અમેરિકા સ્થાયી થવા ઇચ્છુક ભારતીયોની મુશ્કેલી વધી, ગ્રીન કાર્ડ વિઝાના નિયમોમાં મોટા ફેરફાર
US Green Card Visa Rules: યુએસ સિટિઝનશીપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝે(USCIS) ફેમિલી દ્વારા થતી ઇમિગ્રન્ટ વિઝા અરજી માટેના નિયમોને આકરા બનાવતા નવી પોલિસી જાહેર કરી છે. નવી પોલિસીથી ફેમિલી-સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડ માટે અરજી કરતાં હજારો ભારતીયો પર વિપરિત અસર થશે.
નવી અપડેટેડ પોલિસી હવે USCISની પોલિસી મેન્યુઅલનો ભાગ બની છે. જે સ્પષ્ટતા કરે છે કે, એજન્સી પત્ની, બાળકો, માતા-પિતા તથા ભાઈ-બહેનો સહિત ફેમિલી-આધારિત ગ્રીન કાર્ડ વિઝા અરજીઓનું મૂલ્યાંકન ચુસ્તપણે કરશે. જેમાં માહિતી યોગ્ય રીતે દસ્તાવેજીકૃત અને કાયદેસર રીતે માન્ય હોવી જોઈએ. એજન્સી આ વિઝા માટે પરિવારનું પુનઃમિલન અને કપટપૂર્ણ, વ્યર્થ, અથવા બિનયોગ્ય વિઝા અરજી વચ્ચેનો ભેદ દૂર કરતાં સ્પષ્ટ રેખા દોરી રહી છે. ગેરરીતિ આચરીને થતી વિઝા અરજીઓ જે વાસ્તવમાં કાયદેસર કાયમી નિવાસ માટે માન્ય છે, તેવા લોકો માટે અડચણો ઊભી કરે છે. જે આ વિઝા પ્રત્યેનો વિશ્વાસ ડગમગાવે છે.
નવી પોલિસીનો તાત્કાલિક ધોરણે અમલ
આ નવી પોલિસીનો તાત્કાલિક ધોરણે અમલ શરુ થઈ ચૂક્યો છે. જે વર્તમાન અને ભવિષ્યની અરજીઓને અસર કરશે. નવી પોલિસીમાં આકરો ઇન્ટરવ્યુ પ્રોટોકોલ, સ્પષ્ટ પાત્રતા માપદંડ અને એવા કેસોની નજીકની ચકાસણી શામેલ છે જ્યાં બહુવિધ અથવા સંબંધિત અરજીઓ એકસાથે કરવામાં આવી છે.
અમેરિકામાં સ્થાયી થવા ઇચ્છુક ભારતીયોએ જોવી પડશે રાહ
અમેરિકામાં સ્થાયી થવા ઇચ્છુક ભારતીયોએ આ નવી આકરી પોલિસીના કારણે પીઆર વિઝા માટે વધુ રાહ જોવી પડી શકે છે. લાયક લગ્ન, કૌટુંબિક સંબંધો ચકાસવાની ક્ષમતા વધારી પારદર્શિતા સાથે વિઝા મંજૂર કરવાના ઉદ્દેશ સાથે ઘડાયેલી નવી નીતિઓના કારણે વિઝા પ્રોસેસ વધશે. તેમજ વધુ પડતાં ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવા પડી શકે છે.
નવી પોલિસીમાં કરાયા આ ફેરફાર
- ફેમિલી-આધારિત ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ માટે આકરા ઇન્ટરવ્યુ અને તેની જરૂરિયાત અંગે સ્પષ્ટ નિયમો.
- સંબંધિત અથવા ડુપ્લિકેટ સબમિશન સહિત અન્ય અરજીઓ સાથે એજન્સી કેવી રીતે ન્યાય કરે છે તેના નવા સ્પષ્ટીકરણો.
- વિદેશમાં તૈનાત લશ્કરી કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ સહિત યુએસ નાગરિકો દ્વારા વિદેશમાંથી ફાઇલ કરાયેલા કેસ પર કડક દેખરેખ.
- જો અરજીમાંથી લાભાર્થીને દૂર કરવાનું જણાય તો ઇમિગ્રેશન કોર્ટમાં હાજર થવા માટે નોટિસ (NTA) રજૂ કરવાની સત્તા પર ભાર મૂકાયો છે. જેથી મંજૂર ફેમિલી વિઝા ઇમિગ્રન્ટ કોઈને પણ દેશનિકાલનો ભોગ બનતાં અટકાવી શકશે નહીં.
એજન્સીએ આગળ જણાવ્યું હતું કે, અમે સંભવિત હાનિકારક ઇરાદા ધરાવતાં ફ્રોડ લોકોને શોધીને અમેરિકનોને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. જેથી અમે તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા કરી શકીએ. જો કોઈ અરજદાર હવે યુએસમાં સ્ટેટ્સને સમાયોજિત કરવા માટે લાયક ન હોય તો USCIS તેના કેસને નેશનલ વિઝા સેન્ટરમાં રીરુટ કરી શકે છે.