ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં 42.26 ટકા પાણી
- ગત વર્ષ આ સમયે ડેમમાં પાણી ઓછું હતું
- ઉનાળાની કાળઝાળ ગરમીથી પાણીનું બાષ્પીભવન વધતા ડેમમાં પથ્થરો દેખાયા
ખેડબ્રહ્મા, તા. 7 જૂન, 2020,
રવિવાર
ખેડબ્રહ્મા તાલુકાના ૪૭
જેટલા ગામડાઓને અન્યત્ર ખસેડી ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ બનાવવામાં
આવ્યો હતો. આ ડેમમાં ગત વર્ષે ઉપરવાસ રાજસ્થાનમાં સારો વરસાદ પડવાથી હાલમાં ડેમમાં
પાણી ૪૨.૨૬% જેટલું છે. હાલમાં પાણી થોડું ઓછું થવાથી ડેમમાં પથ્થરો દેખાવા લાગ્યા છે.
ખેડબ્રહ્મા તાલુકાના
ગામડાઓને અન્યત્ર ખસેડીને ૧૯૭૮માં ધરોઈ ડેમ બનાવવામાં આવ્યો હતો. આ ડેમના પાણીથી
મહેસાણાં બનાસકાંઠા અને સાબરકાંઠાના ગામડાઓમાં પીવાના પાણી તેમજ સિંચાઈ માટે ઉપયોગ
થાય છે. ડેમનું હાલનું પાણીનું લેવલ ૬૦૩.૫૪
ફીટ છે. ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા અને ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં
પાણી દિવસે દિવસે ઘટી રહ્યું છે. અને ગરમીનું પ્રમાણ જેમ જેમ વધી રહ્યું છે તેમ
પાણીનું બાષ્પીભવન થઇ રહ્યું છે. અને તેના કારણે પાણી ઘટતા ડેમમાં પથ્થરો દેખાવા
લાગ્યા છે.
ધરોઈ ડેપ્યુટીઇજનેર એચ.જે.
રાઓલ અને મદદનીશ ઇજનેર પ્રતીકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગત વર્ષે ઉપરવાસમાં
રાજસ્થાનમાં ખુબ જ સારો વરસાદ પડવાથી ડેમ પુરેપુરો ભરાયો હતો. ગત વર્ષે ડેમમાં
પાણી આ સમયે ઓછું હતું. પરંતુ વરસાદ સારો પડવાથી હાલમાં ૪૨.૨૬% પાણીનો જથ્થો છે.
તેમજ સ્ટોરેઝ ૧૨૧૦૧ એમસીએફટી છે.