India

પાકિસ્તાનના ચક્કરમાં તુર્કીયે અને અજરબૈજાન ફસાયા! ભારતથી પંગો લીધા બાદ ટુરિઝમમાં મોટો ફટકો

By GS TEAM
19 Oct 20252 mins read
TukuTouch Logo
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન તુર્કીયે અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપવાનો નિર્ણય હવે આ બંને દેશો માટે આર્થિક રીતે મોંઘો સાબિત થઈ રહ્યો છે. ભારતીયોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા આ પર્યટન સ્થળો પર ભારતીય પ્રવાસીઓની મુલાકાતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે બાયકોટની લાગણી દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનના ચક્કરમાં તુર્કીયે અને અજરબૈજાન ફસાયા! ભારતથી પંગો લીધા બાદ ટુરિઝમમાં મોટો ફટકો

Indian Tourists: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન તુર્કીયે અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપવાનો નિર્ણય હવે આ બંને દેશો માટે આર્થિક રીતે મોંઘો સાબિત થઈ રહ્યો છે. ભારતીયોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા આ પર્યટન સ્થળો પર ભારતીય પ્રવાસીઓની મુલાકાતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે બાયકોટની લાગણી દર્શાવે છે.

પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો

અહેવાલો અનુસાર, મે અને ઓગસ્ટ મહિના દરમિયાન અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 56 ટકાનો અને તુર્કીયેમાં 33.3 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. રદ થયેલા બુકિંગ અને મુસાફરીના સ્થળ બદલવાના કારણે આ દેશોના પ્રવાસન ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે.

બુકિંગમાં 60 ટકાનો ઘટાડો

એક જાણીતી ટ્રાવેલ એપના રિપોર્ટ મુજબ, 'ઓપરેશન સિંદૂર' બાદ ભારતીય પ્રવાસીઓ દ્વારા અઝરબૈજાન અને તુર્કીયે માટેના બુકિંગમાં 60 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે રદ થવાના દરોમાં 250 ટકાનો વધારો થયો છે. ટ્રાવેલ એજન્સીઓએ પણ આ દેશો માટે પેકેજ ટૂર અને હોટેલ બુકિંગને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા છે.

ટ્રાવેલ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે તુર્કીયે અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને ખુલ્લો ટેકો આપવાના કારણે ભારતીય મુસાફરોમાં વ્યાપક રોષ ફેલાયો છે, જેના પગલે તેમણે આ દેશોની બિન-આવશ્યક મુસાફરી ટાળવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: ટ્રમ્પને ઝટકો: ગાઝા પર ફરી ઈઝરાયલનો હુમલો, હમાસનો આરોપ-47 વખત સીઝફાયરનો ભંગ કર્યો

લોકોએ સ્થળ બદલ્યા

તુર્કીયેના પગલાંથી મુલાકાતોની સંખ્યામાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે ભારત અને તુર્કીયે વચ્ચેના સંબંધો સુધરી રહ્યા હતા અને સીધી ફ્લાઇટ્સની સંખ્યામાં પણ વધારો થયો હતો, પરંતુ આ ઘટનાએ સંબંધોને નકારાત્મક અસર કરી છે. ઘણાં ભારતીયોએ હવે અઝરબૈજાનને બદલે બેંગકોક જેવા અન્ય સ્થળોની મુસાફરી કરવાનું શરૂ કર્યું છે. દેશના વિવિધ ભાગોમાંથી હજારો લોકોએ આ દેશોની તેમની અગાઉની મુસાફરીની યોજનાઓ રદ કરી દીધી છે. આ ઘટના દર્શાવે છે કે વિદેશ નીતિ અને રાજદ્વારી સંબંધો કેવી રીતે લોકોના પ્રવાસના નિર્ણયોને અસર કરી શકે છે.