mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સારા સમાચાર! દેશમાં બેરોજગારી ઘટીને 6.5 ટકા થઈ, સામે આવ્યા સરકારી આંકડા

ઓક્ટોબર- ડિસેમ્બર, 2023 દરમિયાન શહેરી વિસ્તારમાં 15 વર્ષ કે તેથી વધુ વયના લોકો વચ્ચે બેરોજગારી દર ઘટ્યો

Updated: Feb 13th, 2024

સારા સમાચાર! દેશમાં બેરોજગારી ઘટીને 6.5 ટકા થઈ, સામે આવ્યા સરકારી આંકડા 1 - image


Unemployment rate in India: સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓમાંથી મળતી માહિતી મુજબ દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 દરમિયાન ભારતના શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર ઘટીને 6.5 ટકા થયો હતો. ગયા વર્ષે આ સમયગાળામાં બેરોજગારીનો દર 7.2 ટકા હતો. 

કોવિડ કાળમાં વધી હતી બેરોજગારી 

સમયાંતરે શ્રમ દળના ડેટાના મહત્વને ધ્યાનમાં રાખીને, NSSO એ એપ્રિલ, 2017માં સામયિક લેબર ફોર્સ સર્વે (PLFS) શરૂ કર્યો હતો. દેશમાં કોવિડ લોકડાઉનને કારણે એપ્રિલ-જૂન 2020 ક્વાર્ટરમાં એકંદરે બેરોજગારીનો દર 20.9 ટકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આનાથી દેશભરમાં રોજગારીની તકો અંગે ચિંતા સર્જાઈ હતી. જયારે PLFSના ત્રિમાસિક બુલેટિન મુજબ પુરુષો માટે બેરોજગારીનો દર ઓક્ટોબર-ડિસેમ્બર, 2022માં 6.5 ટકાથી ઘટીને ઓક્ટોબર-ડિસેમ્બર, 2023માં 5.8 ટકા થયો છે. 

મહિલાઓની બેરોજગારી દરમાં પણ થયો ઘટાડો 

આ જ સમયગાળામાં મહિલાઓ માટે બેરોજગારીનો દર 9.6 ટકાથી ઘટીને 8.6 ટકા થયો છે. સર્વેમાં વધુમાં જણાવાયું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર, 2023માં શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે વર્કર પોપ્યુલેશન રેશિયો (WPR) વધીને 46.6 ટકા થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર, 2022માં તે 44.7 ટકા હતો.

સારા સમાચાર! દેશમાં બેરોજગારી ઘટીને 6.5 ટકા થઈ, સામે આવ્યા સરકારી આંકડા 2 - image

Gujarat