Updated: Jul 2nd, 2022
હારીજ,
તા.2
હારીજ તાલુકાના ખાખડી ગામે તસ્કરો ત્રાટકયા હતા.જયાંથી ગત
રાત્રીના સમયે કોઇ અજાણ્યો ઇસમ ઘરમાં પડેલ વિવિધ મુદ્દામાલ અને રૃા . ૫૦,૦૦૦ / - સહિત કુલ
રૃા . ૧,૨૪,૦૦૦ / - ની મતાની
ઉઠાંતરી કરી પલાયન થઇ હતો .
હારીજ તાલુકાના ખાખડી ગામે રહેતા જયરામજી ઠાકોર પરીવારના સભ્યો સાથે ઘરના આંગણમાં સુઇ ગયા હતા ત્યારે તા .૨૫-૦૬-૨૨ ના સવારના છ વાગ્યે તેમની પત્નિ જાગી જતાં ખબર પડી કે ઘર ખુલ્લુ પડેલ હત.ુ અને ઘરમાં વાસણો વેરણ - છેરણ હાલતમાં પડેલા હતા . ત્યારબાદ ઘરમાં પ્રવેશ કરી નજર કરતાં ઘરમાં રહેલા બે લોખંડના ટંક ( પેટીઓ ) હતી તે જોવા મળી ન હતી .
જેથી આજુબાજુ તપાસ કરતાં ઘરની
પાછળની દિવાલે આવેલ ખેતરમાં બે ટંક પડેલા હતા અને કપડા વેરવિખેર હતા ટંકમાં રહેલ
રૃ ।. ૫૦,૦૦૦ / -
અને ૫૦૦ ગ્રામ વજનના ચાંદીના કડલા નંગ -૨ જેની આશરે કિંમત રૃા . ૨૦,૦૦૦ / - તથા ૩૦૦
ગ્રામની પગની ચાંદીની ઝાંઝરી નંગ -૨ જેની કિં . રૃ ।. ૧૨,૦૦૦ / - તથા અડધો
તોલા સોનાનું કડુ નંગ ૦૧ જેની આશરે કિંમત રૃ ।. ૩૨૦૦૦/- તથા અડધા તોલાની હાંસડી
નંગ -૦૧ જેની આશરે કિંમત રૃા . ૨૦,૦૦૦ / -
તથા ૫૦ ગ્રામ વજનનું ચાંદીનું મંગલસૂત્ર જેની કિં . રૃ ।. ૨,૦૦૦ / - મળી કુલ
રૃા . ૧,૨૪,૦૦૦ નો મુદ્દામાલ
કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી જઇ ભાગી ગયો હતો . આ બાબતની જાણ હારીજ પોલીસ સ્ટેશને
કરતાં ફરીયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે .