Varanasi International Cricket Stadium: અર્ધ ચંદ્ર, ડમરૂ, ત્રિશૂળ... વારાણસીનું ક્રિકેટ સ્ટેડિયમ થયુ શિવમય, જુઓ તસવીર
Updated: Sep 23rd, 2023
Image Source: Facebook
લખનૌ, તા. 23 સપ્ટેમ્બર 2023 શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 23 સપ્ટેમ્બરે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં ઈન્ટરનેશન ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે, જેની ખૂબ ભવ્ય તસવીર સામે આવી છે.
વારાણસીમાં તૈયાર થનાર ક્રિકેટ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર આધારિત હશે. જેમાં કાશીની સંસ્કૃતિ અને ઝલક જોવા મળશે.
કહેવાય છે કે કાશીના કણ-કણમાં ભગવાન મહાદેવ વસે છે. દરમિયાન આ ક્રિકેટ સ્ટેડિયમને ખાસ રીતે શિવમય બનાવવામાં આવી રહ્યુ છે. જેમાં ભગવાન શિવના મસ્તકમાં બિરાજમાન અર્ધ ચંદ્ર, ડમરુ અને ત્રિશૂળ પણ છે.
આ સ્ટેડિયમની છતને અર્ધ ચંદ્રના આકારમાં સજાવવામાં આવ્યુ છે જેમાં એક તરફ ડમરૂનો આકાર છે, સ્ટેડિયમમાં લાગનારી ફ્લડલાઈટ ત્રિશૂળના આકારમાં છે.
પીએમ મોદીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વારાણસીમાં બનનાર સ્ટેડિયમની આ તસવીરો શેર કરી છે.
આ સ્ટેડિયમ વારાણસીના ગંજારી (રાજાતાલાબ) માં 30 એકર જમીનમાં બની રહ્યુ છે, જેમાં લગભગ 325 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.