Get The App

કાજુમાં ઘરઆંગણે માગમાં વૃદ્ધિ સામે દરિયાપાર નિકાસમાં થયેલો ઘટાડો

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
કાજુમાં ઘરઆંગણે માગમાં વૃદ્ધિ સામે દરિયાપાર નિકાસમાં થયેલો ઘટાડો 1 - image


- પ્રસંગપટ

- વિવિધ સુકામેવાની બજારોમાં તાજેતરમાં માગ સારી જોવા મળી 

- વિયેતનામ આપણા કરતા ઓછા ભાવોએ કાજુ વિશ્વ બજારમાં ઠાલવી રહ્યું હોવાના મળેલા નિર્દેશો

દેશમાં  વિવિધ સુકામેવાની બજારોમાં તાજેતરમાં માગ સારી જોવા  મળી હતી. લગ્નસરાના કારણે તાજેતરમાં બલ્ક વપરાશકારોની  તથાકેટરીંગ ક્ષેત્રની માગ પણ દેખાઈ હતી.  જોકે હવે મોનસૂન શરૂ થતાં તથા લગ્નસરા પુરી થતાં આવી માગ ઓસરવાની શક્યતા  છે તથા હવે પછી ઓગસ્ટ મહિનાથી તહેવારોની મોસમ શરૂ થશે ત્યારે બજારમાં માગ ફરી વધવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. 

કાજુના ભાવ હાલ રિટેલ કાઉન્ટર પર કિલોદીઠ નીચામાં રૂ.૮૫૦થી રહીને ઉંચામાં રૂ.૧૨૫૦ સુધી બોલાઈ  રહ્યા છે. સૂકામેવાની બજારના જાણકારોના જણાવ્યા  કોરોના કાળ પછી લોકો આરોગ્ય વિશે વધુ સભાન બન્યા છે તથા તેના પગલે લોકો સૂકોમેવો વધુ ખાતા થયા છે. 

દરમિયાન, ભારતમાંથી કાજૂની નિકાસમાં સતત પીછેહટ જોવા મળી છે તથા વિશ્વના કાજૂ બજારમાં ભારતનો હિસ્સો ઘટતો રહ્યો છે. ૨૦૧૧-૧૨ના વર્ષમાં ભારતમાં કાજૂની રેકોર્ડ ૧ લાખ ૩૦થી ૩૫ હજાર ટનની નિકાસ થઈ હતી જે ત્યાર પછીના ગાળામાં આવી નિકાસમાં એકધારી પીછેહટ જોવા મળી હોવાનું જારના જાણકારોએ જણાવ્ય હતું.  કાજૂની નિકાસ છેલ્લા ૧૪-૧૫ વર્ષમાં આશરે ૫૦ ટકા જેટલી ઘટી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  

વિશ્વ બજારમાં કાજૂના વિવિધ ઉત્પાદક દેશોની ભારત સામે હરીફાઈ વધ્યાના વાવડ મળ્યા હતા.  આ ઉપરાંત ઘરઆંગણે કાજૂના પ્રોસેસીંગનો ખર્ચ  વધી ગયો છે તથા તેના કારણે વૈશ્વિક હરિફાઈમાં  આપણે પાછાં પડીએ છીએ એવું જાણકારોએ જણાવ્યું હતું. 

આયાતી માલો ઘરઆંગણે પ્રોસેસ કરીને તેની નિકાસ કરાય છે એવા સંજોગોમાં નિકાસ માટે આયાત પર પણ આધાર રાખવો પડે છે. આવા વિવિધ કારણોસર દેશમાંથી કાજૂની નિકાસ એકધારી ઘટતી રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

 ભારતમાંથી કાજૂની નિકાસ મુલ્યના સંદર્ભમાં ૨૦૨૩-૨૪ના વર્ષમાં ઘટી સાત વર્ષના તળિયે ઉતરી ગઈ હતી, તથા આવી નિકાસ ઘટી ડોલરના સંદર્ભમાં ૩૩થી ૩૪ કરોડ ડોલર આસપાસ ઉતરી ગઈ હતી. દરમિયાન, એક અહેવાલ મુજબ ૨૦૨૨-૨૩ના વર્ષમાં ભારતમાંથી કાજૂની નિકાસ ઘટી આશરે ૫૯થી ૬૦ હજાર ટન થતાં બે દાયકાની સૌથી ઓછી નિકાસ એ ગાળામાં જોવા મળી હતી અને બજારના ખેલાડીઓમાં અજંપો વધ્યો હતો.

દરમિયાન, નટસ એન્ડ ડ્રાયફર્ટ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ તાજતેરમાં કાજૂની નિકાસ ઘટી વાર્ષિક ધોરણે ૪૫ હજાર ટનની સપાટીએ ઉતરી ગઈ છે. આયાતી માલોના ભાવમાં અનિયમિત વધઘટ થતી રહે છે આફ્રીકાથી સપ્લાય ઘટી છે. 

અલનીનોની અસર આવી સપ્લાય પર પડી છે. દેશમાંથી પ્રોસેસ્ડ  કાજૂની નિકાસ ૨૦૦૪-૦૫માં ૧ લાખ ૨૬થી ૨૭ હજાર ટન થઈ  હતી તે ઘટતી રહી ૨૦૨૨-૨૩માં ૫૯ હજાર ૫૦૦થી ૬૦૦ ટનના મથાળે  ઉતરી ગઈ હતી. ૨૦૧૯-૨૦માં ભારત ખાતેથી કાજુની નિકાસ  ઊંચી રહ્યા પછી નિકાસ ત્યારબાદ ઘટતી જોવા મળી છે. વિશ્વ બજારમાં વિયેતનામની  કાજૂની નિકાસ ૧૮થી  ૨૪ ટકા વધી છે. સામે ભારતમાંથી નિકાસમાં પીછેહટ દેખાઈ છે.  વિયેતનામે ૨૦૨૩માં ૩.૬૦ અબજ ડોલરના ૬ લાખ ૪૪ હજાર ટન કાજુની નિકાસ કરી હતી.  

ભારતના કાજુ કરતાં વિયેતનામના કાજુના ભાવ વિશ્વ જારમાં નીચા રહ્યા હતા.  ભારતમાં ઘરઆંગણે કાજૂની વાર્ષિક માગ આશરે ૩ લાખ ૫૦ હજાર ટન ગણાય છે.  દેશમાં વાર્ષિક ઉત્પાદન આશરે ૭થી ૭.૫૦ લાખ ટન ગણાય છે. જ્યારે વાર્ષિક આયાત ૧૧થી ૧૩ લાખ ટન ગણાય છે.  

ભારતના પ્રોસેસીંગ ઉદ્યોગમાં વાર્ષિક આશરે ૨૦ લાખ ટન કાજૂનું પ્રોસેસીંગ થાય છે. દરમિયાન, ભારત-પાકિસ્તાનના સંબંધો વણસતા અખરોટમાં પાકિસ્તાનનોો માલ બંધ થતાં કાશ્મીરમાં અખરોટનું ઉત્પાદન કરતા આપણા ખેડૂતો પાસે માગ વધ્યાના વાવડ મળ્યા હતા. અફઘાનિસ્તાનની સપ્લાય અટકી છે.

Tags :