Get The App

ભારતમાં 1986ની સાલમાં માછીમારીના વ્યવસાયને પ્રોત્સાહન માટે બહાર પડાયા હતા સિક્કા

- 50 પૈસા, 10 રૂા., 100 રૂા.ના મત્સ્યોદ્યોગની છાપવાળા સિક્કાઓનો પોરબંદરમાં સંગ્રહ

Updated: May 12th, 2019

GS TEAM


Google News
Google News
ભારતમાં 1986ની સાલમાં માછીમારીના વ્યવસાયને પ્રોત્સાહન માટે બહાર પડાયા હતા સિક્કા 1 - image



પોરબંદર,તા. 12 મે 2019, રવિવાર

ભારતમાં ૧૯૮૬ની સાલમાં માછીમારીના વ્યવસાયને પ્રોત્સાહન માટે સિક્કા બહાર પાડવામાં આવેલ હતા. તેનો સંગ્રહ હજુ પણ પોરબંદરમાં સચવાયેલા છે.

ભારત સરકાર દ્વારા થોડા સમય પહેલા મત્સ્ય ઉદ્યોગનો અલગથી વિભાગ બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે અને માછીમારને ખેડૂત મંત્રાલય તરીકેની ગણના કરવાની કાર્યવાહી ચાલી રહી છે. માછીમાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ૧૯૮૬ માં ભારત સરકાર દ્વારા માછીમારના ફોટાવાળા સિક્કા બહાર પાડવામાં ાવેલ. સિક્કાના સંગ્રહકાર શૈલેષભાઈ ઠાકરે જણાવ્યું હતું કે ૧૯૮૬માં પણ માછીમાર ઉદ્યોગની બોલબાલા હતી કે એમના સિક્કા પણ બહાર પાડવામાં આવેલ. 

પોરબંદરમાં પણ મત્સ્યોદ્યોગ ખૂબ જ હોય અને અહીં બહારગામના માછીમારો આવતા હોય ત્યારે આ માછીમાર ઉદ્યોગની રસપ્રદ માહીતી મળી રહે તેમજ માછીમાર ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળે એવું પોરબંદરવાસીઓ ઈચ્છી રહ્યા છે. હાલ પણ અનેક લોકો આ માછીમાર ઉદ્યોગના સિક્કા નિહાળે છે અને પોરબંદરની વિશાળ દરિયાઈ પટ્ટીને લીધે પોરબંદરના હજારો માછીમારો વસી રહ્યા હોય એમને પણ ખુશી થાય છે કે એક જમાનામાં તેમના માચ્છીમારી વ્યવસાયના સિક્કા પણ બહાર પાડવામાં આવેલા અને ચલણમાં ચાલતા. 

Tags :