Get The App

મેનેજમેન્ટ - ધવલ મહેતા

વ્યૂહરચનાનું ઘડતર સારું હોય પણ અમલીકરણ નબળું હોય તો કંપની નિષ્ફળ બને છે!

Updated: Oct 8th, 2017

GS TEAM

Google News
Google News

સંસ્થાનું માળખુ વ્યૂહરચનાને પોષક હોવું જોઈએ. વ્યૂહરચના એવી હોય કે બધાનો સમાવેશ કરવાથી જ તે સફળ થશે તો સંસ્થામાં એક-બે મુખ્ય લોકોની હકૂમત ના ચાલે

મેનેજમેન્ટ - ધવલ મહેતા 1 - imageડ્રીમ્સ એન્ડ રીઆલીટી :

વ્યૂહરચનાનું ઘડતર રથનું એક પેંડુ છે અને તેનું અમલીકરણ બીજુ પગલું છે. કોર્પોરેટ જગત કે રાજકારણીય જગતમાં 'પ્રોમીસ વીધઆઉટ પરફોર્મન્સ' તેને નિષ્ફળતા તરફ લઈ જાય છે. જગતમાં સર્વત્ર ડ્રીમ્સ અને રીઆલીટી (સ્વપ્ના અને વાસ્તવિકતા) વચ્ચે ભેદ જોવામાં આવે છે પરંતુ બન્ને વચ્ચે બહુ મોટું અંતર ના ચાલે.

વ્યૂહરચનાના અમલીકરણ માટે તેને અનુરૃપ (૧) ટેકનીક્સ (૨) એકશન (૩) વર્તનનું નિર્માણ કરવું પડે. પ્રથમ તો સંસ્થાકીય લીડરે ઘણા બળપૂર્વક નવી વ્યૂહરચના જરૃરી છે. કારણકે જૂની વ્યૂહરચના હવે ચાલે તેમ નથી તે અંગેનો મજબૂત કેસ ઉભો કરવો પડે. 

મોટેભાગે કંપનીના સીઈઓ કે સંસ્થાના વડાને સંસ્થાનું માળખું જે મળેલું હોય છે તેથી તેનો સ્વીકાર કરવો પડે છે. તેને માત્ર ધીરે ધીરે બદલી શકાય છે. નીચેના દસ પગલાં કંપનીના વડાને કે અન્ય રાજકીય સંસ્થાના વડાને વ્યૂહરચનાના અમલીકરણમાં મદદકર્તા થાય તેમ છે. દસમાંથી એક પણ પગલું ખોટુ અને ખોટો જ આખો દાખલો.

૧) મજબૂત મેનેજમેન્ટ ટીમ

વ્યવસ્થાતંત્રને ચેતનવંતુ બનાવવા એક મજબૂત મેનેજમેન્ટ ટીમની જરૃર છે. જુદા જુદા અનુભવવાળા, શૈક્ષણિક લાયકાતવાળા, તથા જુદી જુદી કુશળતા (સ્કીલ્સ) ધરાવતા માણસો જોઈએ. કેટલીક સફળ કંપનીઓની વાત કરીએ તો ગુગલ, સીસ્કો સીસ્ટમ્સ, જનરલ ઈલેક્ટ્રીક, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, નાઈકે, એમેઝોન ડોટ કોમ, ઈન્ટેલ, વગેરે 'બેસ્ટ એન્ડ બ્રાઈટેસ્ટ'ને જ પોતાની કંપનીમાં લે છે અને તેમને થોડાક જ વખત પછી ટોપ મેનેજમેન્ટ ટીમમાં સામેલ કરે છે.

ભારતની કંપનીઓમાં કંપનીમાં કામ કરીને ઘરડા થઈ જાઓ ત્યારે તમને ટોપ મેનેજમેન્ટમાં સ્થાન મળે છે. જ્યારે પશ્ચિમ જગત તેની ટોપ મેનેજમેન્ટમાં નવા નવા સાહસિકોને સ્થાન આપવા માંગે છે. તેજસ્વી માણસોની ભરતી કરવામાં તેમની વિચારસરણી ના જોવાય નહીં.

૨) પોતાની કંપનીમાં કોર કોમ્પીટન્સની ખીલવણી

સફળ કંપનીઓની સફળતાનું કારણ અમારી કંપની તમારી કંપની જેવી છે કે અમારો રાજકીય પક્ષ તમારા જ રાજકીય પક્ષ જેવો છે - આપણે બધા સરખા - તેવી માનસિકતા કામ કરતી નથી. સફળ કંપનીઓ તેમનાં વ્યૂહરચના સફળ થાય તે માટે પોતાની મર્મસ્થ કુશળતા કેળવે છે.

૩) વ્યૂહરચનાને અનુરૃપ માળખાનું ઘડતર

સંસ્થાનું માળખુ વ્યૂહરચનાને પોષક હોવું જોઈએ. વ્યૂહરચના એવી હોય કે બધાનો સમાવેશ કરવાથી જ તે સફળ થશે તો સંસ્થામાં એક-બે મુખ્ય લોકોની હકૂમત ના ચાલે. ઝડપી નિર્ણયો લેવાથી જ વ્યૂહરચનામાં સત્તાનું કેન્દ્રીકરણ થાય છે. સંસ્થા માટે ક્યુ માળખુ વધુ સારૃ રહેશે તેનો આધાર સંસ્થાની વ્યૂહરચના પર છે. કોઈ એક સ્વાયત સંસ્થા કોઈ અન્ય સંસ્થાનું સંતાન હોય તો બન્ને વચ્ચે સંઘર્ષ અનિવાર્ય છે. આ સંઘર્ષ બહાર આવતા બન્ને ક્ષીણ થઈ જાય છે.

૪) બજેટની ફાળવણી

એક વખત સંસ્થાની વ્યૂહરચના અને તેના ચાવીરૃપ સફળતાના માપદંડો નક્કી થઈ ગયા પછી તેને અનુરૃપ બજેટની ફાળવણી કરવી જોઈએ. કોઈ ફાર્માસ્યુટીકલ કંપનીની વ્યૂહરચના નવી દવાઓની શોધખોળ દ્વારા વિસ્તરણ કરવાની હોય તો તેણે આર એન્ડ ડી પાછળ બહુ જ મોટો ખર્ચ કરવો પડે તે સામાન્ય બુદ્ધિની વાત છે.  મેડીકલ કોલેજ માટે આટલી અધધધ ફીઝ ભારતનું સૌથી મોટુ સ્કેન્ડલ છે. યોગી ગોરખનાથવાળી હોસ્પીટલનો કે ડેરા સચ્ચા સૌદાના બાબાનો નંબર પછીથી આવે.

૫) પોલીસીઝ અને પ્રોસીજર્સમાં સુધારા

અમદાવાદના મ્યુનિસપાલિટીનો ખરાબ રસ્તાઓનો નંબર તે પછી આવે. સ્ટ્રેટેજીના અમલીકરણ માટે તેને પોષક પોલીસીઝ અને પ્રોસીજર્સ ઘડવા પડે. દેશમાં ઉદ્યોગોને ઉત્તેજન આપવું હોય, નવા ઉદ્યોગો શરૃ કરવા હોય તો 'ઈઝ ઓફ ડુઈગ બીઝનેસ'ના ક્ષેત્રમાં વોર-ફુટીંગ પર કામ કરવું પડે. જગતમાં આ ક્ષેત્રમાં આપણો ૧૩૦મો ક્રમ ના ચાલે. લોકપ્રિય થવાની પોલીસીઝને સદંતર તીલાંજલી આપવી પડે. મોટા મોટા પુતળા નહીં પણ પરફોર્મન્સ જોઈએ.

૬) બેસ્ટ પ્રેક્ટીસીઝ - સતત સુધારા

તમે જે ક્ષેત્રમાં હો તેને ક્ષેત્રમાં સર્વોત્તમ કાર્યો ક્યાં અને કેવી રીતે થાય છે તે 'આઈડેન્ટીફાય' કરીને તેનો અમલ કરવો પડે. દા.ત. ચીનમાં આપણા કરતાં મજૂરીના દરો વધારે છે તેમ છતાં ચીન આપણાથી આટલું બધુ સસ્તુ સ્ટીલ કેવી રીતે બનાવી શકે છે ? તેનો અભ્યાસ કરીને સ્ટીલ કંપનીઓ પોતાને ત્યાં 'બેસ્ટ પ્રેક્ટીસ' દાખલ કરી શકે છે.

૭) ઈન્ફોર્મેશન સીસ્ટમ અને ઓપરેટીંગ સીસ્ટમ

કંપનીમાં સર્વશ્રેષ્ઠ માહિતી સીસ્ટમ અને ઓપરેટીંગ સીસ્ટમની રચના કરો જેથી કંપનીના કે સંસ્થાની વ્યક્તિઓ પોતાનો વ્યૂહાત્મક રોલ સફળતાથી પૂરો કરી શકે. રાજકારણીય સંસ્થાઓમાંનો માહિતીની સીસ્ટમ તદ્દન અપટુડેટ જોઈએ - જોકે તેમાં ઘણીવાર થતો જાસૂસીનો ઉપયોગ અનૈતિક છે.

૮) પ્રોત્સાહકોને (રીર્વોડઝને) કંપનીની વ્યૂહરચના સાથે જોડો

કંપનીમાં જે રીવોર્ડઝ અને પ્રોત્સાહકો (ઈનામો પ્રમોશન વગેરે) અપાય છે તેને કંપનીની વ્યૂહરચનાના અમલની સાથે સીધી રીતે જોડી દો. કંપનીનીે વ્યૂહરચનાનું કર્મચારી જેટલું સારૃ અમલીકરણ કરે તેના પ્રમાણમાં જ તેને પ્રોત્સાહકો મળે. ઉપરીની ખુશામત માટે કોઈ પ્રોત્સાહન ના મળે તેમ થવું જોઈએ.

૯) સંસ્થાકીય કલ્ચર

સંસ્થાકીય કલ્ચર જ એવું ઉભુ કરો કે જેનું લક્ષ્ય ગપ્પાબાજી કે પબ્લીસીટી નહીં પણ કંપનીની વ્યુહરચનાના અમલીકરણની દીશામાં હોય. દરેક સંસ્થાનું મેનેજમેન્ટ કલ્ચર અલગ અલગ હોય છે. સરકારના રેઢિયાળ વર્ક કલ્ચરને કારણે ઓક્સીજનના અભાવે ૬૦ બાળકો મરી જાય છે. ટ્રેનોના અકસ્માતો થાય છે, યુનિવર્સિટીની છાત્રાઓ પર લાઠીમાર થાય છે, વરસાદમાં ભાગી ગયેલા રસ્તાઓનું રીપેરીંગ થતું નથી. અઢળક રસ્તા, અઢળક ભ્રષ્ટાચારને કારણે તૂટી જાય છે.

૧૦) લોકલ લીડરશીપ

સંસ્થામાં માત્ર ટોપ મેનેજમેન્ટ લીડરશીપ જ નહીં પણ નાના નાના અનેક સ્તરોએ આંતરિક લીડરશીપ ઊભી થવી જોઈએ. આ લીડરશીપ વ્યૂહરચનાનું અમલીકરણ કરાવવાળા કુશળ હોવા જોઈએ. રાજકીય સંસ્થાઓ માટે તો સ્થાનિક લીડરશીપ તેના પ્રાણ સમાન છે. નીચેના સપોટ વિના ઉપરનું માળખું કશું ના કરી શકે.

ઉપસંહાર : દરેક સંસ્થાએ એક વખત વ્યૂહરચનાનું ઘડતર થઈ જાય પછી ઉપરના દસ મુદ્દાઓ પર અનેક મીટીંગ્ઝ કરવી જોઈએ. દરેક મુદ્દા પર જ ત્રણથી ચાર મીટીંગ્ઝ થાય તેવું સૂચન છે તે દ્વારા ઘણી માદી કંપનીઓ પણ ટર્ન એરાઉન્ડ કરી શકે છે. ખરેખર તો સ્ટ્રેટેજીક લીડરનું આ જ ખરૃ કામ છે. નોન-સ્ટ્રેટેજીક લીડર અણીને સમયે પરદેશ પોતાની દાદીને મળવા જતા રહે છે અને પોતાની ઈમેચ્યોરીટી, નોન-કમીટમેન્ટ અને ઈગ્નોરન્સવાળી નેતાગીરીનો લોકોને પરિચય કરાવે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :