India

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર

By GS TEAM
12 Apr 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસવે પર ઝડપનો કહેર જોવા મળ્યો છે. નૌહઝીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઇલસ્ટોન 76 પાસે એક હાઇ-સ્પીડ ડબલ ડેકર બસ અચાનક કાબૂ ગુમાવીને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે 20 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર

Road Accident News: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસવે પર ઝડપનો કહેર જોવા મળ્યો છે. નૌહઝીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઇલસ્ટોન 76 પાસે એક હાઇ-સ્પીડ ડબલ ડેકર બસ અચાનક કાબૂ ગુમાવીને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે 20 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

100થી વધુ મુસાફરો સવાર હતા

પ્રાથમિક માહિતી મુજબ, ડબલ ડેકર બસમાં 100થી વધુ મુસાફરો સવાર હતા અને તે નોઈડાથી બિહાર જઈ રહી હતી. ઓવર સ્પીડના કારણે ડ્રાઈવર બસ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે આ મોટો અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: IPL 2026: નહીં સુધરે દિગ્વેશ રાઠી! વિકેટ લેતા ફરી કર્યું વિવાદિત ‘નોટબુક સેલિબ્રેશન’, પણ બદલ્યો અંદાજ

હાજર લોકોની મદદથી ફસાયેલા મુસાફરોને બસમાંથી સાવચેતી પૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. ડોકટરોના જણાવ્યા અનુસાર, ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુસાફરો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે, જ્યારે અન્યની પ્રાથમિક સારવાર ચાલી રહી છે.

યમુના એક્સપ્રેસવે અકસ્માતની વણઝાર

યમુના એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. તેનું એક મોટું કારણ અતિશય ઝડપ છે. ઘણા ડ્રાઇવરો નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન કરતા નથી, જેનાથી અકસ્માતનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, લાંબો અને સીધો રસ્તો હોવાને કારણે ઘણી વખત ડ્રાઇવરોને ઊંઘ કે ઝોકું આવી જાય છે, જે અકસ્માતોનું મુખ્ય કારણ બને છે. ખરાબ હવામાન, જેમ કે ધુમ્મસ કે વરસાદ પણ વિઝિબિલિટી ઘટાડે છે, જેનાથી અકસ્માતો વધે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ડ્રાઇવરો સાવચેતી રાખે, ગતિ મર્યાદાનું પાલન કરે અને સમયાંતરે વિરામ લઈને આરામ કરે, તો આ અકસ્માતોને ઘણા અંશે રોકી શકાય છે.