Chhota Rajan Admitted In AIIMS : તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડતાં AIIMS હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા અહેવાલ મુજબ, છોટા રાજનને સાઇનસની બીમારી હોવાથી તેના નાકનું ઓપરેશન કરવાનું છે. જ્યારે ડૉક્ટરની સલાહથી છોટા રાજનને AIIMSમાં દાખલ કરાયો છે, પરંતુ હાલના ધોરણે તેનું ઓપરેશન કરાયું ન હોવાનું જાણવા મળ્યું છે. જો કે, ઓપરેશન થયા બાદ છોટા રાજનને ફરીથી તિહાર જેલમાં મોકલી દેવામાં આવશે.
જેલમાં બંધ છોટા રાજનની તબિયત લથડી
મીડિયા અહેવાલ મુજબ, તિહારની જેલમાં બંધ 64 વર્ષના છોટા રાજનને સ્વાસ્થ્યને લઈને અનેક બીમારીઓ છે. જેમાં છોટા રાજનને સાઇનસની બીમારી છે. આ દરમિયાન છોટા રાજનની જેલમાં સારવાર ચાલી રહી છે. જો કે, તબિયત વધુ લથડતાં તેને હૉસ્પિટલમાં મોકલવાયો હતો. જેમાં ડૉક્ટરે તપાસ કરીને ઓપરેશન કરવાની સલાહ આપી હતી. જેને ધ્યાનમાં રાખીને છોટા રાજનને હૉસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશુ ચોરોનો BSF જવાનો પર હુમલો, સૈનિકોએ આપ્યો વળતો જવાબ
જે વોર્ડમાં છોટા રાજનને રખાયો ત્યાં કડક સુરક્ષા ગોઠવી
તિહારની હાઇ સિક્યોરિટી વાળી જેલમાં બંધ છોટા રાજનને AIIMSમાં દાખલ કરાતા ત્યાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જે વોર્ડમાં છોટા રાજનને રાખવામાં આવ્યો છે, ત્યાં કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. જેમાં સુરક્ષાકર્મીની મંજૂરી વગર કોઈને પણ પ્રવેશવાની અનુમતિ નથી.


