેમ કે ભીંડામાં તે ભરપૂર પ્રમાણમાં છે.

કોલોન કેન્સર : ભીંડામાં જે ફાઈબર હોય છે તે તમારા આંતરડાંને સ્વચ્છ કરે છે. આને કારણે કોલોનને લગતી બિમારીનું જોખમ ભીંડા મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે.

પ્રોટીન : ભીંડા ખરેખર પ્રોટીનનો મુખ્ય સ્રોત નહીં હોવા છતાં પ્રોટીનના યોગદાન માટે ભીંડા પર હજુ પણ આધાર રાખી શકાય છે. ભીંડાના પોષક લાભમાં આ પણ એક છે.

શ્વાસ : અસ્થામાથી પીડિત લોકો થોડી રાહત મેળવવા માટે ભીંડી પર આધાર રાખી શકે છે કારણ કે તેમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને બળતરા વિરોધી ગુણધર્મો છે.

ત્વચા : ભીંડીમાં હાજર ફાઇબર સામગ્રી અને વિટામીન સી તમારી ત્વચાને ડિટોક્સિફાય કરવામાં અને હીલિંગ કરવામાં મદદરૂપ બને છે. તેનું સેવન ઉપયોગી બની રહે છે.

કબજિયાત : ભીંડા ફાઇબરથી ભરપૂર હોવાથી તે કબજિયાતના લક્ષણોમાં પણ રાહત આપે છે. ભીંડાનું સેવન તમારા આંતરડાને શાંત કરી શકે છે.

થાક : ભીંડા થાક અને નબળાઈ સામે લડી શકે છે. તમારા તણાવ ભરેલા દિવસનો સામનો કરવા માટે તેને તમારા નાસ્તામાં સામેલ કરી, ભીંડા ખાવાનો આ પણ એક લાભ છે.

- ભૂપેન્દ્ર પટેલ

Tags :