Get The App

દરેક મોટી કંપનીઓ નવી નવી યુનિવર્સિટી સ્થાપે તે જરૂરી

Updated: Feb 15th, 2020

GS TEAM

Google News
Google News
દરેક મોટી કંપનીઓ નવી નવી યુનિવર્સિટી સ્થાપે તે જરૂરી 1 - image

 
મેનેજમેન્ટ - ધવલ મહેતા

ચોથી ઔદ્યોગીક ક્રાંતિ જે અત્યારે શરૂ થઈ ગઈ છે તેના મૂળમાં આર્ટીફીશીયલ રોબોટીક્સ, ઈન્ટેલીજન્સ, બાયોટેકનોલોજી,   કલાઉડ ટેકનોલોજી, અને થ્રી-ડી પ્રીન્ટીંગનો છે. 

ચોથી ઔદ્યોંગિક ક્રાંતિ : વૈશ્વીકીકરણનો અત્યારે જે તબક્કો ચાલી રહ્યો છે તે દરમિયાન અતિ રાષ્ટ્રવાદ, વિશ્વ વ્યાપારમાં સંરક્ષાવાદ (એટલે કે અન્ય દેશોમાંથી થતી આયાતો પર મોટા કરવેરા, અમુક આયાતો પર પ્રતિબંધ) જમણેરીવાદ અને વધતી જતી આર્થિક અસમાનતા ઊભરી છે. વાતાવરણનું પ્રદૂષણ વધતું જાય છે અને જગતમાં આતંકવાદ ઊભર્યો છે, અત્યારે ઔદ્યોગીકવાદનો ચોથો તબક્કો ચાલે છે.

પ્રથમ ઔદ્યોગીક ક્રાંતિ વરાળથી ચાલતા એન્જીનો અને રેલ્વેઝ અંગેની હતી, બીજી ઔદ્યોગીક ક્રાંતિમાં વીજળીથી ચાલતા યંત્રો તથા માસ પ્રોડકશન અને ખાસ માર્કેટીંગને લગતી હતી. ત્રીજી ઔદ્યોગીક ક્રાંતિ કોમ્પ્યુટર્સ અને કોમ્પ્યુટર સંચાલિત ઈર્ન્ફોમેશન ટેકનોલોજીને લગતી હતી અને હજી ધમધમતી ચાલુ છે અને ચોથી ઔદ્યોગીક ક્રાંતિ જે અત્યારે શરૂ થઈ ગઈ છે તેના મૂળમાં રોબોટીક્સ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ, કલાઉડ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, અને થ્રી-ડી પ્રીન્ટીંગનો છે.

આ ચોથી ઔદ્યોગીક ક્રાંતિ અથવા વૈશ્વીકરણનો આ તબક્કો આર્થિક અસમાનતાને દૂર કરશે કે નહીં તેની આપણને ખબર નથી પરંતુ તે માનવ જીવનની ગુણવત્તામાં અને માનવ આયુષ્યમાં નાટયાત્મક સુધારો જરૂર કરશે. પરંતુ ચિંતાની વાત એ છે કે જગત અત્યારે ચાલુ મુદ્દાઓ અને સમસ્યાઓમાં સપડાયેલું છે તેવી વ્યૂહાત્મક રીતે ભવિષ્યનો વિચાર કરવામાં સમય આપી શકતું નથી. વર્તમાન ચિંતાઓ ભવિષ્યની ચિંતાઓ વિષે વિચારવાનો સમય આપતી નથી તેથી ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. અત્યારનું જગત આર્થિક અસમાનતાને દૂર કરવા તરફ ધ્યાન આપતું નથી પરંતુ પ્રથમ ત્રણ ઔદ્યોગીક ક્રાંતિઓએ વાતાવરણને અને માનવ સંબંધોને જે નુકશાન કર્યું છે તેને સુધારવામાં મસ્ત છે.

દા.ત. અત્યારની કંપનીઓ માનવ મૂડીની વધુ સારી સંભાળ લઈ રહ્યું છે. ખાણોમાં સખત કામ કરાવવા માટે સુપરવાઈઝરો મજૂરોને ચાબૂકથી ફટકારતા નથી. સંગઠિત શ્રમિકોને પગાર ઉપરાંત અન્ય લાભો પણ મળી રહ્યાં છે. અસંગઠિત કામદારોની સ્થિતિ ખરાબ છે. અદ્યતન ટેકનોલોજીના લાભો જગતના સમૃદ્ધ દેશોને મલી રહ્યા છે. જ્યારે આફ્રિકાના દેશો અને અન્ય ઉભરતા દેશોને તે મળી રહ્યા નથી. ગરીબોની સંખ્યા ઝડપભેર ઘટી રહી છે પરંતુ તે પૂરતું નથી. 2000 થી 2025 સુધીના વૈશ્વિક મીલીએનીઅમના ગરીબી ઘટાડવાના લક્ષ્યાંકો પૂરા થઈ ચૂક્યા છે પરંતુ માત્ર ગરીબી ઘટાડવી તે હેતુ અધૂરો છે. ગરીબી ઘટાડવાની નથી પરંતુ દરેક ગરીબ સમૃદ્ધ જગતના લોકોનું ગુણવત્તાવાળું જીવન જીવી શકે તે માટે આપણે પ્રયત્નશીલ છે.

કર્મચારીઓ માટેનું પર્સોનેલ મેનેજમેન્ટ :
ઈ.સ. 1980 પછી પર્સોનેલ મેનેજમેન્ટને હવે હડપન રીસોર્સ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. પર્સોનેલ મેનેજમેન્ટના કાર્યના કેન્દ્રમાં સીલેકશન, રીક્રુટમેન્ટ, પ્લેસમેન્ટ, પ્રોમોશન, ટ્રાન્સફર, વગેરે મુખ્ય કાર્યો હતા તે ચાલુ રહ્યા છે પરંતુ હવે હ્યુમન રીસોર્સીઝ ડીપાર્ટમેન્ટના કેન્દ્રમાં રીક્રુટમેન્ટ એન્ડ ટ્રેઈનીંગ આવી ગયા છે. હવે ચોથી ઔદ્યોગીક ક્રાંતિના કેન્દ્રમાં મશીન કે રોબોટ નહીં પણ માનવ કેન્દ્રમાં આવી ગયો છે. રોબોટ ગમે તેટલો બુદ્ધિશાળી હોય પરંતુ તેનું પ્રોગ્રામીંગ તો તેની પાછળ કામ કરી રહેલા ટેકનોલોજીકલ કે બાયોલોજીકલ એન્જીનીયરે જ કરવાનું છે.

દરેક મોટી કંપનીઓની યુનિવર્સીટી હોવી જ જોઈએ. ભારતની મોટી કંપનીઓએ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટસની સ્થાપના કરી છે પરંતુ હજી ભારતની કંપનીઓએ પોતાના ટ્રેનીંગ કેન્દ્રોની વ્યાખ્યા પહોળી કરીને યુનિવર્સિટીઓ કેમ નહીં સ્થાપી હોય ? ભારતના લોકોને હજી ખબર નથી કે ચોથી ઔદ્યોગીક ક્રાંતિના કેન્દ્રમાં સ્ટેનફર્ડ યુનિવર્સિટી અને તેમાં શીક્ષણ પામેલા ગરાજ એન્ટરપ્રોનીમર્સ હતા.

ત્રીજી ઔદ્યોગીક ક્રાંતિ સુધી કંપનીઓના પ્રોડકશન કે મેન્યુફેકચરીંગ ડીપાર્ટમેન્ટસ કંપનીના કેન્દ્રમાં હતા અને હજી છે. તેઓનો કંપનીમાં ભારે દબદબો હતો અને છે. તે પછી માર્કેટીંગ ડીપાર્ટમેન્ટનો દબદબો હતો. હવે ધીમે ધીમે એ પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે ચોથી ઔદ્યોગીક ક્રાંતિમાં હયુમન રીસોર્સીઝ ડીપાર્ટમેન્ટનો દબદબો હોય. આ ડીપાર્ટમેન્ટે જ સૌથી ટેલન્ટેડ અને ઈનોવેટીવ વ્યક્તિઓ (પુરૂષો અને સ્ત્રીઓ)ની શોધખોળ કરી તેમને કંપનીમાં લઈ આવવાની તરકીબો ખોળવી પડશે. આવા ટેલન્ટેડ માણસો આગળ જાજમ બીછાવવી પડશે. કંપનીએ જે ટેલન્ટેડ માણસો ઊભા કર્યા છે. તેમને કેવી રીતે સાચવી રાખવા તે માટે કોઈક વાર તો એચઆર ડીપાર્ટમેન્ટે તેમને કાલાવાલા કરવા પડશે. જેમાં કાંઈ ખોટું નથી. 'ત્રણ મહીનાનો પગાર ગણી લો અને ચલતી પકડો' જે ભારતીય કંપનીના વડાઓના માનીતા વિધાનો હતા તેને પ્લેગની માફક દૂર કરવા પડશે.

આ માટે કંપનીઓએ નક્કી કરવું પડશે કે કંપનીનું કલ્ચર કેવી રીતે એવું બનાવવું કે જેથી તેમાં ટેલન્ટેડ માણસો જોડાય અને ટકી રહે. આ માટે અમેરીકાએ જે કલ્ચર (બ્રીટનને તે આવડતું નથી) ઉભું કર્યું છે તેને કારણે તે ઝડપથી નંબર 1નો ઈનોવેટીવ દેશ બન્યો છે. યાદ રહે કે અમેરીકાની અન્ય કારણોસર ગમે તેટલી ટીકા કરીએ પરંતુ જગતમાં ચોથી ક્રાંતિ તેણે એકલે હાથે ઊભી કરી છે. વખત જાપાનીસ મેનેજમેન્ટનો (1980 બાદ) અમેરિકામાં દબદબો હતો. આર્ટ ઓફ જાપાનીસ મેનેજમેન્ટ અંગે ઘણા પુસ્તકો છપાયા હતા. હવે જાપાનનો આર્થિક વૃદ્ધિદર શૂન્યથી થોડોક જ ઉપર છે. જ્યારે અમેરીકા બે થી ત્રણ ટકાના વૃદ્ધિદર (ભારતમાં વૃદ્ધિદર ઠીક ઠીક સારો ગણાય છે). અમેરીકા જેટલું જ ઈનોવેટીવ રશિયા કે ભારત કેમ બની ના શક્યું તે ચર્ચાનો મુદ્દો છે. ચોથી ઔદ્યોગીક ક્રાંતિમાં ઉત્પાદકતા, ઉત્પાદન ક્ષમતા, કાર્યક્ષમતા અગત્યના હોવા છતાં તેના કેન્દ્રમાં ઈનોવેશન છે.

લર્નીંગ ઓર્ગેનાઈઝેશન :
અત્યાર સુધી આપણે લર્નીંગ ઈન્ડોવીજ્યુઅલને માન આપતા હતા. તેને ઉંચો હોદ્દો આપતા હતા. હવેનો જમાનો લર્નીંગ ઓર્ગેનાઈઝેશનનો છે. તેના પાયામાં સીસ્ટમ્સ થીંકીગ છે, પર્સનલ માસ્ટરી છે, ટીમ સ્પીરીટ છે વગેરે વગેરે. આ માટે પ્રો. પીટર સેન્ગી (એમઆઈટી)નું 'ફીફથ ડીસીપ્લીન' પુસ્તક વાંચવું જરૂરી છે. લર્નીંગ ઓર્ગેનાઈઝેશનમાં ઉચ્ચ શીક્ષણનો કન્સેપ્ટ નથી પણ લાઈફ-લોંગ 

લર્નીંગનો કન્સેપ્ટ છે. યુનિવર્સિટીના અમુક વિસતરણ વર્ગોમાં 50 થી 70 વર્ષના પુરૂષ સ્ત્રીઓ પણ વિદ્યાર્થી તરીકે હોઈ શકે છે. ટીચીંગ અગત્યનું નથી પણ લર્નીંગ અગત્યનું છે. હવેના જમાનામાં પ્રોફેશનલ્સની કુશળતાઓ (ડૉક્ટરો, વકીલો, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટો, પ્રોફેસરો)થી માત્ર દસ વર્ષના જ ગાળામાં ર્મર્જનીાી (આઉટ ડેટેડ થઈ જવાની શક્યતા છે) દસ કે પંદર વર્ષ પહેલાં થયેલા ડૉક્ટરો સેમી-સીટરેટ કે અડધા સુશીક્ષિત ગણાશે.

એક અગત્યની વાતની ચર્ચા હજી જગતમાં થઈ નથી. પ્રાઈવેટ-પબ્લીક પાર્ટનરશીપ પહેલી ત્રણ ઔદ્યોગિક ક્રાંતિ સફળ થઈ નથી. તેના પર કામ કરીને, સંશોધનો અને સંવર્ધન કરીને પબ્લીક-પ્રાઈવેટ પાર્ટનરશીપવાળા એકમોને કેવી રીતે ભવિષ્યનું મોજુ બનાવવા તે ચિંતનની અત્યારે જરૂર છે. વળી આ માટે ક્યા પ્રકારની મેનેજમેન્ટ લીડરશીપ જોઈએ તે વિષે ઝાઝું ચિંતન થયું નથી - માત્ર નફો કરતી કંપનીઓની જ મેનેજમેન્ટ લીડરશીપ વિષે અનેક પુસ્તકો લખાયા છે.

ઉપરની પહેલી ત્રણ ઔદ્યોગીક ક્રાંતિઓએ કામનું ર્નિમાનવીકરણ (ડીહ્યુમેનાઈઝેશન) કર્યું છે જેને પરીણામે કામદારોનું કે મેનેજરોનું કામમાંથી એલીએનેશન ઉભુ થયું છે. શું ચોથી ઔદ્યોગીક ક્રાંતિ કામનું ડીહયુમેનાઈઝેશન અને કામમાંથી એલીએનેશન દૂર કરી શકશે ? અત્યારે તેની આપણને ખબર નથી.

Tags :