મૌત સે નહીં ઇશ્વર સે ડરો .
- દોબારા દોબારા-અલતાફ પટેલ
યુ તો આતે હૈ સભી દુનિયા સે જાને કે લીયે
મોત ઉસીકી હે જીસપે દુનિયા કરે અફસોસ...
આપણે જીવીએ તો છીએ પણ જીભ નથી સીવતા. જીભ વડે ભલભલાને ઉતારી તેનીપથારી ફેરવી નાખીએ છીએ. અપમાન કરીને જાણે મોટી રેસ જીતી હોય એમ બીજાને ઠેસ પહોંચાડીએ છીએ. પછી માળા ફેરવી, સઝદા ગમે તેટલા કરો ભાઈ ઇશઅવર અલ્લાહ રાજી ન થાય. છેવટે બાજી તમે હારી જવાના. એવું જીવો લોકો લખ્યા કરે, કોસો સુધી લોકો અફસોસ કરે. સાથે દોલત નહીં આવે પાપોનું પોટલું જરૂર આવશે. ટૂંકી ઝીંદગીને સુંદર બનાવીએ.
દરેક જગ્યાએ હાઉ હાઉ કરવાને બદલે સમાજ, દેશને ઉપયોગી થાવ : બુદ્ધનો ઉપયોગ તન, મનની શુદ્ધિ માટે કરી દગાખોરી, હરામખોરીથી બચો. જીવન સાર્થક બનાવો. નિરર્થક નહી. લોકો યાદ કરે એમ પ્રેમથી જીવો. લોકો મોઢું મચકોડી લે તેવું કોડી જેવું જીવન ન જીવો.
મોત કા ફરમાન અબ હો ચુકા જારી હે
તૈયાર રહે આજ ઉસ્કી, કલ હમારી બારી હૈ...
એમ ન સમજવાની ભૂલ કરતા કે મોત આવવાનું જ નથી. ગમે ત્યારે, ગમે તે ક્ષણે કોઈ ગણે કે અવગણે જ આવી જાય. મોતથી ડરવાનું નથી ઇશ્વરથી ડરીને સારા કર્મો, ગમો કે અણગમો હોય કર્યે રાખવાના. સૌ સુખી થશે. સત્કર્મો મનને પ્રફુલ્લિત રાખે, ગમે તેવા ભારી દુષ્ટ કર્મોથી ઉગારી લે. કોઈને જો મણની શિખામણ આપવી હોય તો મૃત્યુ યાદ અપાવવું. ખોટા કામ કરતા નાના મોટા બધા ડરશે. મૌનની સાધના દરેક આરાધના પુરી કરશે.
કરો મહેરબાની એહલે ઝમી પર
રબ હોગા મહેરબાની અરશે બરી પર.
પરોપકારનો સ્વભાવ હશે તો આદર સન્માન વધશે. ઇશ્વરના આશીર્વાદથી સઘળા સુખ દોડતા આવશે... જીવન અધુરું નહીં મધુરુ બનશે... શ્રદ્ધા રાખી શરૂઆત કરશો તો બધા કામો કોઈ પણ જાતના ગમ વગર સુગમ થઈ જશે...
સોચતા થા સબકે દિલો કી જાન બન જાઉં
શોહરત એસી હો જહાં કી શાન બન જાઉં
ફિર સોચા નહીં અલતાફ પેહલે અચ્છા ઇન્સાન બન જાઉં