For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિધ્ધપુરઃ મેત્રાણાના બાળકનું રમતી વેળાએ તળાવમાં પડવાથી મોત

- ગ્રામજનો અને ફાયર ફાયટરની ટીમ દોડી આવી: લાશ બહાર કાઢી

Updated: Jul 7th, 2022

Article Content Imageસિધ્ધપુર,તા.7

સિદ્ધપુરનાં મેત્રાણા ગામે આવેલા આબાદપુરાના તળાવમાં એક ૯ વર્ષિય બાળકનું ડૂબી જવાથી મોત નિપજયું હતું.જેની જાણ થતાં પરીવાર અને ગ્રમજનો દોડી આવ્યા હતા.ત્યારબાદ ફાયર ફાયટરની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી હતી.

મેત્રાણા ગામના આબાદપુરાના તળાવ નજીક દિવાન ઠાકોરનો ૯ વષનો પુત્ર દિપક રમતા રમતા અચાનક તળાવમાં પડી જતા પાણીમાં ગરકાવ થતાં મોત નીપજિયું હતું. ફાયર ફાઈટરની ટીમે તેના મૃતદેહને બહાર કાઢયો હતો. આ બનાવની જાણ ગ્રામજનો  અને પરિવારને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.પોલીસે બાળકના મૃતદેહનો પીએમ કરાવી લાશ વાલી વારસોને સોંપી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat