કોરોનાની દવાની શોધખોળ શરૂ
- મેનેજમેન્ટ- ધવલ મહેતા
- રેમડીસીવીરની શોધ પાછળ મૂળ હેતુ હેપીટાઈટીસ-સી રોગને મટાડવાનો હતો.
- રસી અને દવા બે તદ્દન જુદી બાબતો છે. રસીનું કામ જે તે ચેપી રોગ સામે નાનપણથી જ શરીરમાં પ્રતિરક્ષણની ક્ષમતા ઊભી કરવાનું છે જેથી આપણા એન્ટીબોડીઝ કોવિદનો શરીરમા પેસતા વેત નાશ કરી દે
મા નવ શોધોની પ્રેરણા - જરૂરિયાતો: અંગ્રેજીમાં કહેવત છે કે 'નેસેસીટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન'. કોઈ ચીજવસ્તુની માનવજાતને સખત જરૂર પડે તો માનવજાત તેને વહેલાં મોડા ખોળી નાંખે છે. હવે જ્યારે આ કોરોનાવાયરસ સમગ્ર માનવજાત માટે ભયરૂપ સાબીત થઇ રહ્યો છે ત્યારે તેને હરાવવા કે હરાવવાના બે ઉપાયો પર માનવજાત કાપ કરી રહી છે. એક તો તે રોગ સામે આપણને બાળપણથી જ રક્ષણ આપે તેવી રસી (વેકસીન) ખોળવી અને બીજો ઉપાય આ રોગથી ગ્રસ્ત શરીરને તેમાંથી છૂટકારો મેળવવાની દવા ખોળવી. રસી અને દવા બે તદ્દન જુદી બાબતો છે.
રસીનું કામ જે તે ચેપી રોગ સામે નાનપણથી જ શરીરમાં પ્રતિરક્ષણની ક્ષમતા ઊભી કરવાનું છે જેથી આપણા એન્ટીબોડીઝ કોવિદનો આપણા શરીરમા પેસતા વેત નાશ કરી દે. આની સરખામણીમા એક વખત રોગ થઇ ગયો પછી તેના ઉપચારની પ્રક્રિયા ધીમી છે. માનવજાતના અનેક પ્રયત્નો છતા અને અઢળક ખર્ચો કર્યા છતા કોવિદ-૧૯ની રસી નથી શોધાઈ કે કોઈ દવા ખોવાઈ નથી. માનવજાત માટે તે ખોળવાનો પડકાર છે.
રેન્ડમાઇઝડ ડબલ ટેસ્ટીંગ
વળી આજે રસી કે દવા ખોળાઈ તેનું સખત ટેસ્ટીંગ થવુ જોઇએ. દવાના ટેસ્ટીંગ માટે રેન્ડમાઇઝડ પધ્ધતિથી ડબલબ્લાઇન્ડ ટેસ્ટીંગ કરી ૧ ટકા, ૫ ટકા કે ૧૦ ટકા લેવલ ઓફ મીગ્નીફીકન્સે તેની અસરકારકતા તપાસવી પડે. ડબલ બ્લાઇન્ડ સ્ટડી એટલે દર્દીને પણ ખબર ના પડવી જોઇએ કે તેને દવા આપવામા આવે છે કે નિર્દોષ સેકેરીનની ટીકડી આપવામા આવે છે અને ડોક્ટરને પણ ખબર પડવી ના જોઇએ કે તેણે દર્દીને ટેસ્ટીંગ હેઠળની દવા આપી છે કે સેકેરીનની નિર્દોષ ટીકડી. વળી દર્દીઓના આ બે ગુ્રપ્સની પસંદગી તદ્દન રેન્ડમલી (કોઈપણ જાતના ભેદભાવ કે બાયસવિના) થયેલી હોવી જોઇએ. આ 'રેન્ડમડેસ'નો ભંગ થયો એટલે તમારા રીઝલ્ટસ નકામા. રેન્ડમનો ટેકનીકલ અર્થ અહીં આપ્યો નથી. પરંતુ સ્ટેટીસીક્સના ઘણા પાઠયપુસ્તકોના અંત રેન્ડમ નંબરનું ટેબલ હોય છે તે પ્રમાણે રીર્સચલ દર્દીઓની પસંદગી કરી શકે છે.
એલોપથીની કોઈપણ દવા ક્લીનીકલ ટ્રાયલ્સમાંથી પસાર ના થાય તો દેશની ડ્રગ એડમીનીસ્ટ્રેશન ઓથોરિટી તેને નપાસ કરે. તે છતા કોઈે દવાના ખોટા દાવાઓ કરીને તેને વેચે તો સજા થાય છે. આયુર્વેદની ત્રિદોષની થીયરી હજી ડબલ બ્લાઇન્ડ ટેસ્ટીંગ દ્વારા પ્રવાહીત નથી તેથી તે એલોપથીમાં માન્ય ગણાતી નથી.
ત્રિદોષમા ત્રણે દોષોની વ્યાખ્યા જ એટલી અસ્પષ્ટ છે કે તેનું વૈજ્ઞાાનિક રીતે મેઝરમેન્ટ થઇ શકે. એલોપથી અનુભવ સિધ્ધ દવાઓ કે ઉપચારોના નહીં પરંતુ એક્સપીરીયન્સ બેઝડ ઉપચાર પધ્ધતિમા માને છે.
ભારતમા સંખ્યાબંધ આયુર્વેદીક કોલેજો છે. તેઓનો એક અગત્યનો ગુણ એ છે કે તેઓ આયુર્વેદીક અને અમુક અંશે એલોપેથીક અને પધ્ધતિઓનો અભ્યાસ કરે છે. માનવશરીરનો પણ સર્જીકલ મેથડઝનો પણ ઊંડાણથી અભ્યાસ કરે છે આથી તેઓની ટ્રેનીંગનો બેઝ ઘણો મજબૂત હોય છે.
ભારતમા આયુર્વેદીક સ્નાતક દોઢ વર્ષનો બ્રીજ કોર્ષ કરીને અને વધારાના છ મહીના તબીબી આધુનિક પધ્ધતિમાં રેસીડેન્સી કરીને એમબીબીએસ અને તે પછી વધુ અભ્યાસ કરીને એમડીની ડીગ્રી મેળવી શકે તેવી સગવડ થવી જોઇએ. ભારતમા એજ્યુકેશનનું પેમેન્ટ બહુ જ ઇનફ્લેક્સીબલ છે. કોઈ માણસ ફીઝીક્સ પ્રીન્સીપલ અને ગુજરાતી સાહિત્ય કે ઇકોનોમીક્સને સબસીડીયરી રાખીને કેમ એમએ કે બીએ થઇ ના શકે?
ડેક્ષામીવાસોન- આ દવા હજી દવાના ક્લીનીકલ ટેસ્ટીંગમાં ગોલ્ડ સ્ટન્ડર્ડ ગણાતી ચકાસણીમાંથી પસાર થઇ નથી પરંતુ અત્યાર સુધી જે ટેસ્ટીંગ થયું છે તેને આધારે સંશોધકો એમ જણાવે છે કે કોવિદ-૧૯ના વેન્ટીલેટર પર રહેલા કુલ દર્દીઓનાથી તે એક તૃતીયાંશ દર્દીઓને બચાવે છે અને જેઓમાત્ર ઓક્સીઝન પર હોય તેવા એક પંચમાશ (પાંચ પેશન્ટસમાંથી એક)ને બચાવી લે છે. ભારતમા આ ડ્રગ (દવા)નું ૧૦૪ કરોડનું માર્કેટ છે. વેન્ટીલેટર કે ઓક્સીજન પર રહેલા દર્દીઓ જ આ દવાથી સારા થાય છે કે શરૂઆતમા સાધારણ ચેપ લાગેલા દર્દીઓ પણ સાજા થાય છે તેવા કોઈ તારણ સંશોધકોને આવ્યા નથી.
આ દવાનુ લગભગ ૮૨ ટકા માર્કેટ અમદાવાદની ઝાયડસ કેડીલાનું છે તેવો અંદાજ છે. આ ક્ષેત્રમા તેની ડેકસોના બ્રાંડ પ્રખ્યાત છે. વળી ઝાયડસ કેડીલાની એક ઝળહળતી ફતેહ એ છે કે એની ઝાયકોવ-ડી જે પ્લાસમીડ ડીએનએ વેકસીન છે તેના માનવો પરના ટ્રાયલ માટે તેને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી ગઈ છે.
રેમડેસીવીર : કોરોના વાયરસ સામે દવાઓ ખોળાતી જાય છે પરંતુ તેની સામે રસીની કોઈ ઇલાજ પધ્ધતિ ખોળાઈ નથી. આ એક રહસ્યમય વાત છે. અમેરીકાની ગીલીયડ સાયન્સીઝ કંપનીએ વેન્કલ્યુરી નામ હેઠળ રેમેડીસીવીર નામની એન્ટી-કોવિદ દવાની શોધ કરી છે.
આ દવાનું નસમા (સ્નાયુમા નહી) ઇન્જેકશન આપવામા આવે છે. ભારતમા તેનો ઇર્મજન્સીમા ઉપયોગ થઇ શકે છે. ૨૦૨૦ના મે મહીનામા આ દવા યુ.કે.મા પણ મંજૂર થઇ છે. યાદ રાખો કે આ દવાનો એવો હરગીઝ દાવો નથી કે તે કોવિદને મટાડે છે તેનો દાવો મર્યાદિત છે. તે એ છે કે કોવિદની માંદગીની સમય મર્યાદાને ઘટાડે છે. એની આડઅસરોના લીવરનો સોજો, ઉલટી, નીચુ બ્લડ પ્રેશર અને શરીરે પરસેવો વળવો થઇ શકે છે.
રેમડીસીવીરની શોધ પાછળ મૂળ હેતુ હેપીટાઈટીસ-સી રોગને મટાડવાનો હતો. પછી તેનું ઇબોલા વાયરસ સામે ટેસ્ટીંગ થયું અને પછી મારબર્ગ વાયરસ સામે ટેસ્ટીંગ થયું. પરંતુ આ રોગો સામેના રેમેડીસીવીરે સફળતા ના મળી. સાર્સ અને મર્સ રોગો સામે પણ તે નિષ્ફળ ગઈ. અમેરીકાના નેશનલ ઇન્સ્ટીટયુટસ ઓફ હેલ્થે રેમડેસીવીર પર પ્લેસીબો કન્ટ્રોલ્ડ, ડબલ બ્લાઇન્ડ, રેન્ડમાઇઝડ (આ ત્રણે શબ્દો સાયન્ટીફીક ટેસ્ટીંગના હાર્દ સમાન છે) ટેસ્ટીંગ કરીને જણાવ્યું કે કોવિદના આગળ વધી ગયેલા ગંભીર કેસોમાં રેમેડેસીવર રોગમાંથી મુક્ત થવાનો (રીકવરી ટાઈમ) સમય જે દર્દીઓ હોસ્પીટલની સારવાર હેઠળ હોય તેને માટે ૧૫માંથી ૧૦ દિવસનો કરી શકે છે.