રહસ્યમય ઊર્જાના ભંડાર સમા અંકોનો પ્રભાવ
- અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- આપણા પર અસર કરનારા પરિબળો આપણી જન્મ તારીખ, માસ અને વર્ષ સાથે સંબંધિત અંક સૂચન કરે છે કે આપણે શું છીએ અને શું બનીશું!
વેદોમાં શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યો છે. શબ્દો અક્ષરોથી બને છે એટલે અક્ષર બ્રહ્મ છે. અક્ષરની જેમ અંક પણ બ્રહ્મનું રૂપ છે એમ કહી શકાય. વાસ્તવમાં અક્ષર અને અંક એક જ સિક્કાની બે બાજુ જેવા છે એટલે એકબીજા સાથે સદા જોડાયેલા (સંયુક્ત) છે.
અંકો રહસ્યમય ઊર્જાના ભંડાર સમા અંકોનો પ્રભાવ
અંકો (Numbers) આપણા અસ્તિત્વના તાણાવાણા છે. તે જગત બંધારણની કાચી સામગ્રી કે પાયાની ઇંટો છે એમ કહીએ તો પણ ચાલે. પ્રાચીન ગ્રીક ગણિત શાસ્ત્રી અને તત્વચિંતક પાયથાગોરસે કહ્યું હતું - 'All is Nuber બધું જ અંક છે' અને Number rules the universe - સંખ્યા (અંકો) બ્રહ્માંડ પર શાસન કરે છે. તેમણે તેના વિશે લખ્યું હતું - 'From the monad, came the indeterminate daud, from them came numbers, points, from points lines, from lines superfices, from superfices solids, from these solid bodies whose elements are four - fire, water, air and earth all of which under various transmutations, the world consists.' આમ, અંકો મૂલાકૃતીય આકાશ (archetype) ધરાવે છે. જેમાંથી અપ્રકટ કે તિરોહિત બાબતો પ્રકટ કે આવિર્ભૂત થાય છે.
મહર્ષિ કપિલાચાર્યે જેનું વિસ્તારથી જ્ઞાન આપ્યું હતું તે સાંખ્ય શાસ્ત્ર પણ સંખ્યા પર આધારિત છે. સાંખ્ય શબ્દ સંખ્યા પરથી જ બન્યો છે. સાંખ્ય શાસ્ત્રની મુખ્ય ધારણા સૃષ્ટિ પ્રકૃતિ-પુરુષથી બની હોવાની છે. અહીં પ્રકૃતિ જે પંચ મહાભૂતો (અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ, આકાશ) થી બનેલી છે તે જડ છે અને પુરુષ અર્થાત્ જીવાત્મા ચેતન છે. મહાભારતમાં મહર્ષિ વેદવ્યાસજીએ લખ્યું છે - પ્ત્ઝ્રછ ટ્ટ લ્યદ્વય પ્ેંર્ં્ઋશ। ેંદ્વછેંટ્ટ।શ્ર િં્છુપ્ઙ્મ।છ ।ડટ્ટ ઊંર્ંવ્ઊંર્ં્ેઊંઝ્રશ્ર - આ જગતમાં જે પણ જ્ઞાાન છે તે સાંખ્યથી આવ્યું છે. (શાંતિ પર્વ, ૩૦૧, ૧૦૯) સાંખ્ય દર્શનમાં આત્મા (પુરુષ), તત્વ (પ્રકૃતિ) ત્રણ અંતઃકરણ, પાંચ જ્ઞાાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ તન્માત્રાઓ અને પંચ મહાભૂત એ બધાં મળીને ૨૫ તત્વોને જગત નિર્માણ અને એના કાર્ય માટે જવાબદાર માનવામાં આવે છે.
ટેલિસ્કોપની શોધ કરનાર મહાન ઇટાલિયન વિજ્ઞાની, ખગોળ વિજ્ઞાની, ભૌતિક વિજ્ઞાની અને ગણિત શાસ્ત્રી ગેલિલીયો ગેલિલી (Galileo Galilei) જેમને આધુનિક વિજ્ઞાાનના જનક કહેવાય છે તેમણે પણ કહ્યું હતું - 'જગત ગણિતની ભાષામાં બોલે છે. વિધાતા સંસારનો હિસાબ-કિતાબ સંખ્યાના રૂપમાં રજૂ કરે છે.' પાયથાગોરસે 'મ્યુઝિકા યુનિવર્સલિસ' (musica universalis) નો સિદ્ધાંત પણ ઘડયો હોવાનું કહેવાય છે. જે માને છે કે ગ્રહો ગાણિતિક ગુણોત્તર (ratios) અનુસાર ગતિ કરે છે અને આમ સંગીતનો અશ્રાવ્ય સિમ્ફની ઉત્પન્ન કરવા પડઘો પાડે છે.
અંકો નિર્જીવ નથી. તે જીવંત હયાતિ છે. તે આપણા જીવનનો જ અંશ છે. આપણા પર અસર કરનારા પરિબળો આપણી જન્મ તારીખ, માસ અને વર્ષ સાથે સંબંધિત અંક સૂચન કરે છે કે આપણે શું છીએ અને શું બનીશું ! અંકો અનેક આયામી છે અને અસ્તિત્વના ઊંડાણમાં લઈ જનારા છે. અંકો દ્વારા આપણે જગત અને જીવનની અનેક બાબતોનો બોધ કરી શકીએ છીએ. અંકોના શાસ્ત્રને ન્યૂમરોલોજી (Numerology) કહેવામાં આવે છે જે વ્યક્તિને એના માટે કયો અંક સારો કે ખરાબ પ્રભાવ ઉત્પન્ન કરશે અને પ્રગતિકારક તથા લાભકારક બનશે કે તેનાથી વિપરીત બનશે તેનું જ્ઞાન અને માર્ગદર્શન આપે છે.
ફ્રાંસના ઇતિહાસમાં પાંચના અંકે, એમાંય ૧૪ (ચૌદ)ના અંકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફ્રાન્સના એમ્પરર (સમ્રાટ) હેનરી - પ્રથમ ૧૪-૫-૧૦૨૭ ના રોજ સિંહાસન પર આરૂઢ થયા હતા જ્યારે ત્યાંના સમ્રાટ હેનરી ચોથાનું મરણ ૧૪-૫-૧૬૧૦ ના રોજ થયું હતું. તે પેરિસના રાજમાર્ગ પરથી તેમના કોચમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ફ્ન્કોઈસ રેવેલેક નામના કેથોલિક કટ્ટરપંથી દ્વારા સ્ટેબિંગ કરીને તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. પહેલા હેનરીને જે તારીખે સિંહાસન મળ્યું, છેલ્લા હેનરીને એ જ તારીખ અને માસ દરમિયાન મરણ મળ્યું હતું. એ બન્નેની વચ્ચેના ત્યાંના અનેક રાજાઓના જીવનમાં ૧૪ ની સંખ્યાએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. હેનરી ચોથાનું પુરું નામ હેનરી ડિબારબન (Henry Deebarban) હતું. હેનરી નામના પાંચ અક્ષર થાય છે અને હેનરી ડિબારબન આખા નામના ૧૪ અક્ષર થાય છે. આમ એના સરવાળાનો અંક પાંચ થાય. એમનો જન્મ ૧૩ ડિસેમ્બર ૧૫૫૩ ના રોજ થયો હતો. એમના જન્મ વર્ષનો સરવાળો કરો તો પાંચનો અંક આવે. એમની પત્ની માર્ગારેટા ડી વેલોઈસ (Marguerite de valois) નો જન્મ ૧૪-૫-૧૫૫૩ ના રોજ થયો હતો. તારીખનો સરવાળો પણ પાંચ.
હેનરી-ચોથાએ આઈવરીનું યુદ્ધ ૧૪ માર્ચે ૧૫૯૦માં જીત્યું હતું. ૧૪ મે ૧૫૯૦માં એમની ફોજની પેરિસના ફોક્સવર્ગમાં હાર થઈ હતી. ૧૪ ડિસેમ્બર ૧૫૯૯ના રોજ સવાયના ડયુકે પોતાનું હેનરી-ચોથાને આત્મસમર્પણ કર્યું હતું. ૧૪ મે ૧૬૪૩ ના રોજ હેનરી-ચોથાના પુત્ર લૂઈ-૧૩ માનું મરણ થયું હતું. ફ્રાન્સના સમ્રાટ લૂઈ-ચૌદમાનો જન્મ ૫-૯-૧૬૩૮ના રોજ થયો હતો. તારીખ પાંચ, તારીખ અને મહિનાનો સરવાળો કરો તો થાય ૧૪ એટલે પાંચ. તારીખ, મહિનો અને વર્ષ એ ત્રણેયનો સરવાળો કરો એટલે થાય ૩૨. ૩૨ ના ૩ અને ૨ નો સરવાળો એટલે પાંચનો અંક આવે. તેમણે ૧૪-૫-૧૬૪૩ ના રોજ રાજ સિંહાસન ગ્રહણ કર્યું. તેમાં પણ પાંચના અંકનું પ્રભુત્વ રહ્યું. તારીખ ૧૪ એટલે એનો સરવાળો પાંચ, મે મહિનો એટલે પાંચમ મહિનો અને વર્ષનો સરવાળો એટલે પણ ચૌદ બરાબર પાંચનો અંક! તેમનું મરણ ૧૭૧૫માં થયું એટલે એનો સરવાળો પણ ચૌદ. એમને કબરમાં દાટવાની વિધિ (burial) ૯ સપ્ટેમ્બર ૧૭૧૫ માં થઈ. એનો સરવાળો ૩૨ થાય એટલે એ બન્ને અંકને જોડતાં પાંચનો અંક આવે. તેમના પછી આવેલા સમ્રાટ લૂઈ-પંદરમાનો રાજ્ય કાળ ૧૭૧૫ થી ૧૭૭૪ સુધીનો રહ્યો. ૧૭૧૫ નો સરવાળો કરો એટલે ૧૪ આવે. એમણે કુલ ૫૯ વર્ષ રાજ કર્યું એનો સરવાળો પણ એ રીતે ૧૪ જ થાય એટલે ૧ અને ૪ નો સરવાળો પાંચ થાય. આમ, ફ્રાંસના ઇતિહાસમાં પાંચ (૫)નો અંક તારીખ, માસ, વર્ષ એ ત્રણેય રૂપે અલગ અલગ કે એકત્રિત રીતે કેન્દ્ર સ્થાને રહ્યો છે. એમાંય ૧૪ નો અંક તો સર્વાધિક વિશેષ કામગીરી કરતો રહ્યો છે.