India

'મૂર્તિની મજાક કરવાની શું જરૂર હતી?', CJI પર હુમલાનો પ્રયાસ કરનારા વકીલને કોઈ પસ્તાવો નથી

By GS TEAM
7 Oct 20252 mins read
TukuTouch Logo
દેશના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારા વકીલને બાર કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમનું લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા બાદ પણ વકીલ રાકેશ કિશોરે આ કૃત્ય બદલ જરાય પસ્તાવો ન હોવાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે પસ્તાવો કરવાના બદલે CJI પર પણ આક્ષેપોનો વરસાદ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મૂર્તિની મજાક કરવાની શું જરૂર હતી?',  CJI પર હુમલાનો પ્રયાસ કરનારા વકીલને કોઈ પસ્તાવો નથી

CJI BR Gavai News:  દેશના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારા વકીલને બાર કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમનું લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા બાદ પણ વકીલ રાકેશ કિશોરે આ કૃત્ય બદલ જરાય પસ્તાવો ન હોવાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે પસ્તાવો કરવાના બદલે CJI પર પણ આક્ષેપોનો વરસાદ કર્યો છે.

CJI પર કર્યા આક્ષેપ

71 વર્ષીય વકીલે મીડિયા સાથે વાતચીતમાં માફી માગવાનો ઇન્કાર કરતાં જણાવ્યું કે, લાખો કેસ પેન્ડિંગ છે. હું માફી માગવાનો નથી, મને આ વાતનો જરાય પસ્તાવો નથી. મેં કંઈ જ ખોટું કર્યું નથી. તમને સવાલ કરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં આ સર્વશક્તિમાને જ મને આમ કરવા મજબૂર કર્યો. તેમણે શા માટે મૂર્તિની મજાક કરી. તેમની આ મજાકથી મારી લાગણી દુભાઈ છે.

ચીફ જસ્ટિસની કોર્ટમાં કોઈ એક PIL પર ગવઈ સાહેબે મજાક ઉડાવતાં મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. CJIએ વિચારવું જોઈએ કે, તેઓ બંધારણના સર્વોચ્ચ પદ પર બેઠા છે. તેમણે 'મીલોર્ડ'નો અર્થ સમજવો જોઈએ અને તેનું માન જાળવવું જોઈએ. તમે મોરિશિયસ જાઓ અને કહો કે, દેશ બુલડોઝર સાથે નહીં ચાલે. હું CJIને પૂછવા માગું છું કે, સરકારની સંપત્તિ પર કબજો કરનારાઓ વિરુજદ્ધ યોગીજીનું બુલડોઝર ચાલે તેમાં ખોટું શું છે? મને ખૂબ આઘાત લાગ્યો છે.



અન્ય સમુદાયોના કેસ પર અલગ જ વર્તનઃ વકીલ

વકીલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, CJI અન્ય સમુદાયો સાથે જોડાયેલા કેસો પર અલગ જ વલણ દર્શાવે છે. એક ચોક્કસ સમુદાય દ્વારા ગેરકાયદે કબજે કરવામાં આવેલી હલ્દવાનીની રેલવે જમીન પરથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યું ત્યારે સુપ્રીમ કોર્ટે તેના પર ત્રણ વર્ષ પહેલાં સ્ટે લાવી દીધો હતો. આ જ રીતે નુપુર શર્મા કેસમાં તેમણે માહોલ ખરાબ કરનારો હોવાનો દાવો કર્યો હતો. તેમણે હાલમાં જ એક કેસમાં ટીખળ કરી હતી કે, 'તમે મૂર્તિ પાસે પાર્થના કરી તેમને જાતે જ પોતાનું મસ્તક પુનઃસ્થાપિત કરવા કહો.' તેમની આ ટીપ્પણીએ મને ખૂબ દુઃખી કર્યો છે. 

CJI તમે સનાતની હિન્દુ છોઃ રાકેશ કિશોર

વધુમાં કહ્યું કે, મારૂ નામ ડો. રાકેશ કિશોર છે, શું કોઈ મારી જાતિ જણાવશે, બની શકે કે હું પણ દલિત હોવ. આ એક તરફી તથ્યનો તેઓ લાભ ઉઠાવી રહ્યા છે કે, તેઓ દલિત છે. તે દલિત નથી. તે પહેલાં એક સનાતની હિન્દુ હતા. બાદમાં તેમણે પોતાનો ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તેમને લાગે છે કે, બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ તેઓ હિન્દુ ધર્મમાંથી બહાર આવી ગયા છે, તો પછી આજે પણ તેઓ પોતે દલિત હોવાની વાત કેમ કરે છે? આ તેમની વિચારસરણી દર્શાવે છે.