ઈતિહાસને અડિખમ રાખતો કીર્તિસ્તંભ
ખેડા સત્યાગ્રહ જનમાનસમાં જળવાઈ રહે એ માટે કઠલાલની હાઇસ્કૂલના આંગણમાં મોટો કીર્તિસ્તંભ બનાવવામાં આવ્યો છે. દિલ્હીના 'ગાંધી સ્મારક નિધિ' દ્વારા બંધાવાયેલા કીર્તિસ્તંભની અનાવરણવિધિ સત્યાગ્રહના ૪૦ વર્ષ નિમિત્તે ૧૯૫૮માં કરવામાં આવી હતી.
૩૩ ફૂટ ઊંચા સ્તંભની ટોચે ખેડૂતો માટે અર્થોપાર્જનના સાથી એવા નંદીનું પ્રતિક મૂકવામાં આવ્યું છે. સ્તંભની નીચે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સત્યાગ્રહનો ટૂંક પરિચય આપતું લખાણ મૂકવામાં આવ્યું છે. બાજુમાં ગાંધીજીએ મોહનલાલને લખેલો પત્ર પણ તામ્રપત્ર પર અંકિત કરીને રાખવામાં આવ્યો છે.