Get The App

કુદરતી સૌદર્યથી ઝાંઝરી ખીલી ઉઠયું વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો

- મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ

- મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ

Updated: Aug 17th, 2021

GS TEAM


Google News
Google News
કુદરતી સૌદર્યથી ઝાંઝરી ખીલી ઉઠયું  વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો 1 - image

બાયડ,16

બાયડ તાલુકાના ડાભા પાસે આવેલા અને કુદરતી સૌદર્ય થી ભરપુર એવું ઝાંઝરી હાલ ખીલી ઉઠયું છે. અહીયા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે અને કુદરતી સૌદર્ય ની મઝા માણી રહ્યા છે.

શનિ-રવિ તેમજ જાહેર રજાના દિવસે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે. પાણીના વહેતા ધોધ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જો કે, અહીંયા અગાઉ નાહવા પડેલા કેટલાક યુવકો ભોગીયા ધરામાં ડુબી જતા મોતને ભેટયા હોવાના પણ બનાવ બન્યા છે. જીલ્લા તંત્ર દ્વારા પર્યટકોને ભોગીયા ધરા તરફ નાહવા ન જવા માટે પણ લેખિતમાં સુચના મુકવામાં આવી છે.

બાયડ તાલુકાનું ઝાંઝરી પર્યટન સ્થળ તરીકે જાણીતું બન્યું છે અને અહીંયા વર્ષ દરમિયાન જાહેર રજા તેમજ શનિ-રવિના દિવસે પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને કુદરતી સૌદર્ય ને માણે છે. અમદાવાદ જેવા શહેરમાંથી પણ અનેક પરીવારો ફેશ થવા માટે શનિ-રવિએ ઉમટી પડે છે. ઝાંઝરીનું કુદરતી વાતાવરણ લોકોને સ્પર્શી રહ્યું છે.  અને જેના કારણે આજે ય મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે. જો કે, અહીંયા પ્રાથમિક સુવિદ્યાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. ઝાંઝરી પહોંચવા માટે હજુ ય સારો રસ્તો નથી જેના કારણે પર્યટકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી આવતા પર્યટકો વહેતા ધોધના કારણે પોતાની નાહવાની ઈચ્છા રોકી શકતા નથ અને જે પર્યટકો અજાણ હોય છે તેવો ભોગીયો ધરા તરફ ખેંચાય છે અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ જવાના બનાવો ભુતકાળમાં બન્યા છે. જો કે, પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા ભોગીયા ધરામાં નાહવા જવું નહી તેવી લેખિત સુચના પણ મારવામાં આવી છે. આ બધાની વચ્ચે હાલ ઝાંઝરીના સૌદર્યને માણવા માટે અસંખ્ય પર્યટકો આવી રહ્યો છે.

Tags :