Get The App

ભારતીય જળસીમામાં ઘુસણખોરી કરનારા 18 પાક. માછીમાર પકડાયા

- ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાનની 2 બોટ પકડી પાડી

- ફાસ્ટ પેટ્રોલ વેસલ અરિંજયની મદદથી તમામ માછીમારોને ઓખા બંદરે લાવવા કાર્યવાહી

Updated: Dec 4th, 2021

GS TEAM

Google News
Google News
ભારતીય જળસીમામાં ઘુસણખોરી કરનારા 18 પાક. માછીમાર પકડાયા 1 - image

પોરબંદર, : ભારતની જળસીમામાંથી અનેક વખત પાકિસ્તાની માછીમારોની અટકાયત કરવામાં આવે છે ત્યારે શુક્રવારે કોસ્ટગાર્ડને મળેલી માહિતિ મુજબ કાર્યવાહી કરીને બે પાકિસ્તાની ફિશિંગ બોટ અને તેમાં રહેલા 18  જેટલા માછીમારોની અટકાયત કરીને ઓખા લાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. 

ભારતીય જળસીમામાં પાકિસ્તાનની બે બોટો માછીમારી કરતી હોવાની માહિતિ કોસ્ટગાર્ડની ફાસ્ટ પેટ્રોલ વેસલ અરિંજયને મળી હતી અને ત્યારબાદ તુરંત જ સ્થળ સુધી પહોંચીને બન્ને ફિશિંગ બોટમાં રહેલા 18 માછીમારોને અરિંજય વેસલમાં કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા લાવવામાં આવ્યા હતા અને પુછપરછ શરૂ કરી હતી. તમામને ઓખા લાવવામાં આવ્યા છે. તે રીતે ભારતીય કોસ્ટ ગાર્ડે વધુ એક વખત સતર્કતા દાખવીને પાકિસ્તાની માછીમારોને ઝબ્બે કરવામાં સફળતા મેળવી હતી.