Get The App

પક્ષીઓ ઊડતા વિમાનને જમીનદોસ્ત કરી શકે ?!

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
પક્ષીઓ ઊડતા વિમાનને જમીનદોસ્ત કરી શકે ?! 1 - image


- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

ઊ ડતા વિમાન સાથે પક્ષી અથડાય તેને બર્ડ હીટ કે બર્ડ સ્ટ્રાઈડ કહેવાય છે. એકલ દોકલ પક્ષી વિમાન સાથે અથડાયને દૂર ફંગોળાય જાય છે. પણ પક્ષીઓના ટોળાં સામે આવી જાય ત્યારે કેટલાંક પક્ષીઓ પાયલોટનો વિન્ડ સ્ક્રીન તોડી નાંખે તો કેટલાંક એન્જીનમાં ઘૂસી જઇ બ્લેડ તોડી નાંખે છે.

યુએસ એરવેઝની ફલાઈટ ૧૫૪૯ ન્યુયોર્ક સિટીમાંથી ઊડી ઊંચે જઈ રહી હતી ત્યારે પક્ષીઓનું ટોળુ તેની સાથે અથડાતા જેટ એંજીનોએ ખૂબ અવાજ કર્યો હતો અને તેનો પાવર ખલાસ થઈ જતાં ૧૫૦ પેસેન્જરોને ઠંડા પાણી વાળી નદીમાં ઉતારવું પડયુ હતું. જો કે બધા બચી ગયા હતા.

જેમ જેમ વર્ષો વીત્યા તેમ તેમ આધુનીક વિમાનો અને હરિયાળા એરપોર્ટને કારણે બર્ડ સ્ટ્રાઈક વધતી જાય છે. એરપોર્ટની આસપાસની વસ્તી કચરો ખૂલ્લો રાખે ત્યારે પક્ષીઓ આ કચરો લઈ રનવે પર ગોઠવાય જાય છે. વળી એરપોર્ટની લીલી હરીયાળી ખાસ ચોમાસામાં પક્ષીઓને કીટકો માટે આકર્ષે છે.

નાના પક્ષીઓની અથડામણ વિમાનની સ્પીડને કારણે અનેક ગણી પાવરફુલ થઈ જાય છે. ભૌતિકશાસ્ત્રીના કાઈનેટિક એનર્જીના સમીકરણ સાથે તેને સંબંધ છે. ૧૫૦ માઈલની સ્પીડે ઊડતા વિમાન સાથે સાડા પાંચ કિલોનું કેનેડા ગુઝ (એક પક્ષી) અથડાય ત્યારે ૧૦૦૦ પાઉન્ડનું બળ ઉત્પન્ન થાય છે !

વિમાન ટેકઓફ કરતું હોય ત્યારે તેની સ્પીડ કલાકના ૨૭૫ કિ.મી. જેટલી હોય છે. આ વખતે તેની એન્જીન બ્લેડ પ્રતિ મિનિટ ૩૦૦૦ થી ૪૦૦૦ રોટેશન પર ચાલતી હોય છે. વળી તેની બ્લેડની ટોચ અવાજની ગતિ જેટલી ઝડપે ફરતી હોય છે. જે કલાકના ૧૧૨૫ થી ૧૧૮૫ કિ.મી.ની થાય છે ! જ્યારે પક્ષી તેને અથડાય છે ત્યારે જબરજસ્ત એનર્જી પક્ષીથી વિમાનમાં ટ્રાન્સફર થાય છે. જે એંજીનને ગંભીર રીતે બગાડે છે.

પક્ષીઓની વિમાન સાથેની ૮૫ ટકા અથડામણમાં ખાસ કંઈ બનતું નથી. ૧૨-૧૫ ટકા અથડામણમાં વિમાનને હાની થાય છે. બોઇંગ MD-80  અથવા એરબસ  A320માં એજીંન પાંખની નીચે હોવાથી તેમાં પક્ષીઓની અથડામણ પાંચ વખત વધુ થાય છે. જ્યારે બોઇંગ MD-80 જેવા વિમાનમાં એંજીન ફ્યુજલેજની ઉપર હોવાથી અથડામણ ઓછી થાય છે. અહીં સ્ઘ-૮૦  ઉપરનો એરફ્લો વધુ હોવાથી પક્ષીઓ એંજીનથી દૂર ફેંકાય જાય છે.

બર્ડ સ્ટ્રાઈક ઘટાડવા હોય તો એરપોર્ટથી ૨ કિ.મી. સુધી કચરાના ઢગલા ના હોવા જોઈએ. વિમાનમાંથી નીકળતો કચરો દૂર સુધી લઈ જઈ ઢાલવવો જોઈએ. વોટર ડ્રેનેજ બરાબર જોઈએ. ઘાસ કાપતાં રહેવું જોઈએ. એરપોર્ટની અંદર અને આસપાસ પક્ષીઓને ખોરાક પાણી ના મળે એવી વ્યવસ્થા કરી એરપોર્ટને સ્ટરાઈલ રાખવું જોઈએ. આ ઉપરાંત ગન, ફટાકડા, શ્વાન વગેરેનો ઉપયોગ તો થતો જ હોય છે.

પક્ષી ઊડાડવાની ટીમે પાયરોટેકનિક્સ અને નોઈઝમેકરનો અવાજ કરવો જોઈએ. વિમાન પર અલ્ટ્રાવાયોલેટ-રિફલેક્ટીંગ પેઈન્ડ લગાડવો જોઈએ જેને પક્ષીઓ જોઈ શકે છે. રડાર પર પક્ષીઓ દેખાય એવો પ્રોગામ કરવો જોઈએ. તે પાયલોટ અને એટીસી પાસે હોવો જોઈએ. અમદાવાદ એરપોર્ટ આ વિશે વિચારી શકે.

Tags :