ગોરાઓ પોતાને કાળાઓ કરતાં વધુ સ્માર્ટ હોવાના ભ્રમમાં રાચતા હોય છે
પ્રસંગપટ .
- અમેરિકામાં રંગભેદ હાય.. હાય..
ભારતે 200 વર્ષ સુધી ગોરાઓનો જુલમ સહન કર્યો છે: સમાન હક અને સન્માનની વાતને ટેકો
શ્વેત-અશ્વેત, હિન્દુ-મુસ્લિમ, છૂઆ-અછૂત જેવા વિવાદો આદિકાળથી ચાલ્યા આવે છે. સમાજ જીવનને દૂષિત કરી રહેલા આવા વિવાદો કોણ જાણે કેમ પણ અટકવાનું નામ નથી લેતા. માણસને જન્મતાની સાથેજ કેટલીક ચીજો ઇનબિલ્ટ જોવા મળે છે. તે જે ઘરમાં જન્મે છે ત્યાંના વિચારો ઓટોમેટિક તે ગ્રહણ કરે તે સ્વભાવિક છે. આમને આમ વેરઝેર વધૂ ઘૂંટાતું ગયું છે. અમેરિકામાં ચાલતા અશ્વેતના (કાળાઓ) તોફાનોથી સૌ ચિંતિત છે.
કહે છે કે શ્વેત (ગોરા લોકો) થોડા અભિમાની હોય છે. એમ અશ્વેત ગોરાઓ કરતાં વધુ શારિરીક સૌષ્ઠવવાળા તેમજ શક્તિશાળી હોવાનું જોવા મળ્યું છે. જેમ ભારતમાં મુસ્લિમ મતબેંક હોવાનું મનાય છે એમ અમેરિકામાં પણ અશ્વેત મત બેંક છે. અમેરિકાના દશ રાજ્યો એવા છે કે જ્યાં અશ્વેતોનું પ્રભુત્વ છે. ત્યાં કોઇ શ્વેત ઉમેદવાર ભાગ્યેેજ ચૂંટાતો જોવા મળે છે. ભારતે પણ 200 વર્ષ ગોરાઓના શાસનનો અનુભવ કર્યો છે. જેમાં ભારતીયો પર અત્યાચાર અને શોષણની અનેક કથાઓ સમાયેલી છે.
અમેરિકામાં અશ્વેતોને સમાન હકો આપાવવા અનેક પ્રયાસો થયા હતા. છેલ્લે જ્યોરે અશ્વેત એવા બરાક ઓબામા પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે અમેરિકાના માર્ગો પર આખી રાત અશ્વેતો નાચ્યા હતા. આ લોકોને એમ હતું કે હવે અમેરિકામાં અશ્વેતોનીિ હાલત સુધરશે પરંતુ ઓબામા તેમા સફળ થઇ શક્યા નહોતા. ગોરા-કાળા( શ્વેત-અશ્વેત) વચ્ચે અમેરિકમાં મોટા પાયે હૂંસા તૂંસી ચાલી આવે છે. બહારના દેશોમાંથી આવેલાઓ અશ્વેતોની નોકરી છીનવી રહ્યા છે. એવો પ્રચાર થાય છે કે અશ્વેતો, ડ્રગ એડીક્ટ, તેમજ ડ્રેગ વેચતા હોય છે. લૂંટફાટ તેમાન માટે સામાન્ય વાત છે.
રંગભેદ અમેરિકામાં પ્રસરી રહ્યો છે તેની અસર ચૂંટણીઓ પર પણ જોવા મળે છે. અશ્વેતોના કામમાં શ્વેત સાંસદો સતત રોળાં નાખ્યા કરતા હતા. ઓબામા તેમના પત્નિ અને કુટુંબને ઓનલાઇન ગાળો મળતી હતી.
એવું પણ નથી કે અશ્વેતો લાચાર છે. તે લોકો પણ ઉંચી પોસ્ટો પર છે. અનેક અશ્વેતો સાથે શ્વેત યુવતીઓએ ઘર સંસાર માંડેલો છે. પંરતુ ગમે ત્યારે અશ્વેતેા માટેની ધૃણા સપાટી પર આવી જાય છે. એક સાથે એક કોલોનીમાં વર્ર્ષાેથી રહેતા લોકો એક બીજાની જાનના ભૂખ્યા બની જાય ત્યારે ભારતમાં થતા હુલ્લડો યાદ આવી જાય છે. અમેરિકામાં અશ્વેતોની લડાઇ સરકાર સામેની છે.
બંને પક્ષ એક બીજાને ઉતારી પાડવાની રાહ જોતા હોય છે. મૂળ અમેરિકનને તો અમેરિકામાં શોધવા પડે એમ છે. મોટા ભાગના બહારથી આવેલાઓ છે. આ તબક્કે 1893માં મહાત્મા ગાંધીને ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા તે ધટના પણ યાદ કરવી જોઇએ. તેમની ટિકીટ રિઝર્વ હતી છતાં એક ગોરાની ફરિયાદના આધારે ચેકરે તેમને ઉતારી દીધા હતા. આ ધટના 130 વર્ષ જુની છે પરંતુ ગોરાઓના અભિમાન વાળા વર્તનનો તો ઘણાને અનુભવ થયો હશે.
વિદેશ પ્રવાસ દરમ્યાન કેટલાક ગોરાઓ ઇન્ડિયન સાથે હાથ મિલાવવા પણ તૈયાર નથી હોતા. શ્વેત લોકોના મનમાં અશ્વેતો માટે ઝેર ભરેલું હોય છે. જેમાં તેમનો કોઇ વાંક નથી હોતો. કેમકે આગેસે ચલી આતી હૈ જવી સ્થિતિ હોય છે.
અમેરિકાના અશ્વેતોની કમનસીબી એ છે કે તે લોકો બહુ ભણતા નથી. જ્યારે કોઇ ગુનો બને છે ત્યારે પોલીસ પ્રથમ નજીકના અશ્વેતોને શોધતા હોય છે. ડ્રગ્સ અને અન્ય ગુનાખોરીમાં તેમનું જૂથ સંડોવાયું હોય છે.
અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર જે હુમલા થાય છે તે પૈકી 99 ટકા હુમલા અશ્વેતો ધ્વારા થતા જોવા મળ્યા છે. અમેરિકામાં ગુુજરાતીઓને સલાહ અપાય છે કે કોઇ અશ્વેત સાથે બબાલ કરવી નહીં તે માંગે તે આપી દેવું કેમકે તેમને ગોળી ચલાવતા બહુ ઓછી વાર લાગે છે. બાલિવૂડમાં ગોરા ચહેરાવાળી હિરોઇનોની વધુ ડિમાન્ડ હોય છે. જાહેર જીવનમાં પણ ગોરા આગલી હરોળમાં જોવા મળે છે.
રૂપાલો ચહેરો અને ગોરા ચહેરા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. રૂપ તરફ દરેક ખોંચય છે.
અહીં અશ્વેત તોફાની હોય છે એવું કહેવાનો આશય નથી પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ બતાવવાનો પ્રયાસ કરાયો છે. સામાન્ય રીતે ગોરા એમ માનતા આવ્યા છેેકે તે કાળાઓ કરતાં વધુ બુધ્ધિશાળી છે અને કાળાઓને ગુલામ તરીકે રાખી શકાય છે. આપણે ત્યાં કાલા, કાલિયા જેવા નામો હોય છે. ભારતમાં રૂપાળા બહુ છે પણ ધોળા ભાગ્યેજ જોવા મળે છે. આપણે ત્યાંનુ સુંદર ભજન છે કે
યશોમતી મૈયા સે પૂછે નંદલાલા રાધા ક્યું ગોરી...મૈં ક્યું કાલા..અમેરિકાને કાળાના બદલે અશ્વેત લખવું પડે છે.