Get The App

સાબરકાંઠા જિલ્લામાં પડતર પ્રશ્નો મુદ્દે તલાટી મંડળનું આવેદન પત્ર

- જિલ્લા કલેક્ટરને રજુઆત કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી ઉઠાવાઇ

- જિલ્લા કલેક્ટરને રજુઆત કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી ઉઠાવાઇ

Updated: Sep 14th, 2021

GS TEAM

Google News
Google News
સાબરકાંઠા જિલ્લામાં પડતર પ્રશ્નો મુદ્દે તલાટી મંડળનું આવેદન પત્ર 1 - image

હિંમતનગર  તા. 13

સાબરકાંઠા જિલ્લાના તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ માંગણીઓની રાજયના મહામંડળ દ્વારા સરકાર સમક્ષ રજુઆતો બાદ પણ કોઈ સુખદ ઉકેલ ન આવતા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના હોદ્ેદારો સહિત જિલ્લાના તલાટીઓએ સોમવારે સાબરકાંઠા કલેક્ટર અને ડી.ડી.ઓને આવેદન પત્ર આપી તેનુ નિરાકરણ લાવવા માંગણી કરતી રજુઆતો કરી હતી.

સાબરકાંઠા જીલ્લા તલાટી કમ મંંત્રી મંડળના પ્રમુખ હર્ષવર્ધનસિંહ કુંપાવત અને મહામંત્રી ચિરાગ બારોટના નેતૃત્વમાં સોમવારે મંડળના હોદ્દારો તેમજ તલાટીઓએ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ ડી.ડી.ઓને તેમના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓ સંદર્ભે આવેદન પત્ર આપ્યુ હતુ. મંડળના પ્રમુખે જણાવ્યુ હતુ કે અગાઉ રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળની કારોબારી સભામાં પડતર પ્રશ્નો સંદર્ભે વારંવારની રજુઆતો છતાં પણ સરકાર દ્વારા તેનો કોઈ સુખદ ઉકેલ ન આવતા આજે જિલ્લા કક્ષાએ આવેદન પત્રો આપવાનો નિર્ણય કરાયો હતોે. જો સરકાર દ્વારા હકારાત્મક ઉકેલ નહી આવે તો આગામી સમયમાં મહામંડળ દ્વારા વિરોધના તબક્કાવાર કાર્યક્રમ અપાયા છે તે મુજબ સાબરકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના નેજા હેઠળ જિલ્લાભરના તલાટીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે.

Tags :