India

આપણે ન્યાયના મંદિરો બનાવ્યા પણ તેના દરવાજા ખૂબ સાંકડા રાખ્યા, ચીફ જસ્ટિસે વ્યક્ત કરી ચિંતા

By GS TEAM
21 Aug 20252 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ અદાલતોમાં કેસોના ભારણ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે દેશમાં ફક્ત પરંપરાગત મુકદ્દમાબાજી આ ભારણ સહન કરી શકે નહીં. તેમણે બુધવારે કહ્યું હતું કે કાનૂની સહાય અને મધ્યસ્થી દ્વારા દરેક નાગરિક માટે ન્યાય સુનિશ્ચિત કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આપણે ન્યાયના મંદિરો બનાવ્યા પણ તેના દરવાજા ખૂબ સાંકડા રાખ્યા, ચીફ જસ્ટિસે વ્યક્ત કરી ચિંતા

CJI Gavai on Case pendency: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ અદાલતોમાં કેસોના ભારણ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે દેશમાં ફક્ત પરંપરાગત મુકદ્દમાબાજી આ ભારણ સહન કરી શકે નહીં. તેમણે બુધવારે કહ્યું હતું કે કાનૂની સહાય અને મધ્યસ્થી દ્વારા દરેક નાગરિક માટે ન્યાય સુનિશ્ચિત કરી શકાય છે. 

કોના માટે ન્યાયનો માર્ગ જટિલ? 

'સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન' (SCBA) દ્વારા આયોજિત 'જસ્ટિસ ફોર ઓલ- લીગલ એઇડ એન્ડ મીડિયેશન: કોલાબોરેટિવ રોલ ઓફ બાર એન્ડ બેન્ચ' વ્યાખ્યાનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા તેમણે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે ‘હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે ન્યાયનો માર્ગ જટિલ અને અવરોધોથી ભરેલો હોઈ શકે છે.’

હાંસિયામાં ધકેલાઈ ગયેલાને યાદ કર્યા  

દેશભરની અદાલતોમાં પેન્ડિંગ કેસોની વધતી જતી સંખ્યામાં બાર અને બેન્ચ બંનેની ભૂમિકા પર ભાર મૂકતા ચીફ જસ્ટિસ ગવઈએ કહ્યું કે ‘જ્યારે કેટલાક હાઈકોર્ટના ન્યાયાધીશો ખરેખર મહેનતુ છે. કેટલાક એવા છે જેમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક છે.’

તેમણે કહ્યું કે, ‘આપણું બંધારણ દરેક નાગરિકને ન્યાય આપવાનું વચન આપે છે. આમ છતાં વ્યવહારમાં ન્યાયનો માર્ગ લાંબો અને જટિલ હોઈ શકે છે અને તેમાં ઘણાં અવરોધો હોઈ શકે છે. ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સંવેદનશીલ સમુદાયોના લોકો માટે, નિષ્પક્ષ સુનાવણીની યાત્રા સામાજિક, આર્થિક અને ભૌગોલિક અવરોધો દ્વારા અવરોધિત છે.’

બાર અને બેન્ચની સહયોગી ભૂમિકા

બાર અને બેન્ચની સહયોગી ભૂમિકા પર ભાર મૂકતા તેમણે વકીલોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. આ અંગે તેમણે કહ્યું કે ‘તેઓ ફક્ત વ્યક્તિગત અસીલોના પ્રતિનિધિઓ જ નથી પણ ન્યાયના રક્ષક પણ છે. ન્યાયાધીશોને ન્યાય, સમાનતા અને યોગ્ય પ્રક્રિયા સુનિશ્ચિત કરવાની ગંભીર ફરજ સોંપવામાં આવી છે. ‘ન્યાયના રથ’ને સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ન્યાયાધીશો અને વકીલો વચ્ચે સુમેળ પર ભાર મૂકવો જોઈએ.’ 

ન્યાયની પહોંચ હમણાં સુધી ધનિકોનો વિશેષાધિકાર 

આ અંગે વધુ વાત કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં, ન્યાય સુધીની પહોંચ પર તાજેતરમાં ધનિકોનો વિશેષાધિકાર રહ્યો છે. જ્યારે કાનૂની ફી માસિક આવક પર ભારે પડી જાય, જ્યારે પ્રક્રિયાઓ સાક્ષરતાની માંગ કરે છે જે લાખો લોકો માટે અધૂરી છે, જ્યારે કોર્ટના કોરિડોર સ્વાગત કરતાં વધુ ડરામણા બની જાય, ત્યારે આપણે કઠોર વાસ્તવિકતાનો સામનો કરીએ છીએ. આપણે ન્યાયના મંદિરો તો બનાવ્યા છે પરંતુ તેના દરવાજા તે લોકો માટે ખૂબ સાંકડા છે જેમની સેવા કરવા માટે તે બનાવવામાં આવ્યા હતા. જો ફક્ત એક પક્ષ તેની ફરિયાદો તેના પર તો ન્યાયના ત્રાજવા ઝૂકી ના શકે.’