India

ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના : મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, 5 લોકો પકડાયા

By GS TEAM
27 Nov 20252 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં આવેલી જામા મસ્જિદમાં રાતે આગ લગાવી દેવામાં આવી હતી. મસ્જિદનો ગેટ પણ આ આગની લપેટમાં આવી ગયો હતો. આ સાથે જ મસ્જિદના ગેટને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હડકંપ મચી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી અને ભારે સુરક્ષા દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના : મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, 5 લોકો પકડાયા

Fire Occurred At Jama Masjid in Mirzapur: ઉત્તર પ્રદેશમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં આવેલી જામા મસ્જિદમાં રાતે આગ લગાવી દેવામાં આવી હતી. મસ્જિદનો ગેટ પણ આ આગની લપેટમાં આવી ગયો હતો. આ સાથે જ મસ્જિદના ગેટને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હડકંપ મચી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી અને ભારે સુરક્ષા દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે. 

હવે મિરઝાપુર પોલીસે એ તમામ લોકોની ધરપકડ કરી લીધી છે જેમણે મસ્જિદમાં આગ લગાવી હતી. તમને જણાવી દઈએ કે, આ તમામ લોકો મસ્જિદમાં આગ લગાવીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. પરંતુ પોલીસે તપાસ બાદ આ તમામને દબોચી લીધા છે. 

જાણો કેમ લગાવી આ આગ

આ સમગ્ર ઘટના મિરઝાપુરના ચુનાર પોલીસ સ્ટેશન વિસ્તારના મોચી ટોલામાં સ્થિત જામા મસ્જિદમાં ઘટી હતી. અહીં રાતે લગભગ 2:00 વાગ્યે મસ્જિદમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગી. આ જોઈને ઘટનાસ્થળે હડકંપ મચી ગયો અને લોકોએ પોલીસને ઘટના અંગે જાણ કરી. 


આ આગની લપેટમાં મસ્જિદના મુખ્ય ભવનનો ગેટ, લાકડાના દરવાજા આવી ગયા અને મસ્જિદમાં રાખેલો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો. આ મામલે પોલીસે 5 યુવકોને જેલ ભેગા કરી દીધા છે. 

તપાસમાં સામે આવ્યું છે કે, દારૂના નશામાં આ યુવકોએ મસ્જિદમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ ઊભો થયો હતો પરંતુ પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી. 

પોલીસે 5 યુવકોની ધરપકડ કરી

ઈન્સ્પેક્ટર વિજય શંકર સિંહના જણાવ્યા પ્રમાણે પોલીસે આ મામલે રણજીત સેઠ, રોહિત ગુપ્તા, ગણેશ, પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરી છે. આ તમામની અલગ-અલગ સ્થળોએથીધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે બધા દારૂના નશામાં હતા.

આ પણ વાંચો: અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ ચિંતિત

આ સમગ્ર મામલે મનીષ કુમાર મિશ્રા (ASP મિરઝાપુર ) એ જણાવ્યું કે, 'આ ઘટના દારૂના નશામાં બની હતી. કેસ નોંધી લેવામાં આવ્યો છે અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.'