Get The App

મેનેજમેન્ટમાં સંતુલનનો વિચાર .

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
મેનેજમેન્ટમાં સંતુલનનો વિચાર                                . 1 - image


- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- કંપનીઓ તેની સાથે સંકળાયેલા અનેક જૂથોના હિતો વચ્ચે સંતુલન જાળવવાના પ્રયત્નો કરે છે. 

ઘ ડીયાળના ભાગો સંતુલિત ના હોય તો ઘડીયાળ ખોટો જ સમય બતાવે. સરકારના એકઝીક્યુટીવ, લોજીલેસ્ટીવ અને જયુડીશીયલ ખાતાઓ વચ્ચે સંતુલન ના હોય તો અંધાધૂધી ફેલાઈ જાય. આવક અને ખર્ચ વચ્ચે નેગેટીવ બેલેન્સ હોય તો કંપની લાંબે ગાળે નાદારી નોંધાવે. જગતની તમામ પ્રતિષ્ઠિત કંપનીઓ માત્ર નફાને ધ્યાનમાં રાખીને ચાલતી નથી. નફો કરવો અને નફાખોરી કરવી તેમાં આભજમીનનો તફાવત છે. નફાખોરી હંમેશા ગ્રાહકોને કે સરકારને છેતરીને થતી હોય છે. ગ્રાહકોને નકલી કે ઉતરતી ગુણવત્તાનો માલ આપીને કે ઉત્પાદકોનું સીક્રેટ કાર્ટેલ (સંગઠન) કરીને જે નફો થાય તેને નફાખોરી કહે છે જે ગુનેગારી માનસીકતા દર્શાવે છે. 

મેનેજમેન્ટમાં સંતુલનનો વિચાર

જગતની તમામ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમની સફળ કામગીરી માટે માત્ર ઊંચો નફો અને ઊંચાઊંચા ડીવીડન્ઝનો જાહેર કરીને ફૂલાઈ જતી નથી. પહેલા આમ થતું હતું. હવેની કંપનીઓ તેની સાથે સંકળાયેલા કે નીસબત ધરાવતા અનેક જૂથોના હિતો વચ્ચે સંતુલન જાળવવાના પ્રયત્નો કરે છે. 

અંગ્રેજીમાં આને બેલેન્સ બીટવીન કોમ્પીટીટીવ ગુ્રપ ઈન્ટરેસ્ટસ કહીએ છીએ. આ જુથો ક્યા છે અને તેમના હીતો ક્યા છે તેની ટૂંકામાં રજૂઆત નીચે કરી છે.

શેરહોર્લ્ડસના હિતો:

કંપનીની મેનેજમેન્ટે શેરહોલ્ડર્સ માટે નફાકારક કામગીરી કરવી જોઈએ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આથી કંપનીનું વેચાણ વધતું જાય, નફો વધતો જાય, તે જોવાની ફરજ કંપનીના મેનેજમેન્ટની છે. આ માટે કંપનીએ લોકલમાંથી રીજીઓનલ, રીજીઓનલમાંથી નેશનલ અને નેશનલમાંથી ઈન્ટરનેશનલ અને તે પછી ગ્લોબલ બની જાય છે. કંપની જો નફો કરવાનું બંધ કરી દે, તેનું વેચાણ ઉત્તરોત્તર ઘટતું જાય, કંપનીની પ્રોડક્ટસ જોખમી સાબીત થાય એટલે કે કારમાં એકાએક આગ લાગે તો કંપનીને કદાચ બંધ કરવાનો પણ વારો આવે.

કર્મચારીઓના હિતો: 

કંપનીના કર્મચારીઓ તેનો પ્રાણ છે. તેમના વિના કંપની ખાલી ખોખુ ગણાય. કંપનીએ પોતાના કર્મચારીઓને તેમની કામગીરી પ્રમાણે બઢતી આપવી જોઈએ. કંપનીમાં કામ કરતા તમામ કામદારોને તેમને યોગ્ય પગાર અને અન્ય લાભો (રજાઓ, પ્રોવીડન્ટ ફન્ડ વગેરે) આપવા પડે. કંપનીએ મેનેજમેન્ટને એવી રીતે વિકસાવવી જોઈએ કે કંપનીના કર્મચારીઓને 'જોબ સેટીસફેકશન' મળવું જોઈએ અને તે બાદ 'લાઈફ સેટીસફેકશન' મળવું જોઈએ.

ગ્રાહકોના હિતો: કંપનીએ સ્વચ્છ અને સલામત (સેઈફ) માલ કે સેવાઓ ગ્રાહકોને પૂરી પાડવી જોઈએ. માલની અછત કૃત્રીમ રીતે ઊભી કરી ગ્રાહકો પાસેથી વધુ પૈસા પડાવવા તેને કંપનીઓનો ઘોર અપરાધ ગણવો જોઈએ. કંપનીના માલની ગેરેન્ટી, તે માલ સ્વચ્છ હોય તેની ગેરન્ટી, માલની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં, આફટર સેલ્સ સર્વીસ, ક્ષતિપૂર્ણ કોઈ કચકચાટ વિના પાછો લેવો, હપ્તા દ્વારા માલ સપ્લાય કરવો વગેરે દરેક કંપની માટે અગત્યના છે. એક જાણીતી કહેવત એ છે કે જો તમારો માલ સારો હોય અને ગ્રાહક ખુશ હોય તો તે બીજા બે જણને તે વિષે વાત કરશે પરંતુ જો તમારો માલ ખરાબ હશે, તમે ગ્રાહક સાથે ગેરવર્તન કર્યું હશે અને તેની સાથે ઉદ્ધતાઈથી વર્ત્યા હશો તો તે તમારી કંપની સામેની ફરીયાદની વાતો અન્ય દસ ઓળખીતા કે મિત્રોને કે પાડોશીઓને કરશે.

સરકારના હિતો : કંપની સરકારના દરેક નિયમનું પાલન કરે અને બધાને લગતા તમામ કરવેરા પ્રામાણીકપણે ભરે તે કંપનીની સરકાર માટેની જવાબદારી છે.

સમાજના હિતો : કંપની વાતાવરણનું જરા પણ પ્રદૂષણ ના કરે તે જરૂરી છે.

કંપનીના પાડોશીના હિતો : કંપનીઓ એકલી કે ભેગા મળીને અમેરીકામાં જે થયું છે તેમ સ્ટેનફર્ડ, હાર્વર્ડ જેવી યુનિવર્સિટીઓ ઊભી કરે તે સમાજના હિતમાં છે. કંપનીના જે આજુબાજુના પાડોશીઓ હોય તેમને કંપની દ્વારા કોઈ ઘોંઘાટ ના થાય, કંપનીના કાચા પાકા માલની કોઈ રજકણો ના ઊંડે, પાડોશીઓની અગાશીમાં કોલસાના રજકણો પથરાઈ ના જાય વીજળી મથકોને કારણે થાય છે) તેની પણ કંપનીએ કાળજી રાખવી પડે. કંપનીએ ગુડ નેઈબર પોલીસી અપનાવવી પડે. 

વાતાવરણની જાળવણી : પાડોશી માટે અને સમાજ માટે કંપની શહેરમાં સારા બાગબગીચા બનાવે કે ફર્સ્ટ રેટ શાળાઓની રચના કરે તે પણ તેની સામાજીક નીસ્બત દર્શાવે છે.

Tags :