Get The App

પ.બંગાળના પુરુલિયા-જમશેદપુર નેશનલ હાઈવે પર ભીષણ અકસ્માત, 9 લોકોના મોત

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
Purulia Road Accident
(AI IMAGE)

Purulia Road Accident : પશ્ચિમ બંગાળના પુરુલિયા નેશનલ હાઈવે પર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. આ અકસ્માત શુક્રવારે સવારે પુરુલિયા-જમશેદપુર નેશનલ હાઈવે નંબર 18 પર થયો હતો. બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નામસોલ પ્રાથમિક શાળા પાસે બનેલો અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર 9 લોકો પુરુલિયાથી ઝારખંડ તરફ જઈ રહ્યા હતા. કાર બર્મપુર તરફથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે 9 લોકોને મૃત જાહેર કર્યા હતા.

બોલેરો કાર પુરુલિયાથી બલરામપુર જઈ રહી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બધા લોકો લગ્ન સમારંભમાંથી પાછા ફરી રહ્યા હતા. બોલેરો કાર પુરુલિયાથી બલરામપુર જઈ રહી હતી. તે જ સમયે, કાર કંટ્રોલ બહાર ગઈ અને વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રક સાથે અથડાઈ. કારને બચાવવાના પ્રયાસમાં, ટ્રક પણ કંટ્રોલ બહાર ગઈ અને નજીકના ડાંગરના ખેતરમાં ઘૂસી ગઈ અને પલટી ગઈ હતી. માહિતી મળતાં, બલરામપુર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો: એર ઈન્ડિયાએ 8 ફ્લાઈટ રદ કરી, જેમાં 4 ઈન્ટરનેશનલ, દેશભરમાં મુસાફરો રઝળી પડ્યાં

બધા ઝારખંડ આવી રહ્યા હતા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકો પુરુલિયાના અદાબાના ગામથી ઝારખંડના તિલાઈતન ગામ જઈ રહેલા બોલેરો એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમનું વાહન ઝડપથી આવી રહેલી ટ્રક સાથે અથડાયું. ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોને એટલી ખરાબ રીતે નુકસાન થયું કે તેની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ. સ્થાનિક લોકો અને ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 

પ.બંગાળના પુરુલિયા-જમશેદપુર નેશનલ હાઈવે પર ભીષણ અકસ્માત, 9 લોકોના મોત 2 - image
Tags :