India

પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જીત્યા

By GS TEAM
7 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો પૈકી 39 બેઠકો પર જીતનું માર્જિન 50,000થી વધારે મતોનું હતું. આ 39 બેઠકોની 60 ટકા બેઠકો ભાજપે જીતી છે તેમ ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓનાં વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જીત્યા

West Bengal Elections: પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો પૈકી 39 બેઠકો પર જીતનું માર્જિન 50,000થી વધારે મતોનું હતું. આ 39 બેઠકોની 60 ટકા બેઠકો ભાજપે જીતી છે તેમ ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓનાં વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય

આ આંકડા પશ્ચિમ બંગાળમાં ભાજપનાં પ્રભુત્વને દર્શાવે છે. સોમવારે ભાજપે 294 સભ્યોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 207 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભાજપે બે તૃતિયાંશથી વધારે બહુમતી મેળવી છે અને રાજ્યમાં ટીએમસીનાં 15 વર્ષનાં શાસનનો અંત લાવી દીધો છે. ચૂંટણી પંચ દ્વારા આંકડાઓનાં વિશ્લેષણ અનુસાર 294 પૈકી 39 બેઠકો પર જીતનું માર્જિન 50,000થી વધારે હતું. આ 39 બેઠકો પૈકી 23 બેઠકો ભાજપે, 15 બેઠકો તૃણમૂલે અને એક બેઠક આમ જનતા ઉન્નયન પાર્ટીએ જીતી છે.

માતિગારા-નક્સલબાડીમાં ભાજપનો દબદબો

આ પ્રકારની વધુ માર્જિનવાળી સૌથી વધુ બેઠકો જીતવા ઉપરાંત ભાજપ એવી મોટાભાગની બેઠકો પર બીજા સ્થાને રહી છે જ્યાં તૃણમૂલે વિજય મેળવ્યો હતો. અનેક અલગ અલગ પરિણામોથી આ જનાદેશની વ્યાપકતાની જાણ થાય છે. માતિગારા-નક્સલબાડીમાં ભાજપનાં આનંદમય બર્મને સૌથી વધુ અંતરથી વિજય મેળવ્યો છે. તેમણે તૃણમૂલનાં શંકર માલાકારને 1,04,265 મતોથી હરાવ્યા હતાં.

90 હજારથી વધુ મતોનું વિશાળ અંતર

ડાબગ્રામ-ફૂલવાડીમાં ભાજપ ઉમેદવાર શિખા ચેટર્જીએ તૃણમૂલનાં રંજન શિલ શર્માને લગભગ 98,000 મતોથી હરાવ્યા છે. જ્યારે ઇંગ્લિશ બજારમાં અમલાન ભાદુડીએ 93,000થી વધારે મતોનાં અંતરથી વિજય મેળવ્યો છે.

આ પણ વાંચો: સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના

તૃણમૂલ કોંગ્રેસની શાનદાર વાપસી

જો કે તૃણમૂલે પણ કેટલીક બેઠકો પર શાનદાર જીત મેળવી છે. કેનિંગ પુરબામાં તૃણમૂલનાં મોહમ્મદ બહારુલ ઈસ્લામે પોતાના નજીકનાં હરીફ એઆઈએસએફનાં અરબુલ ઈસ્લામને 91,000 મતોથી હરાવ્યા છે. જ્યારે ગોલપોખરમાં મોહમ્મદ ગુલાબ રબ્બાનીએ ભાજપના સરજીતા બિસ્વાસને 83,000થી વધુ મતોથી હરાવ્યા હતા.