આર્યુવેદ અનુસાર આ રીતે પીવાય પાણી
પાણી એ આપણા શરીર માટે મહત્વનું તત્વ છે. તે શરીરને હાઇડ્રેટ કરીને ઘણી બીમારીઓથી બચાવે છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે, તેમજપોષક તત્વો અને ઓક્સીજનને કોશિકાઓ સુધી લઇ જવાનું કાર્ય કરે છે. પાણી પીવાથી ત્વચા સ્વસ્થ રહે છે. તેમજ શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે અને મગજને પણ કાર્ય કરવામાં મદદ કરે છે. શરીરમાંના સાંધાની ચીકાશ જાળવવા માટે પણ પાણી પીવું જરૂરી છે. તેથી જ નિષ્ણાંતો દિવસમાં ત્રણ થી પાંચ લીટર પાણી પીવાની સલાહ આપે છે.
પાણી કેટલું પીવું એની સાથેસાથે તેને પીવાની રીત પણ મહત્વનો ભાગ ભજળે છે.આર્યુવેદમાં પાણી પીવાના પ્રમાણની સાથેસાથે પાણી કઇ રીતે પીવું તેના પર પણ ભાર આપવામાં આવ્યો છે. ખોટી પદ્ધતિથી પાણી પીવાથી પાચન સંબંધી તકલીફો થવાની શક્યતા રહે છે.આર્યુવેદના અનુસાર, ખોટી રીતે પાણી યોગ્ય રીતે પીવામાં ન આવે તો પાચન ક્રિયા પર અસર થાય છે.
પાણી કઇરીતે પાચન ક્રિયામાં ગરબડ ઊભી કરે છે.
પોષક તત્વો શરીરમાં કાર્યરત રહે તે માટે ભોજનનું પાચન જરૂરી છે. તેથી ભોજન શરૂકરતા તરત જ અથવા તો ભોજન કરતી વખતે વચમાં પાણી પીવાથી સ્વાસ્થયને હાનિ પહોંચવાની શક્યતા રહે છે. આર્યુવદના અનુસાર આ રીતે પાણી પીવાથી પેટમાંના ભોજન પર સીધી વિપરીત અસર પડે છે. ભોજન કરતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવાથી વજન વધવામાં વાર લાગતી નથી.
આર્યુવેદના અનુસાર પાણી પીવાની યોગ્ય રીત
પ્રથમ તો એ ધ્યાન રાખવું કે એક જ વખતમાં એક ગ્લાસપાણી ગટગટાવી ન જવું. આની બદલે ધીરે ધીરે પાણીના ઘૂંટડા પીવા.
ભોજનની શરૂઆતમાં તેમજ ભોજન કર્યા પછી તરત જ પાણી પીવું નહીં. વાસ્તવમાં આ રીતે પાણી પીવાથી ગેસ્ટ્રિક જ્યુસ પાતળું થઇજાય છે અને ભોજનમાંના પોષક તત્વોને પચાવવું મુશ્કેલ થાયછે.
જમ્યા પહેલાના ૩૦ મિનીટ પહેલા અને ભોજન પછી ૩૦ મિનીટે પાણી પીવું જોઇએ.
ભોજન દરમિયાન તરસ લાગી હોય તો એક ગ્લાસ પાણી ગટગટાવીને પીવાની બદલે એક અથવા બે ઘૂંટણા જ પાણી પીવું.
ભોજન પચાવામાં તકલીફ હોય તો ગરમ પાણી પીવું જોઇએ. એક ગ્લાસ પાણી પીવાની સરખામણીમાં એક ગ્લાસ ગરમ પાણી વધુ હાઇડ્રેટિંગ હોય છે. મોટા ભાગે લોકો ઊભા ઊભા પાણી પીતા હોય છે. ઊભા ઊભાપાણી પીવાથી પાણી સીધું એક ઝાટકે અન્નનળીમાંથી પસાર થઇને પેટની નીચેની દીવાલ પર પડે છે. તે સરળતાથી કોલોનમાં પહોંચી જાય છે. પરિણામે કિડની અને બ્લેડરમાં ઝેરીલા પદાર્થ જમા થવાની શક્યતા વધી જાય છે. ઊપરાંત ઊભા ઊભા પાણી પીવાથી તસ પણ બુઝાતી નથી.
દિવસમાં સાત વખત પાણી પીવાનું મહત્વ
ભોજન સાથે પાણી બિલકુલ ન પીવા કરતાં એકાદ બે ઘૂંટડા પી લેવાથી આહારને પાચન માટે મદદ મળે છે. હાઇ ફાઇબર ફૂડ સાથે થોડુ ંપાણી પી લેવું જોઇએ.પાણી મળના નિર્માણમાં સહાયક છે.
માથાના દુખાવામાં રાહત મેળવવા માટે એચ-૨૦ પાણી પીવું જોઇએ. ઘણી વખત માથાનો દુખાવો ડિહાઇડ્રેશનના કારણે પણ થતો હોય છે. માઇગ્રેનની તકલીફ પર પણ પાણીનું સેવન વધારવું જોઇએ.
સવારે ઊઠયા પછી તરત જ એક થી બે ગ્લાસ પાણી પીવું જોઇએ. રાતના પાણી પીવાતું નથી હોતું તેથી શરીરને હાઇડ્રેટ કરવા માટે ઊઠીન ેપાણી પીવું જરૂરી છે.
વ્યાયામ પહેલા અન ેપછી શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવું જોઇએ. જે લોકો વ્યાયામ કરતા ન હોય અને કસરત કરવાની શરૂઆત કરતા હોય તે લોકોએ વ્યાયામ કરવાના બે દિવસ પહેલાથીજવ્યવસ્થિત રીતે પાણી પીવાનું શરૂ કરી દેવું જોઇએ. સવારે જોગિંગ પર જવાના એક કલાક પહેલા પાણી પીવું જરૂરી છે. તેમજ કસરત પછી પણ સ્વયંને હાઇડ્રટ કરવા માટે પાણી પીવું જોઇએ.
સૂતા પહેલા એક -બે ઘૂંટડા પાણી અવશ્ય પીવુ. મોટા ભાગના લોકો સૂતા પહેલા પાણી એ ડરથી નથી પીતા હોતા કે તે રાતના સૂતા પહેલા પાણી પીવાથી બાથરૂમ જવા માટે ઊઠવું પડે છે, જે નિંદ્રામાં ખલેલ પાડતુ ંહોય છે.
સાંજના સમયે કોફી પીવાના સ્થાને પાણી પીવાની આદત પાડવી. મોડી સાંજના ચા-કોફી પીવાથી રાતની નિંદ્રા ખરાબ થઇ શકે છે. પરંતુ પાણી પીવાથી ઊર્જા વધે છે.
- મીનાક્ષી તિવારી