Get The App

'કોન-ટિકી અભિયાન': વૈજ્ઞાાનિક પરિક્ષણમાં પાસ!

- ફયુચર સાયન્સ- કે.આર.ચૌધરી

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
'કોન-ટિકી અભિયાન': વૈજ્ઞાાનિક પરિક્ષણમાં પાસ! 1 - image


વિ જ્ઞાાન જગતમાં કોઇપણ નિર્જીવ વસ્તુની  ઉંમર નક્કી કરવાની હોય તો રેડિયો કાર્બન ટેસ્ટ કરવામાં આવે છે.  જ્યારે સજીવનો ઇતિહાસ અને ઉંમરની  નિર્ધારણ આમાં કરવા માટે જિનેટિક ટેસ્ટ એટલે કે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે.   અમેરિકામાં થતા સ્વીટ પોટેટો એટલે કે સક્કરીયા,  પ્રશાંત મહાસાગરમાં આવેલ એક હજાર કરતા વધારે ટાપુઓમાં કેવી રીતે પહોંચ્યા હતા? એક થિયરી મુજબ આદિજાતિના અમેરિકન પ્રશાંત મહાસાગરમાં આવેલ પોલિનેશિયા તરીકે ઓળખાતા ટાપુઓમાં સક્કરીયા સાથે લઈ ગયા હતા. 

બીજી થિયરી મુજબ પોલિનેશિયાના આદિવાસી દક્ષિણ અમેરિકા ખંડમાં આવી, વળતી મુસાફરીમાં સક્કરીયા પોતાની સાથે લઈ ગયા હતા.  જોકે સૌથી વધારે યોગ્ય થીયરી વૈજ્ઞાાનિકોને લાગતી હતી કે, આદિજાતિના અમેરિકન પ્રશાંત મહાસાગરમાં આવેલા પોલિનેશિયા ટાપુ પર સૌ પહેલા પહોંચ્યા હતા.

યુરોપિયન પ્રજા અહીં પહોંચે તે પહેલા,  અમેરિકન આદિજાતિના આદિવાસીઓ અહીં પહોંચી ગયા હતા.  આખરે વિજ્ઞાાન આ સમસ્યાને ઉકેલીને જવાબ આપી દીધો છે.  તાજેતરમાં થયેલ ડીએનએ એટલે કે જિનેટિક ટેસ્ટ બતાવે છે કે પોલિનેશિયા ટાપુના લોકોમાં,  અમેરિકન આદિવાસી પૂર્વજોનું ડીએનએ વણાયેલું છે.  સામાન્ય લાગતી આ થિયરી પાછળ ઇતિહાસ,  પુરાતત્વ વિજ્ઞાાન,  નૃવંશશા અને  અનોખા માનવીઓનું અનોખું સાહસ સંકળાયેલું છે. 

'કોન-ટિકી અભિયાન': વૈજ્ઞાાનિક પરિક્ષણમાં પાસ! 2 - image

કોન-ટિકી અભિયાન : થોર હ્યારદાલ્હની અગ્નિ-પરીક્ષા

પોલિનેશિયાના આદિવાસીઓ  વહાણવટું ખેડવામાં ખૂબ જ માહિર ગણવામાં આવે છે.  તેઓ નક્ષત્ર અને તારા આધારિત દીશા-શોધન અને માર્ગ-નિર્ધારણ પદ્ધતિ વાપરતા હતા. આ ટાપુઓ દક્ષિણ અમેરિકા,  ઓસ્ટ્રેલિયા જેવા વિશાળખંડથી  ૫ થી ૭ હજાર કિલોમીટર દૂર આવેલા છે.  ઇતિહાસકારોને એ સવાલ સતાવે છે કે,  જ્યારે વિશાળ જહાજ બાંધવાની શરૂઆત નહોતી થઈ ત્યારે,  આદિજાતિના લોકોએ આટલી લાંબી મુસાફરી કઈ રીતે  કરતા હશે? આ સવાલનો જવાબ આપવા માટે,  નોર્વેના લેખક અને સાહસિક માનવી થોર હ્યારદાલ્હ એક અનોખી યાત્રા માટે તૈયાર થાય છે.  તે માનતો હતો કે પ્રાચીન આદિ-પ્રજા લાકડાના  તરાપા બાંધીને  હજારો કિલોમીટરની સાગરયાત્રા,  મહાસાગરના પાકૃતિક પવનની દિશાનો લાભ લઈને કરતા હશે. આ વાતને સાબિત કરવા માટે તેમણે અમેરિકાના કોલંબિયા રાજ્યથી બાલ્સા વૃક્ષના બનેલા તરાપામાં પાંચ સાથીદાર સાથે અનોખી સાહસયાત્રા શરૂ કરી હતી. બાલ્સાવૃક્ષનું લાકડું વજનમાં સૌથી હલકુ લાકડું છે.

ભારત આઝાદ થયું તે વર્ષ, એટલેકે ૧૯૪૭માં એક સાહસિક માનવી થોર હ્યારદાલ્હ,  બાલસા વૃક્ષના  લાકડામાંથી બનાવેલ તરાપામાં,  દરિયાઈ પવનની દિશા અને અસરનો ઉપયોગ કરી,  દક્ષિણ અમેરિકાના કોલંબિયાથી  પોલિનેશિયાના ટાપુઓ સુધીની સફર ખેડી હતી.  આ સફરનો ઉદ્દેશ એ સાબિત કરવાનો હતો કે  પોલિનેશિયા ઉપર દક્ષિણ અમેરિકા જેવા ખંડના આદિવાસીઓ,  સૌ પહેલા પહોંચ્યા હતા.

થોર હ્યારદાલ્હની સાહસ કથા Kon-Tiki નામે જાણીતી છે. ૧૯૫૦માં  આ સાહસકથા ઉપર એક  દસ્તાવેજી ફિલ્મ બની હતી.  સામાન્ય માનવી સુધી આ સાહસને પહોંચાડવાનું કામ,  હોલિવૂડના નિર્માતાઓએ ૨૦૧૨માં કર્યું હતું. તેમણે બનાવેલી Kon-Tiki  ફિલ્મ, ઓસ્કાર એવોર્ડ મેળવવા માટે પણ દાવેદાર બની હતી. 

યુરોપિયન પ્રજા સદીઓ બાદ આ ટાપુ પર પહોંચી હતી.  અમેરિકામાં થતાં  સ્વીટ-પોટેટો એટલે કે સક્કરીયા પણ,  આદિજાતિના અમેરિકન તેમની સાથે પોલિનેશિયા ટાપુ પર લઈ ગયા હતા.  આ વાતની વૈજ્ઞાાનિક ખાતરી હવે મળી ગઈ છે.  આ ઉપરાંત તાજેતરમાં થયેલ જિનેટિક ટેસ્ટમાં એ વાત સાબિત થઈ છે કે  પોલિનેશિયન પ્રજાના વારસાગત લક્ષણો ધરાવતા જેનેટિક મટીરીયલમાં અમેરિકન આદિજાતિના લોકોની જેનેટિક મટીરીયલ વધારે પ્રમાણમાં છે.  તેમજ અન્ય  પ્રજાના જિનેટિક મટીરીયલ કરતાં વધારે પ્રાચીન  પણ છે. 

'કોન-ટિકી અભિયાન': વૈજ્ઞાાનિક પરિક્ષણમાં પાસ! 3 - image

પોલિનેશિયા ટાપુઓ : સાહસ  કથાના જન્મદાતા

પેસિફિક ઓસન એટલેકે પ્રશાંત મહાસાગરમાં દક્ષિણ ભાગમાં આવેલ ૧૦૦૦ કરતા વધારે ટાપુઓ પોલિનેશિયા તરીકે ઓળખાય છે.  પોલિનેશિયાનો સૌથી વિશાળ દેશ ન્યૂઝીલેન્ડ છે. ૧૭૫૬માં પ્રથમ વાર  ફ્રેન્ચ લેખક ચાર્લ્સ દ્ બ્રોસેસ દ્વારા  પોલિનેશિયા શબ્દપ્રયોગ થયો હતો.  જે મુજબ પ્રશાંત મહાસાગરમાં આવેલા બધા જ ટાપુઓ પોલિનેશિયા તરીકે ઓળખાતા હતા. ૧૮૩૧માં   જ્યોગ્રાફી સોસાયટી ઓફ પેરિસના એક પ્રવચનમાં જુલ્સ દ્ મોન્ટે ઉવલ્લે કહ્યું હતું કે  પોલિનેશિયા ટાપુની  ભૌગોલિક વ્યાખ્યા થોડી બદલવી જોઈએ. 

તેને મર્યાદિત પણ કરવી જોઈએ. દક્ષિણ મહાસાગર એટલે કે સાઉથ સીમાં આવેલા ટાપુઓને, સાઉથ ટાપુઓ તરીકે ઓળખવા જોઈએ. બધી જ  ચર્ચા બાદ હાલમાં, પ્રશાંત મહાસાગરના દક્ષિણમાં આવેલા ટાપુ  પોલિનેશિયા તરીકે ઓળખાય છે.કેટલાક લોકો તેને પોલિનેશિયન ટ્રાયંગલ પણ કહે છે. ત્રિકોણ દોરવા માટે હવાઈન ટાપુ,  ઈસ્ટર ટાપુ અને ન્યૂઝીલેન્ડના ટાપુને શિરોબિંદુ તરીકે લેવામાં આવે છે. 

એક ભૌગોલિક થિયરી મુજબ,  પૃથ્વીના બધાજ ખંડ પહેલા એક સાથે જોડાયેલા હતા. જેને ગોંડવાના લેન્ડ તરીકે ઓળખવામાં આવતી હતી. ૮.૩૦થી માંડીને ૭.૯૦ કરોડ વર્ષ પહેલાં,  તેમાં વિભાજન થતા પૃથ્વી પર આવેલા અલગ-અલગ ભૂમિખંડ પેદા થયા છે. પ્રાચીનકાળમાં ન્યૂઝીલેન્ડ પાસે એક આખો  ભૂમિખંડ ઉપસેલો હતો.  પરંતુ ૨.૩૦ કરોડ વર્ષ પહેલા તે પ્રશાંત મહાસાગરમાં ડૂબી ગયો હતો. 

ડૂબી ગયેલા ભૂમિખંડનુ નામકરણ,૧૯૯૫માં અમેરિકન ભૂ-ભૌતિકશાી  અને  મહાસાગરવિદ્યાના નિષ્ણાત બુ્રસ લુયેન્દિક ''ન્ઝીલેન્ડિયા'' તરીકે  કર્યું હતું. જ્વાળામુખી ફાટવાની પ્રક્રિયાના કારણે,  પેસિફિક મહાસાગર વાળી ભૂમિખંડની પ્લેટ ઉચકાઇ હતી.  જેના કારણે ડૂબી ગયેલ ન્ઝીલેન્ડિયાનો કેટલોક ભાગ મહાસાગરની સપાટીથી ઉપરની તરફ આવી ગયો અને સેંકડો ટાપુઓની રચના કરી.  જે  પોલિનેશિયા તરીકે ઓળખાય છે. આ ટાપુઓ ઉપર વસનારી જાતીના લોકોના પૂર્વજો કોણ હતા,  એ જાણવાની વૈજ્ઞાાનિકો ઇતિહાસકારો અને નૃવંશ શાીઓને તાલાવેલી લાગેલ છે.  છેલ્લા ૨૦૦ વર્ષથી,  પોલિનેશિયાના આદિજાતિના લોકોના વંશવૃક્ષ વિશે અલગ અલગ  થીયરી આપવામાં આવે છે. જેના આધારે અલગ-અલગ વૈજ્ઞાાનીક પરીક્ષણ કરવામાં  આવેલ છે. 

'કોન-ટિકી અભિયાન': વૈજ્ઞાાનિક પરિક્ષણમાં પાસ! 4 - image

પોલિનેશિયન પ્રજાના મૂળિયા શોધવાની કવાયત

પ્રશાંત મહાસાગર પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ કવર કરે છે.  પ્રશાંત મહાસાગરમાં  પોલિનેશિયાના ટાપુ આવેલા છે . બારમી સદીમાં  પોલિનેશિયન  આદિ-પ્રજા સાત હજાર કિલોમીટરની ત્રિજ્યામાં પ્રશાંત મહાસાગરમાં વહાણવટું ખેતી હતી. જેના માટે દરિયાઈ પવનની દિશા, મહાસાગરના મોજા, યાયાવર પક્ષીઓના માર્ગ, સ્વયં પ્રકાશ પેદા કરતી સૂક્ષ્મ વનસ્પતિ, નક્ષત્ર અને તારાની સ્થિતિ,  આ બધાનો સમન્વય કરી દીશા-શોધન અને માર્ગ-નિર્ધારણ કરતા હતા. 

ન્યૂઝીલેન્ડ થી માંડી હાલના ઈસ્ટર ટાપુ સુધી તેઓ પહોંચી ગયા હતા.  આ કારણે વૈજ્ઞાાનિકોને એક સવાલ હંમેશા સતાવતો હતો કે પોલિનેશિયાથી ૩૮૦૦ કિલોમીટર દૂર આવેલ દક્ષિણ અમેરિકા ખંડ સુધી,પોલિનેશિયન આદિજાતિના લોકો પહોંચ્યા હતા ખરા? મેક્સિકો અને કેલિફોનયાના વૈજ્ઞાાનિકોએ આ સવાલનો જવાબ શોધી કાઢયો છે, સાથે સાથે એ વાત પણ નક્કી કરી છે કે અમેરિકા ખંડમાં થતાં સ્વીટ-પોટેટો એટલે કે સક્કરીયા,  પોલિનેશિયન ટાપુ પર ક્યારે પહોંચ્યા હતા?  વૈજ્ઞાાનિક સંશોધનની શરૂઆત ૨૦૧૪થી શરૂ થઈ હતી.  તાજેતરમાં નેચર મેગેઝિનમાં સંશોધન અંગે રિસર્ચ પેપર પ્રકાશિત થયું છે.

ઈસ્ટર ટાપુ જેને ''રાપા નૂઈ''કહે છે,તે ટાપુના ૧૬૬ લોકો, પોલિનેશિયા ટાપુના ૧૮૮ લોકો અને અન્ય ટાપુના ૧૬ લોકોના સેમ્પલ ૧૯૯૦ના દાયકામાં એકઠા કરવામાં આવ્યા હતા. તાજેતરમાં અન્ય એક વૈજ્ઞાાનિક ટુકડીએ આધુનિક પોલિનેશિયાના લોકોના ૮૦૭ ડીએનએ સેમ્પલ,  અન્ય ટાપુમાંથી ૧૭ ગ્રુપના લોકો,  અને પ્રશાંત મહાસાગરના કિનારે આવેલ અમેરિકા ખંડના ૧૫ આદિજાતિના લોકોના ડીએનએ સેમ્પલ એકઠા કર્યા હતા.  આ સમ્પલોનું એનાલિસિસ કર્યા બાદ વૈજ્ઞાાનિકોને જાણવા મળ્યું કે અમેરિકન આદિજાતિના લોકોનું જિનેટિક મટીરીયલ, છેલ્લી ૨૮ પેઢીથી પોલિનેશિયન  લોકોના  જેનોમમાં મળી ગયેલ છે. જેના ઉપરથી વૈજ્ઞાાનિકોએ ગણતરી કરતા માલુમ પડે છે કે દક્ષિણ અમેરિકાના આદિજાતિના લોકો અને પોલિનેશિયા ખંડની  આદિ-પ્રજા,  ઈસવીસન ૧૧૫૦ની આસપાસ એકબીજાના સંપર્કમાં આવી હતી.  તે સમયે અમેરિકાની  આદિ-પ્રજા સ્વીટ પોટેટો/  સક્કરીયા પોલિનેશિયા ટાપુ પર લઈ ગઈ હતી.

'કોન-ટિકી અભિયાન': વૈજ્ઞાાનિક પરિક્ષણમાં પાસ! 5 - image

એક અન્ય થીયરી

પહેલા પોલિનેશિયા પ્રજા દક્ષિણ અમેરિકા ખંડમાં આવી હતી કે દક્ષિણ અમેરિકાના આદિવાસી પોલિનેશિયા પહોંચ્યા હતા.  પરંતુ પોલિનેશિયન લોકો સાગર ખેડવામાં માહિર હતા. તે ઉપરથી વૈજ્ઞાાનિકો માને છે કે પોલિનેશિયન આદિ-જાતિના લોકો પહેલા દક્ષિણ અમેરિકા ખંડના, હાલમાં  જ્યાં કોલંબિયા રાજ્ય છે, ત્યાં પહોંચ્યા હતા. 

કોલમ્બિયા યુનિવસટીના વૈજ્ઞાાનિકોની એક ટીમે પ્રશાંત મહાસાગરના કિનારે આવેલ  લેટિન અમેરિકાના ૧૫ મૂળ આદિ જાતિના લોકોનું સેમ્પલિંગ કર્યું હતું.  તેમના અનુમાન પ્રમાણે બંને પ્રજાનું મિલન દક્ષિણ માર્કસાસ ટાપુ પર થયું હોવું જોઈએ. આ એક સંભાવના છે. ૧૯૪૭ સાહસિક સાગરખેડૂ થોર હ્યારદાલ્હનો તરાપો  મહાસાગરના પ્રવાહમાં તણાઈને દક્ષિણ અમેરિકાના રારોઈયા આટોલ ટાપુએ પહોંચ્યો હતો. 

આ વિસ્તારના આજુબાજુના ટાપુ ઉપરથી જિનેટિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બતાવે છે કે થોર હ્યારદાલ્હનો જે મકસદ હતો, તે સંશોધનને આધુનિક જિનેટિક ટેસ્ટ સમર્થન આપે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે હાલના તાઇવાન ટાપુ, જે પહેલા ફોરમોસા તરીકે ઓળખાતો હતો તેના લોકો પોલિનેશિયા તરફ મુસાફરી કરીને પહોંચ્યા હતા.  જેના કારણે પોલિનેશિયન પ્રજાના જેનોમમાં પૂર્વ એશિયાઈ ટાપુના આદિજાતિના લોકોના  જનિન હોવા જોઈએ. પોલિનેશિયન લોકોના મૂળ દક્ષિણ અમેરિકા ખંડ તરફ નહીં પરંતુ દક્ષિણ-પૂર્વના એશિયન લોકો તરફ રહેલા છે.   

સંશોધનમાં જાણવા મળ્યું હતું કે માતૃપક્ષે મળતું ડિેએનએ કણાભસૂત્ર એટલે કે  mitochondriaમાં જળવાયેલું રહે છે,  જ્યારે પિતૃપક્ષ તરફથી મળતું ડિેએનએ પુરુષના ''વાય'' ક્રોમોઝોમ/ રંગસૂત્રમાં સચવાયેલું રહે છે. જેનું પૃથક્કરણ કરતાં જાણવા મળ્યું હતું કે પોલિનેશિયનપ્રજાની ીઓનું ડિેએનએ તાઇવાનની  સ્ત્રીઓને મળતું આવે છે.  જ્યારે પુરુષોનું ડિેએનએ દક્ષિણ અમેરિકન આદિજાતિના લોકો સાથે મળતું આવે છે. 

Tags :