Get The App

ડુંગરીકંપામાં મીની વાવાઝોડા સાથે વરસાદથી પપૈયાનો પાક જમીનદોસ્ત

- વિજયનગરમાં તાલુકામાં બીજા દિવસે કમોસમી વરસાદ

- ખેડૂતનો પાકનો સોથ વળતા રૃપિયા 15 લાખથી વધુનું નુકસાનનો અંદાજ : નુકસાનનો સર્વે કરવાની માંગણી

Updated: Dec 3rd, 2021

GS TEAM

Google News
Google News
ડુંગરીકંપામાં મીની વાવાઝોડા સાથે વરસાદથી પપૈયાનો પાક જમીનદોસ્ત 1 - image

વિજયનગર,તા.2

ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે જેને લઇ કમોસમી વરસાદ બાજ આજે વિજયનગરના ડુંગરીકંપામાં મીની વાવાઝોડું ફુંકાતા ૧૬ વિઘામાં વાવેતર કરેલા પાક જમીનદોસ્ત થઇ ગયો હતો.ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.  અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસરથી સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી માવઠાના કારણે ખેતીને નુક્સાન થયુ છે. ત્યારે આજે વહેલી સવારે વિજયનગરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિકલાક ૭૦ થી ૮૦ કી.મી.ની ઝડપે વાવાઝોડું ફુંકાયા પછી ડુંગરીકંપામાં વાવેતર થયેલા પપૈયાના પાકનો વાવાઝોડાએ સોથવાળી દીધો હતો.આ ખેતરમાં અંદાજીત ૧૫ લાખથી વધુનું નુકસાનનો અંદાજ સેવાઇ રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાના કારણે પાયમાલ થયેલા ખેડૂતોને પણ સત્વરે સહાય ચૂકવવી જોઈએ.